Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરવાજો અંદરની તરફ નમેલો હશે તો, ઘરમાં ક્યારેય નહીં ટકે ધન, રહેશે ગરીબી

ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ માટે દરવાજા સાથે જોડાયેલાં આ વાસ્તુ નિયમોનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ, તેનાથી તમને જ ફાયદો થશે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરવાજાનું બહુ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, ઘરનો દરવાજો સૌથી પહેલા સકારાત્મક અને નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત થાય છે અને તેનાથી ઘર ઉપર સારો અને ખરાબ પ્રભાવ પડે છે. વાસ્તુવિજ્ઞાન ફેંગશુઈ પણ આ વાતનો સ્વીકાર કરે છે અને એવું કહે છે કે, સુખ-સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને ઉન્નતિ માટે દરવાજો વાસ્તુ રહિત હોવો જોઈએ.

વાસ્તુ વિજ્ઞાન અનુસાર, દરવાજો ખોલતી વખતે અથવા બંધ કરતી વખતે અવાજ ન આવવો જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. દરવાજો અંદરની તરફ નમેલો હોય તો ઘરમાં સમસ્યા આવે છે. જ્યારે બહારની તરફ નમેલો રહેતો હોય તો ઘરનો માલિક હંમેશા ઘરની બહાર રહે છે. વિદેશ સાથે જોડાયેલા વેપાર અથવા માર્કેટિંગના કામ સાથે જે લોકો સંકળાયેલા હોય છે તે લોકોએ ઘરનો દરવાજો થોડો બહારની તરફ નમેલો રાખશે તો તેનાથી તેમને ફાયદો થશે. અન્ય લોકોએ દરવાજાને કોઈ પણ જગ્યાએ નમેલો ન રાખવો જોઈએ.

મુખ્ય દરવાજો હમેશાં અંદરની તરફ જ ખુલવો જોઇએ. દરવાજાનું બહારની દિશા બાજુ ખુલવું શુભ માનવામાં આવતું નથી. આવું થવાથી ઘરના સભ્યો હમેશાં બીમાર રહે છે અને ખર્ચાનું પ્રમાણ પણ વધે છે.ઘરનો મુખ્ય દરવાજો વધારે ઉંચો હોવા પર રાજદંડ એટલે કે, સરકારી મામલાઓમાં કોઈ આરોપ લાગી શકે છે અથવા સરકાર પાસેથી દંડ મળી શકે છે. આવા ઘરમાં રોગ વૃદ્ધિ પણ થઇ શકે છે.

ઘરનો મુખ્ય દરવાજો જમીન સાથે ઘસાઇને ખુલે તો તેને સારો સંકેત માનવામાં આવતો નથી. આ સંકતનો અર્થ થાય છે કે, તે ઘરના સભ્યોએ આર્થિક મામલાઓમાં સંઘર્ષ કરવો પડે છે. ધન કમાવવા માટે પરિશ્રમ પણ કરવો પડી શકે છે.વાસ્તુ વિજ્ઞાન મુજબ ઘરનો મુખ્ય દરવાજો વધારે પહોળો ન હોવો જોઇએ. વાસ્તુના નિયમ મુજબ દરવાજાની પહોળાઇથી ઠીક બે ગણી તેની લંબાઈ હોય તો આવા ઘરમાં ઉન્નતિ અને ખુશહાલી બની રહે છે. વધારે પહોળો દરવાજો રોગ અને ખર્ચ વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે.

જો દરવાજો જાતે ખુલતો હોય અથવા બંધ થતો હોય તો તેને સરખો કરાવો. વાસ્તુ વિજ્ઞાનના અનુસાર, પોતાની જાતે દરવાજો ખુલતો હોય તો માનસિક સમસ્યા વધે છે. જ્યારે પોતાની જાતે દરવાજો બંધ થાય છે ત્યારે ઘરના સભ્યો વચ્ચે કલેશ થાય છે. ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારે પથ્થરનો ઢગલો ન હોવો જોઈએ. તેનાથી શત્રુઓ વધે છે. દરવાજાની પાસે ડસ્ટબીન, પસ્તી અને ભંગાર ન રાખવું જોઈએ તેનાથી સફળતામાં અડચણો ઉભી થાય છે. તેમજ આર્થિક તંગી ઉભી થાય છે.ઘરના મુખ્ય દરવાજાની ઠીક પાછળ અને ઉપર દરવાજો હોવો જોઇએ નહીં. જો ઘરની બનાવટ આવી હશે તો જેવું ઘરમાં ધન આવશે તેવું જ તે જતું પણ રહેશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111379897
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now