Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
આ ચમત્કારી હનુમાન મંદિરના દર્શન કરવાથી પૂરી થાય છે બધી ઈચ્છાઓ
હનુમાનજી એક એવા ભગવાન છે જે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. હનુમાનજી આજે પણ પૃથ્વી પર નિવાસ કરે છે. 31 માર્ચે હનુમાન જંયતી છે તેવામાં આજે અમે તમને કેટલાંક ચમત્કારી હનુમાન મંદિર વિશે જણાવીશું જ્યાં જવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂરી થાય છે.
સંકટમોચન મંદિર :
હનુમાનજીનું આ મંદિર વારાણસીમાં આવેલું છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ ગોસ્વામી તુલલીદાસના તપ અને પ્રતાપથી પ્રગટ થઈ છે. દર્શન કરવાથી હનુમાનજી પોતાનાં તમામ ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે.
ઉલટે હનુમાનજીનું મંદિર :ઈન્દોરમાં આવેલા ઉલટા હનુમાનજીના મંદિરની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં હનુમાનજીની ઉંધી પ્રતિમાં છે. અહીં એવી માન્યતા છે કે અંહીથી કોઈ પણ ભક્ત ખાલી હાથે નથી જતો.
હનુમાન ધારા મંદિર :
હનુમાનજીનું આ મંદિર ચિત્રકૂટમાં આવેલું છે. અહીં હનુમાનજીની વિશાળ મૂર્તિની પાસે બે મોટા જળ કુંડ છે. અંહી ભક્તોની બધી મનોકામનાઓ પૂરી થાય છે.
હનુમાન મંદિર, ઈલાહાબાદ :
હનુમાનજીનું આ મંદિર સંગમ કિનારા પર આવેલું છે. આ ભારતનું એક માત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજીની 20 ફૂટની પ્રતિમા છે. આ મંદિરમાં હનુમાનજીનાં દર્શન કરવાથી તમામ સમસ્યાઓ દૂર થશે.
હનુમાનગઢી મંદિર, અયોધ્યા :
આ મંદિર હનુમાનગઢીના નામથી પ્રખ્યાત છે. આ મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા માટે 60 પગથિયા ચઢવાના હોય છે. અંહી ભક્તોની બધી મનોકામનાઓ પૂરી થાય છે.