વૈજ્ઞાનિક અનુસંધાન, નવી નવી ટેકનોલોજી આવે છે. દુનિયા આને લાવતી નથી, દુનિયા આમાં ફસાઈ ગઈ છે. વૈજ્ઞાનિક અનુસંધાન, નવી નવી ટેકનોલોજીને સાથે રાખવું અને આમાં ન ફસાય, એના માલિક બની ચલાવું એ દુનિયા પાસે નથી. મનુષ્યે દુનિયાનું સંચાલન કરવું જોઈએ પણ, એવું નથી દુનિયા મનુષ્યનું સંચાલન કરે છે.
પૂર્વના દેશોમાં વિવાદ છે કે ethics જોઈએ કે ન જોઈએ.
વૈજ્ઞાનિકો નવી નવી ટેકનોલોજી અને સંશોધનો લાવે તો પછી વિવાદ થવો જોઈએ કે આને પ્રકાશિત કરવું જોઈએ કે ન કરવું જોઈએ,આને ઉપયોગમાં લાવવું જોઈએ કે ન લાવવું જોઈએ. કારણ કે આનો ethically વિચાર કરવો જોઈએ. તો કેટલાક લોકો કહેશે કે ethics શું છે? જ્ઞાનને ethics નું બંધન નથી,જ્ઞાન જ્ઞાન છે એ તો પ્રગટ થતું રહેશે. જ્ઞાનની સામે આપણે હતબલ થઈ ગયા છે. એ જ્ઞાન છે એ પ્રગટ થતું રહેશે અને એના પ્રમાણે આપણે બદલાવું પડશે. આ મનુષ્યની મજબુરી બની ગઈ છે. આ જ દુનિયાની પરિભાષા છે.
આપણી પરિભાષા આ નથી. આપણી પાસે એક એવું તત્વ છે કે બધાને જોડીને રાખે છે.એ એક વ્યક્તિને, વ્યક્તિઓના સમૂહને,સમાજને, રાષ્ટ્રને, સમગ્ર સૃષ્ટિને અને એની સાથે આખા અસ્તિત્વને જોડીને ચલાવે છે. ફકત જોડીને રાખતું નથી પણ, એના સંબંધ તૂટવા દેતું નથી, પરસ્પર વિરોધી બનવા દેતું નથી, સૌને એકત્ર રાખીને સૌને ઉન્નત કરે છે. આ બધું બાકી દુનિયા પાસે નથી. એટલે એ લોકો ફસાઈ ગયા છે. આ તત્વ આપણું સત્વ છે.
મનુષ્યોનો વિકાસ કરવાવાળી વિજ્ઞાન અને ટેકનોલોજી આવે છે. પણ, એનાથી સૃષ્ટિ ખરાબ થાય છે. અને એમનો ઝઘડો થાય. ઈલાજ શું છે? ઈલાજ કોઈને ખબર નથી. કેમકે જોડવા વાળું તત્વ એમની પાસે નથી. એ આપણી પાસે છે. આપણા પૂર્વકાળમાં આક્રમણો પહેલા જ્ઞાન- વિજ્ઞાનનો સર્વોચ્ચ વિકાસ ભારતમાં થયો છે. અને આવો વિકાસ થયા પછી પણ, આપણી સૃષ્ટિ ખરાબ નથી થઈ. આપણા દેશમાં ઓછામાં ઓછા ૮,૦૦૦ વર્ષોથી ખેતી થઈ રહી છે. એ ખેતીથી આપણું પર્યાવરણ અને જમીન ખરાબ નથી થયાં, અન્ન વિષયુક્ત નથી થયું. યુરોપિયનો આફ્રિકામાં રાજ કરતા હતા ત્યારે એમણે ત્યાં ૪૦૦ વર્ષ ખેતી કરી. આજે એ જમીન ૧૦-૧૦ વર્ષો સુધી fellow રાખવી પડે છે. જમીન ખરાબ, ખેતી ખરાબ, પાણી ખરાબ,હવા ખરાબ. આ ખરાબીવાળી સમસ્યા ક્યારથી આવી? આ તો આધુનિક કાળમાં આવી. આપણે ટેકનોલોજીનો ઉચ્ચતમ વિકાસ કર્યો હતો.
અંગ્રેજો આપણા દેશમાં આવ્યા અને આપણું સત્વ છૂટી ગયું. અંગ્રેજોએ આપણા સત્વનું નાશ કર્યું. અત્યારસુધી આપણે પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણ કરતા આવ્યા છે. આપણે નવું જ્ઞાન મેળવવું હોય તો વિદેશી પુસ્તકો વાંચવા પડે છે, એમની બુદ્ધિથી વિચારવું પડે છે. આપણા પાઠ્યપુસ્તકોમાં પણ, ન્યૂટન, આઈન્સ્ટાઈન ઘર કરી ગયા છે. અંગ્રેજોની શિક્ષણ પદ્ધતિ આવી ત્યાંસુધી ભારતમાં ગુરુકુળો ચાલતા હતા. એ ગુરુકુળોમાં ખગોળ શાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર,જીવ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર,ગણિત શાસ્ત્ર શીખવામાં આવતા. જે- જે સંશોધનો વિદેશોમાં અત્યારે થયાં એ આપણા દેશમાં વર્ષો પહેલાં થઈ ગયા હતા.
આપણે આવા હતા, આપણે સત્વ છોડ્યું અને પડી ગયું.