આજે ગુજરાત રાજયમાં જો વધુ પ્રખ્યાત મંદિરો હોય તો તે છે અંબાજીનું મંદિર ને પાવાગઢનું કાળીકા મંદિર..આ બે મંદિર એવા છે કે વાર તહેવારે હજારો કહો કે લાખો કહો પણ એટલા બધા ભક્તો તેના દર્શન કરવા જાયછે જાણે રોડ કે રસ્તાઓ ઉપર કીડીઓની લાઇનો જતી હોય! આની પાછળ મુખ્ય કારણ એ છે કે તેમની શ્રધ્ધા વિશ્વાસ ને પ્રેમની ભાવના..માણસ કયારે વધુ મંદિરે જાય કે તેની મનોકામના એકવાર પુરી થઈ હોય..ત્યારબાદ તેને તે માતાજી ઉપર અતુટ વિશ્વાસ ને શ્રધ્ધા બેસી જાયછે પછી તેને ગમે તેટલી તકલીફો ચાલતા આવતી હોય પરંતું તે હોંશે હોંશે જાય જ છે જાણે માતાજીને બુલાયા હૈ તેવુ તેણે લાગે છે તેઓ સતત દર તહેવારે પછી તે પૂનમ હોય કે બીજા માતાજીના કોઇ પણ તહેવાર હોય પણ તે એકલો અથવા એક જુથ સાથે તે ચાલી નીકળી જાય છે..તમે વિચાર કરો કે બહુ પહેલા જમાનામાં લોકો આવા ચાલતા જતા ન હતા એસ ટી બસ કે કોઇ પોતાના સાધનથી તેઓ અંબાજી કે પાવાગઢ જતા પણ આજરોજ લોકો બે જોડ કપડા ને બીજા થોડા સરસામાન લઇને નીકળી પડે છે.. આવામાં ઘણા ખાલી દર્શન કરવા જતા હોય છે તો ઘણા તેમને રાખેલી બાધા પુરી કરવા પણ જતા હોયછે સાથે માતાજીને ધરાવા એક સાડી સાથે નાળિયેર દિવો ને એક પેકેટ અગરબતી લઇ જતા હોયછે આમ તો ત્યા આવી દરેક ચીજો મળી જતી હોયછે પણ ઘરેથી લઇ જવુ ઘણુ અગત્યનું ગણાય છે. કયારેક ત્યા મળતી સાડીઓ માતાજીને ચઢાવેલી જ પાછી દુકાનમાં વેચવા પાછી આવેછે માટે ઘરેથી લઇ જવી સારુ. રોજબરોજ માતાજીને હજારો સાડીઓનો ચઢાવો થતો હોયછે તો તમને વિચાર થશે કે આટલી બધી આવેલી સાડીઓનું મંદિરવાળા કરતા હશે શું! જી હા આ બધી આવેલ સાડીઓના વેચાણ માટે મંદિર તરફથી એક સ્ટોલ રાખવામાં આવેછે જયા લોકોને સસ્તા ભાવે પ્રસાદી રુપે તેનુ વેચાણ થાયછે. ઘણાલોકો એમ પણ કહેછે કે આવી પ્રસાદીરુપે મળેલી સાડી પહેરવાથી મનને ઘણો જ આનંદ ને સંતોષ મળતો હોયછે..ઘણા ભકતો આવી સાડીઓ ઘેર પહેરવા માટે લાવતા હોયછે તો ઘણા લોકો ઘેર વેચવા માટે પણ લાવતા હોયછે. ભલે જેની જેવી નિતી..કોઇ પહેરે તો કોઇ વેચીને બે પૈસો કમાય..આમ તો આવુ ચાલ્યા જ કરવાનું આપણે એક વાર માતાજીને સાડી માનતા નામે ચઢાવીએ પછી તેનુ શુ થાયછે તે આપણે જોવાની જરુર નથી જ.
પણ એક વાત ચોક્કસ જો તમારા મનમાં કોઇ એવી ઇચ્છા હોય ને જો તે સમયે પુરી થાય તો તમે પણ માતાજીને એક સાડી માનતાના નામે ચઢાવી શકોછો..પણ તેને માટે જરુરી નથી કે અંબાજી કે પાવાગઢ ચાલતા જ જવુ પડે..ગમે તેમ તમે જઇ શકોછો..બસ તમારી ચુદડી ત્યા પહોચવી પડે.માતાજી હાજરા હજુર છે ને તે દરેકની ચુદડી સ્વીકારે છે...જય માતાજી સૈનુ ભલુ કરો.