Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Three Jyotishiy Measure Which Solve Your All Problems

શ્રીગણેશ અને માતા દૂર્ગાના 3 ઉપાય દૂર કરે છે, દરેક બાધા અને સમસ્યા!

અહીં જણાવવામાં આવેલાં જ્યોતિષ 3 ઉપાયોથી કુંડળીના ગ્રહ દોષ શાંત થઇ શકે છે અને આ દોષને કારણે આવી રહેલી બાધાઓ દૂર થઇ શકે છે.

1- કલૌ ચંડી વિનાયકો (કળયુગમાં શ્રી ગણેશ અને માતા દુર્ગા ખૂબ જ ઝડપથી સિદ્ધિ પ્રદાન કરે છે) તેમની પૂજાથી જલ્દી જ ફળ પ્રાપ્ત થાય છે. એટલે શ્રીગણેશ અને માતા દૂર્ગાની આરાધના કરવી.

2- નવાર્ણ મંત્રના 11 હજાર જાપ કરવાં તથા બે કન્યાઓને ભોજન કરાવડાવવું. કાર્યોમાં આવી રહેલી બાધાઓ દૂર થઇ શકે છે.

નવાર્ણ મંત્રઃ-ऊं ऐं क्लीं चामुंडायै विच्चे।

3- ગણપતિ ષડવિનાયકોના નામનો જાપ કરવો. સાથે જ, સાત દિવસ સુધી ગણેશજીની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો. પૂજન કરી 21 દૂર્વાને દરરોજ અર્પણ કરવી.

ષડવિનાયકોના નામઃ ऊं मोदाय नम:, ऊं प्रमोदाय नम:, सुमुखाय नम:, ऊं दुर्मखाय नम:, ऊं अविध्यनाय नम: ऊं विघ्नकरत्ते नम:

આ પાઠ દરરોજ 108 વાર કરવો. ત્યાર પછી 8 બ્રાહ્મણોને આઠમાં દિવસે ભોજન કરાવડાવવું.

સાવધાનીઃ-

-અહીં આપેલાં મંત્રોનો જાપ યોગ્ય ઉચ્ચારણની સાથે જ કરવો જોઇએ. નહિતો ઉપાય નિષ્ફળ થઇ શકે છે. જો મંત્રોનું ઉચ્ચારણ યોગ્ય રીતે નથી થઇ શકતું તો કોઇ બ્રાહ્મણથી આ મંત્રનો જાપ કરાવી શકો છો.

- પૂજન કરતી સમયે સાફ-સફાઈ, વિધિ અને સામગ્રીનું પૂર્ણ ધ્યાન રાખવું.

- તમારું આચરણ અને વિચાર પવિત્ર બનાવી રાખવું. અધાર્મિક કર્મોથી દૂર રહેવું.

-અહીં આપેલાં ઉપાયોની સાથે જ પરેશાનીઓ દૂર કરવા માટે વ્યક્તિગત પ્રયાસ પણ કરતાં રહેવું જોઇએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111346673
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now