Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અહીં થાય છે ભોલેનાથના અંગૂઠાની પૂજા, મહાશિવરાત્રિ પર દૂર દૂરથી ભક્તો ઉમટી પડે

શિવજીનો મહિમા અપરંપાર છે. ભોલેનાથને ભક્તો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી પૂજે છે. આજે આપણે આવા જ એક મંદિરની વાત કરીશું જ્યાં દૂર દૂરથી ભક્તો આવે છે ભોલેનાથના શરણે, પૂર્ણ થાય છે તમામ મનોકામના. માઉંટ આબૂ નજીક અચલગઢ નામનું સ્થાન આવેલું છે. અહીં શિવજીનું વિશાળ મંદિર આવેલું છે. આ મંદિરની ખાસિયત એ છે કે તેમાં શિવજીના જમણા પગના અંગૂઠાની પૂજા થાય છે. આજે જાણીએ આ મંદિરનું મહત્વ.

અચલેશ્વર મંદિર

અચલગઢના પર્વત પાસે આવેલા કિસ્સા નજીક અચલેશ્વર મંદિર આવેલું છે. અહીં મંદિરમાં ભગવાન શિવના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. આ પહેલું એવું સ્થાન છે જ્યાં ભગવાન શિવની પ્રતિમા કે શિવલિંગની નહીં પગના અંગૂઠાની પૂજા થાય છે. અચલેશ્વર મહાદેવનું મંદિર રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુથી 10 કિલોમીટર દૂર આવેલું છે અને આ મંદિર અચલગઢની પર્વતમાળા પર બનેલા એક કિલ્લાની પાસે છે.

લોકોની એવી માન્યતા છે કે ભગવાન શિવના અંગુઠા પર આ પર્વત ટકેલો છે અને જે દિવસે મંદિર માં બનેલા ભગવાન શિવના અંગૂઠાનું નિશાન લુપ્ત થઇ જશે, એ દિવસે આ પર્વતનો પણ નાશ થઇ જશે. ભગવાન શિવના આ અંગુઠાના નિશાનની પાસે જ એક કુંડ પણ બનેલો છે અને આ કુંડ ખાસ છે. કારણકે આ કુંડ ક્યારેય ભરાતો નથી.

શું છે માન્યતા

એવું માનવામાં આવે છે કે અહીંના પર્વત ભગવાન શિવના અંગૂઠાના કારણે ટકેલા છે. જો શિવજીના અંગૂઠો ન હોત તો આ પર્વતો નષ્ટ થઈ જાય છે. ભગવાન શિવે અંગૂઠાની પૂજા સાથે અન્ય ચમત્કારો પણ પ્રચલિત થયા છે. ભગવાન શિવના અંગૂઠા નીચે એક પ્રાકૃતિક ખાડો છે. માનવામાં આવે છે કે તેમાં ગમે તેટલું પાણી ઉમેરો તે ભરાતો નથી. આ પાણી ક્યાં જાય છે કોઈને ખબર નથી.

શિવજીએ પર્વતને હલતા અટકાવ્યા હતા

પૌરાણિક કથાઓ અનુસાર એક વાર અર્બુદ પર્વત પર આવેલા નંદીવર્ધન હલવા લાગ્યો હતો. તેનાથી હિમાલય પર તપ કરતાં ભગવાન શિવની તપસ્યામાં ખલેલ પહોંચી હતી. ભગવાન શિવએ હિમાલયથી જ પોતાના અંગૂઠાને અર્બુદ પર્વત સુધી પહોંચાડી દીધો અને પર્વતને હલતો અટકાવ્યો હતો.

આ મંદિરમાં ચંપાનું એક વિશાળ ઝાડ પણ છે. આ ઝાડને જોઈ મંદિર કેટલું જુનું છે તેનો અંદાજ લગાવી શકાય છે. મંદિરમાં ડાબી તરફ બે સભાખંડ છે. તેની શિલ્પકલા જોવા માટે પણ અહીં લોકો દૂર દૂરથી આવે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111343597
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now