This Line In Your Hand Tells About Your Secret Love Or One Sided Love
One sided અથવા Secret loveનું રહસ્ય ખોલે છે હાખની આ રેખા !
-હ્રદય રેખા પર આ નિશાન દર્શાવે છે એક તરફી પ્રેમ
-હ્રદય રેખાની કેવી સ્થિતિમાં દબાયેલી રહે થે પ્રમ ભાવના
હાથની રેખાઓ ઘણા રહસ્યો તરફ સંકેત કરે છે. જેનાથી તમારો પ્રેમ સ્વાર્થી છે કે, સાચો તેનો અંદાજો લગાવી શકાય છે. હાથની રેખાઓ ગુપ્ત પ્રેમ સંબંધો વિશે શું કહે છે? તે આજે અમને તમને આ લેખમાં જણાવીશું.
હ્રદય રેખાની આ સ્થિતિ હોય તો ગુપ્ત પ્રેમ સંબંધ હોઇ શકે છેઃ-
-હાથમાં મળી આવતી હ્રદય રેખા બુધ પર્વત પર જો ગાયની પૂંછળી જેવો આકાર બનાવતી હોય, તો તે ઉંડા પ્રેમ સંબંધને દર્શાવે છે. આવા વ્યક્તિ પોતાના પ્રેમ સંબંધને ગુપ્ત રાખવામાં સફળ પણ રહે છે.
હ્રદય રેખા બુધ પર્વતની નીચે મળી આવે છે. હથેળીમાં બુધ પર્વત સૌથી નાની આંગળીની નીચે સ્થિત હોય છે. બુધ પર્વતથી નિકળીને આ રેખા તર્જની અને મધ્યમાં આંગળીની વચ્ચે સુધી જાય છે. વધારે લાંબી હોવાથી આ રેખા ગુરૂ પર્વત સુધી પહોંચે છે જે તર્જની આંગળીની નીચે સ્થિત હોય છે.
આગળ જાણો હ્રદય રેખા પર આ નિશાન દર્શાવે છે એક તરફી પ્રેમ....
-હ્રદય રેખા પર આ નિશાન દર્શાવે છે એક તરફી પ્રેમઃ-
હ્રદય રેખા પર તંબુ(ટેન્ટ)નું નિશાન હોય તો પ્રેમ એક તરફી હોય છે. હ્રદય રેખા પર જેટલી વધારે વાર આ નિશાન હોય. તેટલી જ વાર વ્યક્તિ એક તરફી પ્રેમમાં ફસાયેલ રહી શકે છે.
-હ્રદય રેખાની કેવી સ્થિતિમાં દબાયેલી રહે થે પ્રમ ભાવનાઃ-
હ્રદય રેખા તર્જની અને મધ્યમાંથી શરૂ થઇ રહી હોય તો તે ખૂબ જ મુશ્કેલ પરિશ્રમ કરાવી શકે છે. આવા વ્યક્તિની હ્રદયની ભાવના હ્રદયમાં જ રહી જાય છે.
તર્જની આંગળીને ઇન્ડેક્સ ફિંગર તરીકે પણ ઓળખી શકાય છે. મધ્યમાં આ બીજી આંગળી છે. જેને મિડલ ફિંગર તરીકે પણ ઓળખી શકાય છે.
આગળ જાણો હ્રદય રેખા જો સૂર્ય પર્વત પર જાય તો કેવી અસર પડી શકે છે.
હ્રદય રેખાની આ સ્થિતિ જગમાં પ્રસિદ્ધિ અપાવી શકે છેઃ-
જો સૂર્ય પર્વત ઉભરેલો અને ભરાવદાર હોય. હ્રદય રેખાથી એક રેખા નિકળીને સૂર્ય પર્વત સુધી પહોંચતી હોય. તો પ્રેમ સંબંધમાં સફળતા મળી શકે છે. સાથે જ, આ પ્રેમથી જગતમાં પ્રસિદ્ધિ પણ પ્રાપ્ત થઇ શકે છે.
સૂર્ય પર્વત અનામિકા આંગળીની નીચે સ્થિત હોય છે. અનામિકા ત્રીજી આંગળીને કહેવામાં આવે છે.
આગળ હ્રદય રેખા જો મસ્તિષ્ક રેખા તરફ નમી જાય તો કેવો પ્રભાવ પડે છે...
હ્રદય રેખાની આ સ્થિતિથી પ્રેમ હોય કે ના હોય કોઇ ફરક પડતો નથીઃ-
હ્રદય રેખા ગુરૂ પર્વત સુધી જાય છે. ગુરૂ પર્વત સુધી જઇને અડધું ગોળાકાર આકાર બનાવી રહી હોય જેમ કે, કોઇ અર્ધવૃત હોય. તો આ નિશાનની ઉપસ્થિતિ મનુષ્યને વૈજ્ઞાનિક વિચારધારા પ્રદાન કરે છે. આવા વ્યક્તિઓ ભાવુક હોતા નથી.
ગુરૂ પર્વત પહેલી આંગળી એટલે કે તર્જનીની નીચે સ્થિત હોય છે.
હ્રદય રેખાની આ સ્થિતિ જો બને તો વ્યક્તિ પરિવાર સાથે જોડાયેલ રહે છેઃ-
હ્રદય રેખાથી એક રેખા નિકળીને ગુરૂ પર્વત પર જઇ રહી હોય. બીજી રેખા નીકળીને મસ્તિષ્ક રેખા તરફ ઝુકી રહી હોય. પરંતુ મસ્તિષ્ક રેખાને સ્પર્શ ન થઇ રહી હોય. આ સ્થિતિ હોવાથી મનુષ્ય પોતાના પરિવાર સાથે ખૂબ જ લગાવ રાખે છે. હંમેશા તે પરિવાર સાથે બંધાઇને રહેવાનું પસંદ કરે છે.