કહે છે, લોકો મને કે,
તું કેમ આટલી બધી દોસ્તી નિભાવે છે.
અહીં તો લોકો બદલાઈ જાય છે,ક્ષણ ભરમાં,
જે નથી ચાલી શકતા તારી સાથે બે પગલાં ,
એ શું નિભાવશે આ તારી નિઃસ્વાર્થ દોસ્તી,
અરે કોઈ સમજાવો આ લોકો ને કે, મારી આ દોસ્તો ની મહેફીલમાં આવ્યા નથી , આવી દોસ્તી માટે તો મારી આ જીંદગી કુરબાન છે.
જ્યાં સ્વાર્થ છે, ત્યાં પ્રેમ નથી , ને જ્યાં પ્રેમ છે ત્યાં સ્વાર્થ નથી .
અને મારા આ પાગલ મિત્રો વચ્ચે તો પ્રેમ જ પ્રેમ છે.
અગર કોઈ માટે કશું કરવું જ છે તો આ સ્વાર્થી દુનિયામાં તમારા પ્રિય મિત્રોને , પરિવાર ને નિ:સ્વાર્થ પ્રેમ અને બને તો તેમને પૂરતો સમય આપો .
આ બીઝી દુનિયામાં લોકો સોશ્યલ મીડિયામાં જ ડુબતા જાય છે, આજુબાજુ નજર કરી ને જોવાનો સમય જ નથી.
સોશ્યલ મીડિયાના લીધે લોકો નજીક તો છે, પણ દિલ થી દુર થવા લાગ્યા છે . કોઈ માટે સૌથી જરૂરી છે તો ,એ શું છે? એનો જવાબ છે. પ્રેમ, સમય અને સાથ.
આ ત્રણ મહત્વની વસ્તુ જો માનવ ના સમજ માં આવી જાય તો દુનિયાની કોઈ તાકાત નથી કે અેક બીજા ને અેક બીજાથી દૂર કરી શકે.