Quotes by પરમાર ક્રિપાલ સિંહ in Bitesapp read free

પરમાર ક્રિપાલ સિંહ

પરમાર ક્રિપાલ સિંહ Matrubharti Verified

@parmarkripalsinh000g
(185.8k)

તમે તમારા સપના પુરા કરવા મહેનત કરી લ્યો . બાકી અન્ય તેમના સપના પુરા કરવા તમારો ઉપયોગ કરી લેશે. _કેકે પરમાર ✍️

Read More

પત્ની જેવી પણ હોય, ધન જેટલું પણ હોય, ભોજન જેવું પણ હોય. અ બધું જો સમયે મળી જાય તો સૌથી ઉત્તમ છે. આ બધું પ્રાપ્ત કર્યા બાદ માનવીએ એ ન ભૂલવું જોઈએ કે તેનું એક બીજું પણ કર્તવ્ય છે અને તે છે વિદ્યા પ્રપ્ત કરવાનું.

પોતાના સાધારણ શત્રુથી અનુકૂળ વ્યવહાર કરવો જોઈએ. ભયંકર શત્રુને શક્તિથી કચડી નાખવો જોઈએ. જેના તરફથી પોતાના જીવને ખતરો હોય તેવાને કદાપી માફ કરવો જોઈએ નહિ, તેને નસ્ટ કરવામાં જ લાભ સમાયેલો છે.

અતિ ભલા બનીને જીવન પસાર કરી નથી શકાતું. ભલા અને સીધાસાદા માનવીને દરેક દબાવે છે. તેની ઈમાનદારી અને ભલમનસાઈને લોકો ગાંડપણ સમજે છે. એટલા માટે એટલા ભલા અને સીધા પણ ન બનવું જોઈએ કે લોકો લૂંટીને ખાઈ જાય.

હંસ કેવળ ત્યાં જ રહે છે જ્યાં તેમને પાણી મળે છે. સરોવર સુકાઈ જતા તેઓ પોતાનું સ્થાન બદલી લે છે. પરંતુ મનુષ્યે આવું સ્વાર્થી ન બનવું જોઈએ. તેણે વારંવાર પોતાનું સ્થાન ન બદલવું જોઈએ.

આંખો માનવી માટે સૌથી કિંમતી અંગ છે. એની અંદર મગજનો નિવાસ હોય છે. એટલે એની વિશેષતા નકારી શકાય નહી.

પોતાના હાથો વડે કરેલું કામ સૌથી શ્રેષ્ઠ હોય છે. માનવીએ પોતાનું દરેક કામ પોતાના હાથે જ કરવું જોઈએ.

ભલા અને વિદ્વાન લોકો સાથે સંબંધ રાખો. જરૂર પડ્યે સ્ત્રીને દગો આપનાર અંતમાં કસ્ટ પામે છે.

અંધાધુંધ ખર્ચ કરનાર એટલે કે પોતાની આવક કરતા વધારે ખર્ચ કરનાર અને બીજા સાથે વગર કારણે કજીયો કરનાર લોકો ક્યારેય સુખી નથી થતા.

જેવી રીતે ધરતીને ખોદવાથી પાણી નીકળે છે. તેવી રીતે જ ગુરુની સેવા કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે.

આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ગુરુની સેવા કર્યા વિના માનવી કદાપી સારી શિક્ષા પ્રાપ્ત નથી કરી શકતો.

હંમેશા બીજાનું ભલું કરો. સ્વાર્થથી દૂર રહો. બીજાનું ભલું કરનારનું ખુદ ભગવાન ભલું કરે છે. આવા લોકોના સુખદુ:ખમાં ભગવાન હંમેશા સાથે જ રહે છે.

જીવન અને મૃત્યુનું ચક્ર તો હંમેશાથી ચાલતું રહ્યું છે. આત્મા અમર છે, એ કેવળ પોતાનું શરીર બદલે છે.

આત્મા સાથે પરમાત્મા છે. મનુષ્ય પોતાના દરેક શરીરની સાથે પોતાના જન્મોના કર્મોનું ફળ પામે છે.

#kk_parmar

Read More

શું ફરીયાદ કરવી *ગીરનારી*કે દવા દેતા નથી; પ્યાલો ભરપુર છે .. દુખ એ જ છે....
એ પીવા દેતાં નથી કે ઢોળવા દેતાં નથી ....
*ગીરનારી* આ જમાનાના જુલ્મ. જગત ના કોને કહું??
છે જીવન મારું છતાંય. જીવવા દેતા નથી....
હોત કંટક કે પથ્થર.. તો હટાવી દેત હું
*ગીરનારી*
મંઝિલે મારા જ સાથી પહોંચવા દેતા નથી....
જીવું છું જીંદગી એના નામનો આધાર લઈને. #ગીરનારી
નામ મને બોલવા દેતાં નથી....

Read More

બખડ જંતર મારુ બખડ જંતર વાગે તો વગાડુ,નાચે તો નચાડુ
રુવે તો રડાવુ,હસે તો હસાવુ,
બોલે તો બોલાવુ ,બાકી મારુ જાદુ જંતર
તંતર મંતર કાંઇ નઈ ખાલી બખડ જંતર
સમજે ઈ ભલે નઇતો કાયમ બખડ જંતર✍️ કેકે_પરમાર

Read More

ધિરે ધિરે દુનિયાદારી સમજ માં આવે છે, ત્યારે "એકાંત"મૌન"અને સરળતા વધારે શાંતી આપે છે.... _કેકે _પરમાર

તમારા મુલ્યની તમને ખબર હોવી જોઈએ ચાર લોકો કહે એ તેમની બુદ્ધિ નું પ્રદર્શન છે.... કેકે_પરમાર✍️

વારી જતાં દિલ ને વારી શક્યો નહીં,
મરતાં ને મોત માથી ઉગારી શકાયો નહીં..
વારી જતાં દિલ ને...
એક ભુલ ને છુપાવવા કિધી હજારો ભુલ,
કિંતુ નજીવી એક ભુલને સુધારી શક્યો નહીં..
વારી જતાં દિલ ને...
તારો અગાધ પ્રેમ દેખી લોભાણો હું સર્વદા,
મારું ભલું બુરું હું વિચારી શક્યો નહીં..
વારી જતાં દિલ ને...
નાઝિર કહે મને રહી ગયો રંજ ઉમર ભર,
એને ગળે હું વાત ને ઉતારી શક્યો નહીં..
વારી જતાં દિલ ને...
નાઝીર દેખૈયા..
- પરમાર ક્રિપાલ સિંહ

Read More

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશીય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે એમાં નૂર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.

– નાઝિર દેખૈયા

Read More

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

થોડા દિવસથી આ પેઇન્ટિંગ બનાવવાનું ચાલુ હતું જે હવે પૂરું થયું એટલે થયું કે આપ સૌ સુધી પણ પહોંચાડું.

Read More

“ફકીરી હાલ જોઇ ને પરખ કરજો નહી ‘નાઝીર’..
જે સારા હોય છે એના તો સૌ સંસ્કાર બોલે છે...”✍️🏵️✅
- પરમાર ક્રિપાલ સિંહ

Read More