વાસ્તુ પ્રમાણે આ જગ્યા પર રાખો કાચબો
દરેક ઘરમાં સમસ્યા અલગ અલગ રીતે આવે છે. પરંતુ તેમાથી એક સમસ્યા ધનની છે. જોવામાં આવે તો ધનની પરેશાની દરેક લોકોને આવે છે અને આ કારણથી ઘરમાં અનેક સમસ્યાઓ થયા કરે છે. જેથી આજે અમે તમે ધનની સમસ્યાને ધ્યાનમાં રાખીને કેટલાક ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ જેને કર્યા બાદ તમે ધન સંબંધી સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
વાસ્તુશાસ્ત્ર મુજબ જણાવવામાં આવ્યું છે કે ધાતુથી બનેલા કાચબાને ઘરમાં રાખવો શુભ માનવામાં આવે છે. કારણકે કાચબો ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. જેથી કાચબાને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થઇ જાય છે. તો આવો જાણીએ કે ઘરમાં કાચબો રાખવાથી કયા કયા ફાયદા થાય છે.
કાચબો શાંત સ્વભાવનો હોય છે અને તેમની ચાલવાની ગતિ ધીમી હોય છે તથા તે દીર્ઘજીવી પ્રાણી હોય છે ફેંગસૂઇ મુજબ કાચબાને શુભ પ્રતીક માનવામાં આવે છે. જેથી કાચબાને ઘરમાં રાખવો જોઇએ. તેનું ઘરમાં રહેવાથી સકારાત્મક ઉર્જ રહે છે. બીમાઓ પણ દૂર ભાગે છે. વાસ્તુ મુજબ ઘાતુની બનેલી કે સ્ફટિકથી બનેલા કાચબાને ઘરમાં રાખવા જોઇએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કાચપબાને ઉત્તરદિશષામાં રાખવા જોઇએ. આ જગ્યા કાચબાને રાખવાથી ધન લાભ થાય છે જો તમે કોઇ વ્યવસાય કરતા હોય કે તમારી ઓફિસ હોય તો તમે ઓફિસના વ્યવસાયના સ્થાન પર કાચબાનું ચિત્ર લગાવી કે પછી કોઇ ધાતુથી બનાવેલા કાચબાને રાખી શકો છો.