Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ, લગ્ન અને કેરિયરમાં સફળતા લાવવામાં મદદ કરે છે ફિરોઝા

ફિરોઝાને અંગ્રેજીમાં ટરક્વાઇશ કહેવામાં આવે છે. આ ઘાટા વાદળી રંગનું રત્ન છે. ફિરોઝા ગુરૂ ગ્રહનું રત્ન હોય છે. આ રત્ન રાહુ-કેતુને શાંત કરે છે. આ રત્ન ધારણ કરવાથી દગો થતો નથી અને જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમજ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ રત્નને ધનનાં પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે અને તેને જલદી ઇલાજ માટે પણ સારું માનવામાં આવે છે.

ફિરોઝા રત્ન તમારામાં આત્મ-સમ્માન અને વિશ્વાસ વધારે છે. તે માંસપેશિયોની શક્તિમાં વધારો કરે છે અને ખરાબ દુરાત્માઓથી તમને બચાવે છે. ફિરોઝાને સહાનુભૂતિનાં ઉપચાર માટેનું રત્ન પણ કહેવામાં આવે છે. આ રત્ન પહેરનારમાં સંવેદનશીલતા અને વિચાર શક્તિમાં સુધારો થાય છે. આ રત્ન દુર્ભાગ્યને સમાપ્ત કરીને સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને આ કારણે જાતકને સારુ સ્વાસ્થ્ય, ધન, જ્ઞાન, પ્રસિદ્ધિ અને તાકાત મળે છે. ફિરોઝા રત્ન પહેરવાથી વ્યક્તિત્વમાં આકર્ષણ આવે છે અને રચનાત્મક શૈલી સુધરે છે.

લગ્ન ના થતા હોય તેવા લોકો આ રત્ન ધારણ કરી શકે છે. કોઇને પ્રેમ કરતા હોય અને તેને સમાજમાં લાવવા માંગતા હો તો આ રત્ન પહેરવું જોઇએ. પ્રેમ સંબંધો માટે આ રત્ન ઘણું પ્રભાવી છે. કેરિયરમાં સફળતા માટે અને જે લોકો રચનાત્મક છે તેમણે આ રત્ન ધારણ કરવું જોઇએ.
દરેક રાશિનાં લોકો ફિરોઝા ધારણ કરી શકે છે. ફિલ્મી કલાકારો, વ્યવસાયી લોકો તેમજ આર્કિટેક્ચર અને એન્જીનિયર પણ આ રત્ન પહેરી શકે છે. ફિરોઝા રત્ન ગુરૂવારનાં દિવસે પહેરવું જોઇએ. સ્નાન કર્યા પછી અંગૂઠી ધારણ કરવી જોઇએ. આ પહેલા અંગૂઠીને કાચા દૂધ અને ગંગાજળમાં ડૂબાડી રાખવી જોઇએ જેથી તે શુદ્ધ થઇ જાય. ફિરોઝા ધારણ કરવાનો સૌથી સારો દિવસ શુક્રવાર છે. તમે ઇચ્છો તો ગુરૂવાર અને શનિવારે પણ આ રત્ન ધારણ કરી શકો છો. સવારનાં 6 વાગ્યાથી 8 વાગ્યાનો સમય ફિરોઝા ધારણ કરવાનો શ્રેષ્ઠ સમય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111385232
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now