દર બુધવારે કરો આ મંત્રનો જાપ દૂર થશે દુ:ખ અને દરિદ્રતા
ગણેશજીની આરાધનાથી અર્થ, વિદ્યા, બુદ્ધિ, વિવેક, યશ, પ્રસિદ્ધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે વિધ્નહર્તા ગજાનંદના આ મંત્રો પણ એટલા જ ચમત્કારી છે. આ મંત્રોનો રોજ જાપ કરવામાં આવે તો કોઈપણ પ્રકારની સમસ્યા હોય, સંકટ હોય કે પછી ધનનો અભાવ આ તમામનું તુરંત નિવારણ થઈ જાય છે.
ગણપતિજીનો બીજ મંત્ર ‘ॐ ગં ગણપતયે નમ:’નો જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. તેવી જ રીતે ગણેશજીના અન્ય મંત્રો પણ આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે. તો જાણી લો કયા કયા છે આ મંત્ર
– માણસનો તેના મન પર અને તેની ઈચ્છાઓ પર કાબૂ નથી હોતો, એટલા માટે જ અનેકવિધ કામનાઓથી વ્યક્તિ હંમેશા ઘેરાયેલી રહે છે. આવી જ વિવિધ કામનાઓની પૂર્તિ માટે ઉચ્છિષ્ટ ગણપતિની સાધના કરવી જોઈએ. આ સાધના અક્ષય ભંડાર પ્રદાન કરે છે. તેના માટે નીચે આપેલા મંત્રનો જાપ કરવો.
ॐ હસ્તિ પિશાચિ લિખે સ્વાહા
– આળસ, નિરાશા, ક્લેશ, વિધ્નને દુર કરવા માટે વિધ્નરાજ રૂપની આરાધના કરવી જોઈએ.
ગં ક્ષિપ્રપ્રસાદનાય નમ:
– વિધ્નને દુર કરવા માટે તેમજ ધન અને આત્મબળ વધારવા માટે હેરમ્બ ગણપતિના મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે.
ॐ ગં નમ:
– રોજગાર પ્રાપ્તિ અને આર્થિક વૃદ્ધિની ઈચ્છા હોય તો લક્ષ્મી વિનાયક મંત્રનો જાપ કરવો.
ॐ શ્રીં ગં સૌમ્યાય ગણપતયે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા
લગ્નમાં જો નડતર સમસ્યાઓને દુર કરવા માટે ત્રૈલોક્ય મોહન ગણેશ મંત્રનો જાપ કરવાથી શીઘ્ર લાભ થાય છે. તેમજ યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય છે.
ॐ વક્રતુળ્ડૈક દંષ્ટ્રાય ક્લીં હ્રીં શ્રીં ગં ગણપતે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા
આ મંત્ર ઉપરાંત ગણપતિ ચાલીસા, સંકટમોચન ગણેશ સ્તોત્ર, ગણેશકવચ, સંતાન ગણપતિ સ્તોત્ર, ઋણહર્તા ગણેશ સ્તોત્ર, ગણેશકવચનો પાઠ કરવાથી ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.