લોકો કહેછે કે કાળા માથાનો માનવી જે ધારે કે જે વિચારે તે દરેક ચીજ શકય કરી શકેછે કારણકે તેની અંદર કુદરતે મુકેલુ નાનુ કહો કે મોટુ તે છે તેનુ વિચારશીલ મગજ!
આજે આકાશમાં પક્ષીની જેમ પ્લેનો ઉડેછે દરિયામાં મોટી મોટી મહેલ જેવી ક્રુઝ ચાલેછે તેમજ દરિયાના પાણીની પણ અંદર સબમરીન ચાલેછે આ બધુ કોના થકી! માનવે જ બનાવયુંછે ચંદ્ ઉપર જતા આપણા ઉપગ્રહો કે મંગળ ઉપર જતા આપણા આધુનિક અવકાશયાન આ બધુ જ માનવ રુપી તો બનાવટનું હોયછે
તેમ કુદરત પણ તેના ચમત્કારથી દુર નથી તે પણ કોઇપણ ચીજમાં તેના આકારો આપણને બતાવી જ જાયછે
કયારેક આદુમાં આકારરુપી દેખાતા ગણપતિ તો કયારેક ચંદ્નની અંદર આકારરુપી દેખાતા શંકર તો કયારે વાદળોમાં આકારરુપી દેખાતા ઉડતા હનુમાન આવુ તો આપણને ઘણીવાર કંઇક ને કંઇક ચીજમાં જોવા મળેછે ત્યારે આવી ચીજ ના કપાય કે ના ફેકાય તેમ આપણે આપણા મનથી સમજીએ છીએ..પરંતુ આ કોઇ કુદરતનો ચમત્કાર નથી પણ બનવા કાળ આવી ચીજ બની જતી હોયછે
હમણાં રાજસ્થાન રાજયના એક ગામમાં એવુ બન્યુ કે એક જગ્યાએ કોઇ દેવ દેવતાની નાની ડેરી હતી જેમ ઘણા આપણા ખેત માલિકો પોતાના ખેતરમાં જે તે દેવને માનતા હોયછે તેનુ નાનુ મંદિર ખેતરની બાજુમાં બનાવતા હોયછે તેમ આ પણ એક નાનુ મંદિર હતુ તો એક દિવસ તેની અંદર એક કાળો સાપ ફરતો ફરતો અંદર ચાલયો ગયો બસ આવતા જતા કોઇ એક ભાઇની નજર આ મંદિરમાં પડી તો જોયુ કે અંદર એક સાપ બેઠેલો છે બસ તેને તો આખુ ગામ ગજવી મુકયુ કે ફલાણા ફલાણા ભાઇના ખેતરમાં આવેલ મંદિરમાં સાક્ષાત ભાથીજી આવયા છે બસ આ સાંભળીને ગામ આખુ દોટે ચડયું કોઇના હાથમાં અગરબતી તો કોઇના હાથમાં દુધની વાડકી તો કોઇના હાથમાં દિવો કરવા માટે નાની દીવી લઇને ઉમટ્યું મંદિરની ચોફેરે મોટો માનવ સમુદાય ભેગો થઇ ગયો જય હો જય નાગદેવતા જય ભાથીજીના નારા મોટે મોટેથી બોલવા લાગયા ને ઘણાએ તો ભજનની ધુન પણ ચાલુ કરી દિધી...તો શુ આ એક ખરેખર ચમત્કાર હશે કે અંધશ્રધ્ધા!
તમે કદાચ પેલી ફિલમ જોઇ હશે આમીરખાનની તેમાં પણ આવુ ઘણુબધુ બતાવવામાં આવેછે..તેમ આ પણ એમાંનુ જ એક છે તેમ હુ માનુછું.
ભારતદેશમાં આવા ચમત્કારોની કોઇ કમી નથી જેટલા થાય કે જેટલા દેખાય તેટલા ઓછાછે કંઇ ને કંઇ આપણને કંઇક નવુ જ જોવા જાણવા મળતુ હોયછે માનવુ કે ના માનવુ તે આપણી ઉપર છે પણ આવુ પણ કયારે શકય હોયછે..પણ હા આવુ જોઇને કયારેય મજાક કરવી નહિ કારણકે કયારેક આપણને આવી કરેલી મજાક ભારે પણ પડી શકેછે બસ આવુ કંઇક દેખાય તો જુઓ ને ઇચ્છા થાય તો જરા બે હાથ જોડીને નમન કરો ને પછી પકડો ચલતી...