Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતા સીતાએ હનુમાનજીને અમર થવાનું વરદાન આપ્યું હતું

બુધવાર, 8 એપ્રિલે હનુમાન જયંતી ઉજવવામાં આવશે. ત્રેતાયુગમાં ચૈત્ર મહિનાની પૂનમ તિથિએ શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો, આ કારણે મંગળવારે હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે.
માતા સીતાએ અમરતાનું વરદાન આપ્યું હતું-
રામાયણમાં રાવણ સીતાજીનું હરણ કરીને લંકા ગઇ ગયો હતો. શ્રીરામ અને સંપૂર્ણ વાનર સેના સીતાજીની શોધમાં લાગ્યાં હતાં. આ સમયે હનુમાનજી સમુદ્ર પાર કરીને લંકા પહોંચી ગયા અને માતા સીતાને શોધી લીધા. લંકાની અશોક વાટિકામાં હનુમાનજી અને સીતાની મુલાકાત થઇ હતી. તે સમયે હનુમાનજીએ શ્રીરામનો સંદેશ આપીને માતા સીતાની બધી જ ચિંતાઓ દૂર કરી હતી. તેનાથી પ્રસન્ન થઇને સીતાએ હનુમાનજીને અમર થવાનું વરદાન આપ્યું હતું. આ વરદાનના પ્રભાવથી હનુમાનજી હંમેશાં જીવિત રહેશે અને તેમને ક્યારેય વૃદ્ધાવસ્થા આવશે નહીં.
પૂજા સાથે જોડાયેલી થોડી ખાસ વાતોઃ-
હનુમાન જયંતીએ સવારે જલ્દી જાગવું અને સ્નાન બાદ પૂજા કરવી. હનુમાનજીને પ્રસાદ સ્વરૂપે ગોળ, નારિયેળ, લાડવા ધરાવવા જોઇએ. હનુમાનજીની ત્રણ પરિક્રમા કરવાનું વિધાન છે. બપોરે બજરંગ બલીને ગોળ, ઘી, ધઉંના લોટથી બનેલી રોટલીનું ચૂરમું અર્પણ કરી શકાય છે.
સાંજના સમયે કેળા, સફરજન જેવા ફળનો ભોગ ધરાવવો. સુંદરકાંડ કરતી સમયે હનુમાનજીને સિંદૂર, ચમેલીનું તેલ અને અન્ય પૂજન સામગ્રી પણ અર્પણ કરવી જોઇએ.
બજરંગ બલીના શ્રૃંગારમાં ચોલા ચઢાવતી સમયે તલના તેલમાં અથવા ચમેલીના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવવું જોઇએ. ભક્તે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111384581
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now