Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અનેક માન્યતાઓ, પરંપરાઓ, શુકન-અપશુકન બતાવવામાં આવ્યા છે. જો કે આજના સમયમાં ઘણા લોકો શુકન અને અપશુકનને અંધવિશ્વાસ માને છે, પરંતુ પ્રાચીન સમયમાં આ વાતોનું ખાસ મહત્વ હતું. જો શુકન-અપશુકનની માન્યતા ઉપર વિશ્વાસ કરવામાં આવે છ

શુકન-અપશુકનનું પાલન કરવાથી વ્યક્તિને બધા સુખ-સમૃદ્ધિ ને ધન-દોલત પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં ઝાડુ જેવી સમાન્ય વસ્તુ માટે પણ અનેક શુકન અને અપશુકન બતાવવામાં આવ્યા છે. ઝાડુની આ વાતોની સીધી અસર આપણી આર્થિક સ્થિતિ ઉપર પણ પડે છે.

જો તમે ધન સંબંધી પરેશાનીઓનો સામનો કરી રહ્યા હોવ તો કોઈપણ શુભ દિવસે ઝાડુનો આ ઉપાય કરો. જે દિવસે આ ઉપાય કરવા માગતા હોવ તે પહેલા એક દિવસ પહેલા જ ત્રણ ઝાડુ બજારમાંથી ખરીદી લઈ આવો અને આ ત્રણ ઝાડુને કોઈ મંદિરમાં સાવાર-સવારમાં રાખી આવો. આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે મંદિરમાં ઝાડુ રાખતી વખતે કોઈ જોઈ ન જાય. મંદિરમાં ઝાડુ રાખીને ચુપચાપ પોતાના ઘરે પાછા આવી જાઓ, પાછળ ફરીને ક્યારેય જોવું નથી. પછી જુઓ થોડા જ દિવસોમાં તમારું કિસ્મત કેવી પલ્ટી મારે છે.
-શાસ્ત્રોમાં ઝાડુને મહાલક્ષ્મીનું જ સ્વરૂપ બતાવ્યું છે, કારણ કે તે આપણા ઘરમાંથી ગંદકી અને દરિદ્રતાને બહાર કાઢે છે. તેને લીધે જ ઝાડુનો પણ ક્યારેય નિરાદર ન કરવો જોઈએ. ક્યારેય પણ આપણા પગ ઝાડુને ન લગાવવા જોઈએ. તે અપશુકન માનવામાં આવે છે. એમ થાય તો મહાલક્ષ્મી રિસાઈ જાય છે.

-ઝાડુને ક્યારેય સળગાવવું પણ ન જોઈએ.

-પ્રાચીન સમયથી જ પરંપરા રહી છે કે દિવાળીના દિવસે ઝાડુ ચોક્કસ ખરીદવું જોઈએ. આને લીધે જ આજે પણ દિવાળી ઉપર ઝાડુ બધા લોકો ખરીદે છે. આ ઝાડુ આખુ વર્ષ ઘરની સાફ-સફાઈ કરવામાં આવે છે. આ બાબતમાં એવું માનવામાં આવે છે કે દિવાળી ઉપર નવું ઝાડુ લેવુ

આપણે જ્યારે પણ કોઈ નવા ઘરમાં પ્રવેશ કરીએ, તે સમયે નવું ઝાડુ લઈને જ અંદર જવું જોઈએ. તે શુભ શુકન માનવામાં આવે છે. તેનાથી દેવી-દેવતાઓની કૃપા આપણા ઘર ઉપર બની રહે છે. નવા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને બરકત બની રહે છે.

-જો ઘરમાં કોઈ નાનકડું બાળક હોય અને તે અચાનક ઝાડુ કાઢવા લાગે તો સમજી જવું જોઈએકે કોઈ તમારા ઘરમાં મહેમાન આવવાના છે.

હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે એકદમ સૂર્યાસ્તના સમયે ઝાડુ ન કાઢવું જોઈએ. એમ કરવાથી દરિદ્રતા ઘરમાં આવે છે અને મહાલક્ષ્મી તમારા ઘરમાંથી જતી રહે છે. સૂર્યાસ્ત પહેલા જ ઘરની સારી રીતે સાફ-સફાઈ કરી લેવી જોઈએ, કારણ કે સૂર્યાસ્તના સમયે મહાલક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે અને જે ઘરોમાં સાફ-સફાઈ અને પવિત્રતા હોય છે ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે.

ઝાડુને ક્યારેય પણ ઘરની બહાર કે છત ઉપર ન રાખવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે ઝાડુને હંમેશા એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાંથી દેખાય નહીં. અથવા છુપાવીને જ રાખવું જોઈએ.

-ક્યારેય પણ ગાય કે અન્ય જાનવરને ઝાડુથી મારીને ભગાવવું ન જોઈ. તે ભયંકર અપશુકન હોય છે. એમ કરવાથી મહાલક્ષ્મી તમારા ઘરેથી ચાલી જાય છે.

કોઈપણ સદસ્ય કોઈ ખાસ કામેથી ઘરેથી નિકળી રહ્યું હોય તો તેને તરત જ ગયા પછી ઝાડુ ન લગાવવું જોઈએ. એમ કરવાથી તે વ્યક્તિને અસફળતાનો સામનો કરવો પડી શકે છે.

-ઝાડુને ભોજન કક્ષમાં કે જ્યાં આપણે ભોજન કરીએ છીએ ત્યાં ન રાખવું છે. તેનું વૈજ્ઞાનિક તર્ક એ છે કે ભોજનના સ્થાને જો ઝાડુ રાખવામાં આવે તો ઝાડુમાં ચિપકેલા નુકસાનકારક સૂક્ષ્મ કિટાણુ ભોજનની સાથે જ આપણા શરીરમાં પ્રવેશ કરી શકે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111322112
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now