Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાણો શું કહે છે તમારા લગ્નની રેખા, લગ્ન થશે કે પછી રહેવું પડશે કૂવારું

કહેવાય છે કે જીવનમાં કોઇનો સાથ લેવો અથવા ના લેવો, તે બધું જ વ્યક્તિના પોતાના ભાગ્યમાં જ લખીનેજ આવે છે અને આ ભાગ્ય લખાયેલું હોય છે પોતાની હસ્ત રેખામાં. જેના લીધે ઘણાં લોકોનું લગ્નજીવન ખુશીમાં રહે છે તો ઘણાં પોતાના લગ્નજીવનથી પરેશાન રહે છે. કેટલાક એવા પણ લોકો છે જેને સાથી નથી મળતો. ત્યારે સમુદ્ર શાસ્ત્રમાં આ બધાનો જવાબ છૂપાયેલો છે. શાસ્ત્રમાં હથેળીની આ રેખા અંગે જણાવામાં આવ્યું છે જેના લીધે વ્યક્તિના લગ્ન નથી થતાં.
લગ્ન રેખા હથેળીમાં સૌથી નાની આંગળની નજીક હોય છે. જેની હથેળીમાં આ રેખા હૃદય રેખાની તરફ વધેલી હોય છે અને આગળ જઇને આ રેખાથી બે-ત્રણ રેખા નીકળી રહી હોય છે તો આ લગ્નજીવન માટે સુખી નથી હોતી. જેની હથેળીમાં આવી રેખા હોય છે તેને લગ્નજીવનનું સુખ નથી મળી શકતું, કારણ કે આવા વ્યક્તિના દાંપત્ય જીવનમાં પરસ્પર મતભેદ અને પ્રેમની કમી રહે છે.

સમુદ્ર શાસ્ત્રના અનુસાર જેની હથેળીમાં લગ્નજીવન રેખા હૃદય રેખાની તરફ વધું ઝુકેલી હોય છે તેનું દાંપત્ય જીવન ખુબ જ કષ્ટદાયક હોય છે. માનવામાં આવે છે કે આવી લગ્ન રેખા યુવતીની હથેળીમાં હોવા પર પત્નીને પતિનો વિયોગ સહન કરવો પડે છે. જો યુવકની હથેળીમાં આવી રેખા હોય તો તેને જીવનભર પત્નીનો સાથ નથી મળતો.

લગ્ન રેખા જો વધીને નાની આંગળની ત્રીજી તેમજ બીજી તરફ પહોચી જાય છે તો આ લગ્નજીવન માટે વધુ અશુભ માનવામાં આવે છે. આ રીતની લગ્ન રેખા ખુબ જ ઓછા લોકોની હથેળીમાં જોવા મળે છે પરંતુ જેની હથેળીમાં આવી લગ્ન રેખા હોય છે તેને જીવનભર કુંવારા રહેવું પડશે. આવા વ્યક્તિમાં વિવાહની ઇચ્છા નથી રહેતી. જો લગ્નની ઇચ્છા કરે પણ કોઇને કોઇ કારણથી લગ્નનો સંયોગ બની નથી શકતો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111325913
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now