Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

How To Make Happy Navgrah, Single Mantra For All Planets

રાહુને ખૂશ લીલા રંગનાં પુષ્પોથી પૂજા કરો, નવગ્રહ શાંતિ માટેના વિવિધ ઉપાયો

જૈન જ્યોતિષમાં પણ મંત્ર જાપના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ ઉપાયો જેટલા સરળ છે તેટલા જ અસરકારક છે.

જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહો જ્યારે કનડગત કરતા હોય ત્યારે કયા ઉપાયો અજમાવીને તેમાંથી છુટકારો મેળવી શકાય તેના ગ્રહો અનુસાર ઉપાયો વર્ણવવામાં આવ્યા છે. ગ્રહો અશાંત હોય ત્યારે જાતકે અનેક પ્રકારની મુશ્કેલીઓ અને કષ્ટોમાંથી પસાર થવું પડે છે. જેમ કે આર્થિક મુશ્કેલી, સંતાનપ્રાપ્તિમાં બાધાઓ, બીમારી, સમાજ કે પારિવારિક સંબંધો બગડવા, માનસિક ચિંતા કે તણાવ, નોકરી અને વેપાર-વ્યવસાયમાં આ‌વતી મુશ્કેલીઓ વગેરે.

જાતકના જીવનમાં ગ્રહજનિત કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ કે કષ્ટો હોય ત્યારે તે તેમાંથી બહાર નીકળવાના માર્ગ શોધે છે. જ્યોતિષશાસ્ત્રમાં રત્નધારણ, દાન, ગ્રહ પૂજન, મંત્ર જાપ સહિત અનેક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે. તે જ રીતે જૈન જ્યોતિષમાં પણ મંત્ર જાપના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ ઉપાયો જેટલા સરળ છે તેટલા જ અસરકારક છે.

સૂર્ય: આ ગ્રહ પીડાદાયક ગણાય ત્યારે પરમતારક શ્રી પદ્મપ્રભુ સ્વામીજીની પૂજા લાલ રંગનાં પુષ્પોથી કરવી અને ૐ હ્રીઁ અહઁ શ્રીં પદ્મપ્રભ સ્વામી સેવકાયથી શ્રી સૂર્યાય નમ: મંત્રના દરરોજ 108 વખત લાલ રંગની માળા દ્વારા જાપ કરવા. તેનાથી શરીરપીડા, રોગ વગેરે દૂર થાય છે અને ધનહાનિ થતી અટકે છે.

ચંદ્ર: આ ગ્રહ પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી ચંદ્રપ્રભુ સ્વામીજીની પૂજા સફેદ રંગનાં પુષ્પોથી કરવી અને ૐ હ્રીઁ અહઁ શ્રી ચંદ્રપ્રભ સ્વામી સેવકાય શ્રી ચંદ્રાય નમ: મંત્રના દરરોજ 108 વખત સફેદ રંગની માળાથી જાપ કરવા. તેનાથી ચિંતા, મોહભય, ચંચળતા, અસ્થિરતા વગેરે દોષો દૂર થાય છે.

મંગળ: આ ગ્રહ જ્યારે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી વાસુપૂજ્ય સ્વામીજીની પૂજા લાલ રંગનાં પુષ્પોથી કરવી અને ૐ હ્રીઁ અહઁ શ્રી વાસુપૂજ્ય સ્વામી સેવકાય શ્રી મંગલાય નમ: મંત્રના 108 વખત લાલ રંગની માળા દ્વારા જાપ કરવાથી શરીરની પીડા, મિત્રો સાથે વિરોધ, શત્રુનો ભય, પરિવાર ક્લેશ દૂર થાય છે.

ગુરુ: આ ગ્રહ પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી આદિનાથ પ્રભુજીની પૂજા પીળા રંગનાં પુષ્પોથી કરવી અને ૐ હ્રીઁ અહઁ શ્રી આદિનાથ સેવકાય શ્રી ગુરવે નમ: મંત્રના જાપ 108 વખત કરવાથી સ્નેહીજનો સાથે થયેલો વિરોધ, ઇષ્ટ કામોમાં આવતા અવરોધોનો નાશ થાય છે.

શુક્ર: આ ગ્રહ જ્યારે પીડાકારક જણાય ત્યારે પરમતારક શ્રી સુવિધિનાથ પ્રભુની પૂજા સફેદ પુષ્પોથી કરવી અને ૐ હ્રીઁ અહઁ શ્રી સુવિધિનાથ સેવકાય શ્રી શુક્રાય નમ: મંત્રના દરરોજ 108 વખત સફેદ રંગની માળા ઉપર જાપ કરવા તેનાથી આર્થિક તંગી દૂર થાય. ધારેલાં કાર્યોમાં સફળતાઓ, ઉત્સાહ વધે.

શનિ: આ ગ્રહ પીડાકારક ગણાય ત્યારે શ્રી મુનિસુવ્રત સ્વામીજીની પૂજા લીલા રંગનાં ફૂલોથી ભાવપૂર્વક કરવી અને ૐ હ્રીઁ અહઁ શ્રી મુનિસુવ્રત સ્વામી સેવકાય શ્રી શનૈશ્વરાય નમ: મંત્રના 108 જાપ કાળા રંગની માળા દ્વારા કરવાથી

દ્રવ્યહાનિ, ક્લેશ, અશાંતિ, બીમારી, દુ:ખ વગેરે દૂર થાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111338842
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now