કેહવાય છે પરિશ્રમની નથી હોતી કોઈ પરિભાષા
પછી વગર મેહનત મેળવવા માનવી શુ કામ કરે છે આશા.
કિસ્મત ના ભરોસે હર પળ બેસી રહેવું છે તારે
પછી મળે બધું બેઠા-બેઠા એવી શુ કામ કરે છે અભિલાષા?
મેહનત એ સફળતા ની સાચી સીડી છે એવો પેલો પાઠ ભણાવેલો,
પણ હજુ શુધી તને સમજમા કેમ આવી ના એ ભાષા?
કિસ્મત રૂપી કાગળ ની હોળી પર બેસી તારે ભવસાગર તરવો છે,
ફરિયાદ કરે નાથ શુ કામ સવળા નથી પડતા મારા પાશા?
કહી ને ગયો હું ગીતા માં કે ઉદ્યમ કરો ને ખુશ રહો જિંદગી માં
બસ સાચા કર્મ ને સાચી મેહનત છે સાચી પરિભાષા.
કેહવાય છે પરિશ્રમની નથી હોતી કોઈ પરિભાષા
પછી વગર મેહનત મેળવવા માનવી શુ કામ કરે છે આશા.
- અનિલ પરમાર.