Gujarati Quote in Religious by Kavita Gandhi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*Really Nice Msg..👇*
--------------------
*પૂજા મૂર્તિ ની કરીએ છીએ કે ભગવાન ની ?*

એક ભાઈ ખૂબ ધાર્મિક હતા...

ઘર માં એક સરસ મજા નું નાનું મંદિર બનાવેલું....

એમાં ભગવાન ની મૂર્તિ પધરાવી ને તેની સવાર-સાંજ પૂજા કરતા હતા...

*ભગવાન કૃષ્ણ પ્રત્યે એમને અપાર શ્રદ્ધા આથી મુરલીધર ની મૂર્તિ ની પૂજા કરતા હતા...*

એકવાર કોઈ મોટી નાણાકીય મુશ્કેલી આવી......

એણે ઘર મંદિર માં રહેલી મૂર્તિ સમક્ષ મુશ્કેલીના નિવારણ માટે પ્રાર્થના કરી..

સમસ્યાનો નિવેડો આવવા ને બદલે સમસ્યા વધતી ચાલી..

દિવસે દિવસે આ ભાઈ ને ભગવાન પ્રત્યે ની શ્રદ્ધા ઘટવા લાગી....

*ભગવાન કૃષ્ણ કંઈ કામ કરતા નથી એવી માન્યતા દ્રઢ થઈ એટલે એણે નક્કી કર્યું કે જે મારી મુશ્કેલી ના સમયે મને મદદ ન કરે એની પૂજા મારે શા માટે કરવી જોઈએ ?*

ભગવાન કૃષ્ણ ની મૂર્તિ મંદિર માં થી દૂર કરી અને ભગવાન રામને પધરાવ્યા

હવે એ ભગવાન રામ ની મૂર્તિ ની પૂજા કરવા લાગ્યો..

એક દિવસ સવાર માં ભગવાન રામ ની મૂર્તિ ની પહેરાવેલા કપડા પર એ ભાઈ અત્તર છાંટતા હતા... અત્તર ખૂબ સારું હતું. અત્તર છાંટતા છાંટતા એમનું ધ્યાન મંદિર માં થી દૂર કરેલી અને ઘર ના ખૂણા માં રાખી મૂકેલી કૃષ્ણ ની મૂર્તિ તરફ ગયું....

*એ ભાઈ ઊભા થયા અને કૃષ્ણ ની મૂર્તિ ના નાક માં રૂ ભરાવી દીધું અને પછી બોલ્યો _ કંઈ કામ તો કરતા નથી તો પછી આ અત્તર ની સુગંધ મફત માં નહીં મળે _*

ભગવાન કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને મૂર્તિ માં થી પ્રગટ થયા. પેલો ભક્ત તો જોઈ જ રહ્યો. એણે ભગવાન ને ફરિયાદ કરી, “ આટલાં વર્ષો થી તમારી પૂજા કરતો હતો પણ કોઈ દિવસ મને દર્શન નથી આપ્યાં અને હવે તમારી પૂજા બંધ કરી ત્યારે કેમ દર્શન દીધાં ? ”

ભગવાને હસતાં હસતાં કહ્યું, “અત્યાર સુધી તું મને *માત્ર મૂર્તિ જ* સમજતો હતો પણ આજે પહેલી વાર મને પણ અત્તરની સુગંધ આવતી હશે એમ માનીને તે મને મૂર્તિને બદલે જીવંત સમજ્યો.”

*મિત્રો આપણે પણ આપણી જાતને સવાલ પૂછવા જેવો છે કે મંદિર માં આપણે માત્ર મૂર્તિ નાં દર્શન કરવા જઈએ છીએ કે સાક્ષાત પ્રભુ ને મળવા જઈએ છીએ ?*

*જો સંપૂર્ણ એમના પર વિશ્વાસ રાખશું તો હંમેશા સાથે જ છે બસ આપણો વિશ્વાસ અતૂટ હોવો જોઈએ*

*મંદિરે જાવ એટલે ભગવાન સાથે વાત કરજો ને એમની વાત સાંભળવા માટે પણ ઉભા રહેજો એ જરૂર થી જવાબ આપશે જ.....*

*ચેક કરજો ચોક્કસ જવાબ મળશે*

🙏🏻🙏🏻🙏🙏

Gujarati Religious by Kavita Gandhi : 111343805
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now