હનુમાનજીએ જણાવેલા આ ઉપાય કરશો તો રાતોરાત પલટાય જશે કિસ્મત
ચૈત્ર મહિનાની પૂનમના દિવસે રામ ભક્ત હનુમાન જંયતી મનાવવામાં આવે છે. કળયુગમાં હનુમાનજી એક એવા ભગવાન છે જે જીવે છે. હનુમાનજી હંમેશા પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી કરે છે. હનુમાનજીની કૃપાથી તુલસીદાસને ભગવાન રામના દર્શન થયા હતા. હનુમાનજી વિશે કહેવામાં આવે છે, જ્યાં રામકથા હોય છે, ત્યાં હનુમાનજી કોઈ પણ સ્વરૂપે હાજર રહે છે. તુલસી દાસએ હનુમાન ચાલીસા લખી હતી. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મનુષ્યની તમામ સમસ્યાઓ દૂર થાય છે.
આર્થિક સંકટો દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી વ્યક્તિનું મનોબળ મજબૂત થાય છે.
“ભૂત પિશાચ નિકટ નહી આવે, મહાવીર જબ નામ સુનાવે”. આ દોહાને જે વ્યક્તિ નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેની પાસે ક્યારે ભૂત-પિશાચ અને નકારાત્મક શક્તિઓ નથી આવતી.
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી માનસિક શાંતિ મળે છે અને ખરાબ વિચારોમાંથી મુક્તિ મળે છે જેનાથી વ્યક્તિને સારી ઉંઘ આવે છે અને જીવનમાં સફળતાની તક મળે છે.
“નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમાન વીરા”. આ ચોપાઈને જે વ્યક્તિ નિયમિત પાઠ કરે છે તે વ્યક્તિ બળવાન હોય છે . જે લોકો હંમેશા બીમાર રહેતા હોય તે લોકો આ ચોપાઈનો પાઠ કરે તો તેમને તમામ રોગમાંથી મુક્તિ મળે છે.
હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓ નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરે તો તેમને ભણવામાં સફળતા મળે છે. વિદ્યાર્થીઓ “વિધ્યાવાન ગુનિ આતુર, રામ કાજ કરીબે કો ચાતૂર”. નો નિયમિત પાઠ કરવો જોઈએ.
“અંત કાલ રધુબર હુર જાયે, જહાં જન્મ હરિભક્ત કહાઈ ઔર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમાન સેઈ સર્વ સુખ કરાઈ”. જે વ્યક્તિ હનુમાન ચાલિસાનો પાઠ નિયમિત કરે છે તેમને પરમ ધામ જવાનો સરળ રસ્તો મળે છે.