અમેરિકામાં વરસો પહેલા જયારે એક આતંકી હુમલો થયો હતો ત્યારે તે સમયના હુમલામાં સાડા ત્રણ હજાર નિર્દોષ લોકોના મોત થયા હતા... આવા હુમલા એક દિવસમાં ને તે પણ પાંચ પાંચ મિનીટે લગભગ ચાર જગ્યાએ અલગ અલગ રીતે એક સાથે થયા હતા...
તે બધામાંથી સૈથી મોટો હુમલો એક મોટી ઇમારતમાં થયો હતો જે તે ઇમારત એકસો ને છવ્વીસ માળ ઉંચી હતી..તમે કલ્પના કરો કે આટલી ઉચી ઇમારતમાંથી લોકોએ આગથી જીવ બચાવવા કુદકા માર્યા હતા..
આતંકવાદીઓએ તેમનું એક ઉડતું વિમાન આ ઈમારતમાં અથડાયું હતું તેથી ઉપરના ટોચના ઘણા ફ્લોર ડેમેજ થયા હતા પછી આ ડેમેજ વાળા માળમાં એક ભયાનક આગ લાગી હતી..જે બુઝાવવી અશકય હતી આ ઇમારતનું નામ "world trade centre" હતું આ આખું બીલ્ડીંગ કોમર્સીયલ બિલ્ડીંગ હતું..આ ઇમારતમાં ત્રણથી ચાર હજાર કર્મચારીઓ રોજીદુ પોતાનુ કામ કરતા હતા..તેમને સ્વપ્નેય ખ્યાલ ના હતો કે અમે આ ઇમારત માં આજ છેલ્લો દિવસ જીવતા છીએ ને જયારે આ ઇમારતે વધુ આગ પકડવાની ચાલું કરી ત્યારે તો લોકોએ ઉપરની બારીઓમાંથી નીચે એક પછી એક કુદકા મારવાના ચાલુ કર્યા..પણ અફસોસ કોઇ જ ના બચ્યુ...બધા જ એક પછી એક નીચે પડીને મરી ગયા..જે કોઇ ઉપર રહી ગયા હતા અથવા નીચે ઉતારવામાં ના ફાવ્યા તે પણ ઉપર જ ધમધમતી અગ્નિમાં જીવતા હોમાઇ ગયા..આ સમયે આશરે સાડા ત્રણ હજાર કર્મચારીઓના મોત થયા હતા..
આ દિવસ અમેરિકા માટે એક બ્લેક દિવસ ગણાયો હતો..
આજે તે જગ્યાએ કોઇ જ નવું બિલ્ડીંગ અમેરીકન સરકારે બનાવ્યું નથી..પણ જે લોકોના આ આતંકી હુમલામાં મોત થયા હતા તેમને એક શહીદની જેમ તેઓનું માન આપીને તે જગ્યાએ દરેકના ફોટા સાથે નામવાળી તકતીઓ મુકેલી છે..આમ અમેરિકાની સરકારે આ જગ્યાએ એક મોટું સુદર ને રમણીય સ્મારક બનાવ્યું છે..દેશ વિદેશના પર્યટકો આ જોવા માટે રીતસર ઘસારો કરેછે...જેને આપણે બીજા શબ્દમાં એક (શાન્તિ સ્મારક) કહી શકીએ..
તો શું..આપણે પણ આ તક્ષશીલાને એક સ્મારકના રુપમાં ના ફેરવી શકાએ! અથવા તો તેની આગળ કે પાછળ કે છત ઉપર કોઇ એવું સ્મારક ના બનાવી શકીએ કે તે જોઇને..જે બાવીસ બાળકોના જીવ ગયાછે તેમને એક સાચી શ્રદ્ધાજલી આપી ગણાય...
આ એક મારુ અંગત મંતવ્ય...છે.