આજે બુદ્ધ પૂર્ણિમા
તથાગતે જીવનનાં જે ચાર આર્ય સત્યો શોધી કાઢ્યાં એ આજે પણ કેટલાં અસરકારક મિત્રો કે જો કોઈ ગાંઠ વાળી લ્યે તો અવતાર બની જાય. જીવન-મૃત્યું ને સંસાર નું મંથન કરતાં હાથ લાગેલ જડીબુટ્ટી બુદ્ધે આમ વર્ણવી કે દ્દુ:ખ એ પ્રથમ આર્ય સત્ય છે, દુઃખનું મૂળ (દુઃખ સમુદાય) એ બીજુ આર્ય સત્ય છે, દુઃખ નિરોધ એ ત્રીજુ આર્ય સત્ય અને ચોથું આર્ય સત્ય દુઃખ નિરોધ માર્ગ છે. માનવજાતને નવાઈ પમાડતાં બુધ્ધે કહ્યું કે તુજ તારો દિવો થા ને તારે ક્યાંય જવાની જરૂર નથી તું પોતેજ તારાં માયલાને ઢંઢોળ. વાત પણ આજે કેટલી સત્ય ઠરે છે કે આપણે અવાર નવાર લંપટ બાબાઓની લીલાઓનાં પરાક્રમો સાંભળીએ છીએ તો શું કામ તેમની પાસે જવું. બુદ્ધ પૂર્ણિમા નાં આપનાં હાસ્ય સેવક હાસ્ય કલાકાર હરપાલસિંહ ઝાલા-ગાંધીનગર-અમદાવાદ વતી સાદર વંદન