Quotes by Patel Hardik in Bitesapp read free

Patel Hardik

Patel Hardik

@patelhardik3916


https://youtu.be/gKtEv2xF5Us

pre-wedding
photo shoot

RIP NOT US HINDU RELIGIOUS....???

કોઈ ના મૃત્યુ ના સમાચાર ની સાથે બધાં જ સોસિયલ નેટવર્ક માં " *RIP* " શબ્દ નો ખુબજ ઉપયોગ કરે છે ...
મિત્રો મારે તમને ઍક વાત કરવી છે ...
"?"
*માફી સાથે જરા એક વાત કરું છું*
"?"
*What is Rest in Peace ( RIP ) ?*
આજકાલ કોઈના નિધન પછી *RIP* લખવાની જાણે ફેશન ચાલી છે.
વિદેશીઓની આંધળી નકલ કરવામાં આપણે આપણી સંસ્કૃતિ ની ઘોર ખોદી રહ્યા છીએ એવું લાગે છે મને.
*RIP* શબ્દનો અર્થ છે
*"Rest in Peace"*
*(શાંતિથી આરામ કરો)*.
આ શબ્દ એમના માટે છે જેને કબરમાં દફનાવ્યા હોય.
ઇસાઈ અને મુસ્લિમ માન્યતા મુજબ
*‘Judgement Day’*
કે
*"क़यामत का दिन"*
આવે ત્યારે આ મૃતકો કબરમાંથી પુનર્જીવિત થશે.
એટલે એમના માટે કયામત ના દિવસ સુધી શાંતિથી આરામ કરો એમ કહેવાય છે.
પરંતુ હિંદુ સનાતન ધર્મની માન્યતા મુજબ આત્મા અમર છે , ને શરીર નશ્વર છે.
એટલે શરીરનો અગ્નિસંસ્કાર થાય છે.
માટે હિંદુ વિચારધારા મુજબ
*"Rest in Peace"* નો સવાલ જ નથી આવતો,
કારણ કે આત્મા એક શરીર છોડીને તેના કર્મફળ અનુસાર બીજા શરીર માં પ્રવેશે છે.
એ આત્માને આગળની યાત્રા માટે સારી ગતિ *(સદગતી)* પ્રાપ્ત થાય તે માટે જ શ્રાદ્ધ કર્મની પ્રથા રહેલી છે.
મિત્રો,
હિંદુ જીવાત્મા માટે
*‘શ્રદ્ધાંજલિ’*
or
*‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’*
જેવા વાક્યો નો પ્રયોગ યથાર્થ ગણાશે,
જયારે મુસ્લિમ કે ઈસાઈ માટે *RIP* લખી શકાય.
*‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’*
*“Aatmane Sadgati Prapt Thay”*
*(ASPT)* લખો તો ચાલે....
(સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરવું એ આપણી જવાબદારી છે)
https://generalstudieshp.blogspot.com/

Read More

Think you can challenge me on Dream11? Tap https://dream11.onelink.me/1607017099/eea7367b
to download the app & use my invite code PATEL31735OP to get a Cash Bonus of Rs.100! Let the games begin

https://generalstudieshp.blogspot.com/

એકવખત જંગલમાં રહેતા વાઘ અને બિલાડી વચ્ચે વિવાદ થયો. વાઘ એવું માનતો હતો કે જંગલના ઝાડવાઓ તથા વેલાઓના પાંદડાઓનો રંગ લીલો છે અને બિલાડી એવું માનતી હતી કે પાંદડાનો રંગ પીળો છે.

બંને વચ્ચે આ બાબતે ખૂબ ચર્ચા થઈ. વાઘ પોતે સાચો છે એ સાબિત કરવા માટે એણે બિલાડી સમક્ષ ઘણા પુરાવાઓ રજુ કર્યા પણ બિલાડી વાઘની વાત સ્વીકારવા તૈયાર જ નહોતી એ તો પોતાની વાત પર અડગ હતી.

વાઘ જાણતો હતો કે અપવાદ રુપે થોડા પાન પીળા હોય પણ એના લીધે કંઈ બધા પાંદડાને પીળા ન કહી શકાય. પોતાની વાતને સાચી સાબિત કરવા વાઘે જંગલના રાજા સિંહ પાસે રજુઆત કરવાનું નક્કી કર્યું. બિલાડી પણ તે માટે તૈયાર હતી. સિંહે બંનેની વાત સાંભળી અને પછી પોતાનો નિર્ણય આપતા કહ્યું, "આવા વિવાદમાં પડવા બદલ હું વાઘને 6 મહિનાની જેલની સજા કરું છું."

સિંહનો નિર્ણય સાંભળીને વાઘને આંચકો લાગ્યો. હું સાચો છું તો પણ સિંહે મને કેમ સજા કરી એ વાત વાઘને સમજાતી નહોતી. સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું, "ભાઈ, પાંદડાનો રંગ લીલો જ હોય એ હું પણ જાણું છું. મેં તને સજા એટલા માટે નથી કરી કે તું ખોટો હતો પણ સજા એટલા માટે કરી છે કે તે વિવાદ બિલાડા જોડે કર્યો. ક્યાં તું વાઘ અને ક્યાં એ બિલાડો ! દેખાવમાં સરખા હોય એટલે કંઈ બધી રીતે સરખા ન ગણાય. બિલાડાઓ જોડે કોઈ ચર્ચા કરવાની જ ન હોય. એ એના રસ્તે અને આપણે આપણા રસ્તે."

મિત્રો, ચર્ચા કે વાદ-વિવાદ સમોવાડિયા કે બરોબરિયા સાથે હોય. વાઘ થઈને બિલાડા જેવા માણસો સાથે વિવાદમાં સમય ન બગાડવો. બિલાડાઓના બકબક સામે મૌન રહેવું એમાં જ મહાનતા છે.

Read More

selute to ISRO and DRDO team.????