તનમનથી તંદુરસ્ત રહેવા યોગ અપનાવો.
રોગદોગ સઘળા દૂર કરવા યોગ અપનાવો.
શરીર એક યંત્ર છે એ ના ભૂલો સહુ મિત્રો,
તાજગી ચહેરા પર લાવવા યોગ અપનાવો.
હરવખ્ત દવાનો મહાવરો સારો નથી હોતો,
એની આડઅસરથી બચવા યોગ અપનાવો.
છે આ દેણ ૠષિમુનિઓની લાભ ઊઠાવો,
તનબદનમાં જોમ પ્રગટાવવા યોગ અપનાવો.
ચારેકોર પ્રદૂષણને ચેપીરોગોના વાઈરસ છે,
રોગપ્રતિકારક શક્તિ સર્જવા યોગ અપનાવો.
તન સારું તો મન સારું , મન સારું તો દુનિયા,
મનના તણાવને સાવ વિદારવા યોગ અપનાવો.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.