જીવનમાં પ્રાપ્ત થનારા સુખ અને દુઃખનું પૂર્વાનુમાન હસ્તરેખાની મદદથી જાણી શકીએ છીએ. આપણી હથેળીમાં અનેક પ્રકારની રેખાઓ હોય છે અને આ રેખાઓથી અલગ-અલગ વાતોની ભવિષ્યવાણી કરવામાં આવે છે. હાથની જીવનરેખાનું અધ્યયન કરીને ઉંમર અને સુખ-દુઃખથી જોડાયેલી વાતો જાણી શકાય છે. જો હથેળીમાં એક રેખા ટૂટેલી હોય તો વ્યક્તિને મૃત્યુ સમાન કષ્ટ મળે છે. અહીં જાણો જીવન રેખાને જોઈને કઈ રીતે જાણવું ભાવિષ્ય અને સ્વભાવની વાતો.
ક્યાં હોય છે જીવન રેખા?
હથેળીમાં સામાન્ય રીતે ત્રણ મુખ્ય રેખાઓ મુખ્ય રીતે દેખાય છે. આ ત્રણ રેખાઓ જીવન રેખા, મસ્તિષ્ક રેખા અને હ્યદય રેખા એમાંથી જે રેખા અંગૂઠાની એકદમ નીચે શુક્ર પર્વતને ઘેરેલી હોય છે તે જ જીવન રેખા કહેવાય છે. આ રેખા ઈન્ડેક્સ ફિંગરની નીચે સ્થિત ગુરૂ પર્વતની આસપાસથી શરૂ થઈને હથેળીનો અંત મણિબંધ સુધી જાય છે. જો જીવન રેખા ટૂટેલી હોય અને તેની સાથે જ કોઈ અન્ય રેખા સમાન્તર રીતે ચાલી રહી હોય તો તૂટેલી જીવન રેખાનો અશુભ પ્રભાવ દૂર થઈ જાય છે.
આવી જીવનરેખા હોય છે અશુભ
આપણી હથેળીમાં જેવી જીવન રેખા હોય છે, આપણું જીવન એવું જ ચાલે છે. જો આ રેખાઓ અન્ય નાની-મોટી રેખાઓથી કપાયેલી કે ટૂટેલી હોય તો તેને અશુભ માનવામાં આવે છએ. જેટલી લાંબી જીવન રેખા હોય છે એટલું જ લાંબુ આપણું જીવન હોય છે.
લાંબી, ઘાટી, પાતળી અને સાફ જીવન રેખા શુભ હોય છે. જીવનરેખા પર ક્રોસનું નિશાન અશુભ માનવામાં આવે છે. જો જીવનરેખા શુભ હોય તો વ્યક્તિ લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે અને તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
-જો મસ્તિષ્તની રેખા (મસ્તિષ્ક રેખા અને જીવન રેખા લગભગ એક જ સ્થાનથી શરૂ થાય છે) અને જીવન રેખાના મધ્ય થોડું અંતર હોય તો વ્યક્તિ સ્વતંત્ર વિચારોવાળું હોય છે.
-જો મસ્તિષ્ક રેખા અને જીવન રેખાની વચ્ચે વધુ અંતર હોય તો વ્યક્તિ વિચાર્યા વિના કાર્ય કરનાર હોય છે.
જો બન્ને હાથોમાં જીવન રેખા ટૂટેલી હોય તો તે વ્યક્તિને કસમયે મૃત્યુ સમાન કષ્ટો ભોગવવા પડે છે. જો એક હાથમાં આ રેખા ટૂટેલી હોય અને અન્ય હાથમાં સરખી હોય તો આ બોબત કોઈ મોટી બિમારી તરફ ઈશારો કરે છે.
-જો જીવન રેખા, હ્યદય રેખા અને મસ્તિષ્ક રેખા ત્રણેય શરૂઆતમાં જ મળતી હોય તો તે વ્યક્તિ ભાગ્યહીન, દુર્બળ અને પરેશાનીઓથી ઘેરાયેલો હોય છે.
(હ્રદય રેખા ઈન્ડેક્સ ફિંગર અને મિડલ ફિંગરની આસપાસથી શરૂ થઈને સૌથી નાની આંગળી સુધી જાય છે)
જીવન રેખા જ્યાં-જ્યાં હારબદ્ધ હશે તે ઉંમરમાં વ્યક્તિ કોઈ બિમારીથી ગ્રસ્ત થઈ શકે છે.
-જો જીવનરેખાને કેટલીક નાની-નાની રેખાઓ ચીરીને નીચે તરફ જતી હોય તો આ રેખાઓ વ્યક્તિના જીવનમાં પરેશાનીઓને દર્શાવે છે. જો આ જ રીતે રેખાઓ ઉપરની તરફ જાય તો વ્યક્તિ સફળતાઓ પ્રાપ્ત કરે છે.
-જો જીવનમાં રેખા ગુરૂ પર્વતથી પ્રારંભ થઈ હોય તો વ્યક્તિ અતિમહત્વકાંક્ષી હોય છે. આ લોકો પોતાની ઈચ્છાઓ સંતોષતા કોઈપણ હદ પાર કરી શકે છે.
જો જીવનરેખમાં અંતમાં બે ભાગલા પડેલા હોય તો વ્યક્તિની મૃત્યુ જન્મ સ્થળથી દૂર થાય છે.
-જીવનરેખા પર વર્ગનો નિશાન હોય તો તે વ્યક્તિ જીવનની રક્ષા કરે છે. જ્યારે અન્ય નિશાન રોગ થવાનો ઈશારો કરે છે.
-જો બન્ને હાથમાં જીવન રેખા બહુ નાની હોય તો તે વ્યક્તિ અસ્પાયુ હોઈ શકે છએ.
-આયુષ્યના સંબંધમાં જીવનરેખાની સાથે જ સ્વાસ્થ્ય રેખા, હ્યદય રેખા, મસ્તિષ્ત રેખા અને અન્ય નાની-નાની રેખાઓ પર પણ વિચાર કરવો જોઈએ.