સોમવાર 30 માર્ચથી 2 એપ્રીલ સુધી અદ્ભૂત સંયોગ, આ રાશિવાળાની કિસ્મત બદલાઇ જશે
આ ચૈત્ર નવરાત્રિમાં 30 માર્ચ સોમવારથી 2 એપ્રીલ ગુરૂવાર સુધી શુભ સંયોગ બની રહ્યો છે. આ અવધિમાં આ સાત રાશિઓની કિસ્મત ખુલી જવાની છે ભાગ્યોદય થવાનો છે. આ તમામ રાશિની મનોકામના આ સમયે પૂર્ણ થવાની છે. કેમકે આ વખતે સર્વાર્થ સિદ્ધિ તેમજ અમ-ત સિદ્ધિ યોગ એક સાથે છે.
પ્રાચીન સમયમાં મહિષાસુર નામના અસુરે દેવતાઓને સ્વર્ગથી ભગાડીને ત્યાં પોતાનો અધિકાર કરી લીધો હતો. ત્યાર બાદ બધા જ દેવતાઓ શિવજી અને વિષ્ણુજી પાસે પહોંચ્યાં હતાં. મહિષાસુરના આતંકથી શિવજી અને વિષ્ણુજી ગુસ્સે થઇ ગયાં. ત્યારે જ બધા દેવતાઓના મુખમાંથી તેજ પ્રકટ થયું જે નારી સ્વરૂપમાં બદલાઇ ગયું.
શિવના તેજથી દેવીનું મુખ, યમરાજના તેજથી કેશ, વિષ્ણુના તેજથી હાથ, ચંદ્રના તેજથી વક્ષસ્થળ, સૂર્યના તેજથી પગની આંગણીઓ, કુબેરના તેજથી નાક, પ્રજાપતિના તેજથી દાંત, અગ્નિના તેજથી ત્રણ નેત્ર, સંધ્યાના તેજથી ભૃકુટિ અને વાયુના તેજથી કાનની ઉત્પત્તિ થઇ હતી.
મેષ અને વૃષભ રાશિ
આ જાતકોની કુંડળીમાં 30 માર્ચ સોમવારથી ગુરૂવાર સુધી શુભ સમય આવશે. આ બંને રાશિના જાતકોએ દુર્ગા સપ્તશતી તેમજ શ્રીરામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરવો.
મિથુન અને કન્યા રાશિવાળાએ શક્રદાય સ્તુતિનો પાઠ કરવો
કર્ક તેમજ મકર રાશિ
આ બંને રાશિના જાતકોને ભરપુર ધનલાભની પ્રાપ્તિ થશે. ભાગ્ય ચમકશે. જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. આ જાતકોએ સુંદરકાંડ અને દેવી સ્ત્રોતનો પાઠ કરવો. ગાયત્રી મહામંત્રનો જાપ કરી ઉગતા સૂર્યને અર્ઘ્ય આપજો.
સિંહ, ધનુ અને કુંભ રાશિ
આ રાશિઓનો ભાગ્યોદય થશે. અચાનક ધનલાભ પ્રાપ્ત થશે. જાતકે રક્ષાસ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. સૂર્યની પૂજા કરવી જોઈએ.