Quotes by Kamlesh in Bitesapp read free

Kamlesh

Kamlesh

@ckkumar123


गुकारस्त्वन्धकारस्तु
रुकार स्तेज उच्यते ।
अन्धकार निरोधत्वात् गुरुरित्यभिधीयते ॥

तस्माद हितोपचारमूलं जिवीतम्‌ ।
अतो विपर्ययाम्मृत्यु:।।

અહમેવ પરમં પ્રિત રુપં વિશ્વસ્ય જગત:।
યથા જીવામિ તથા ચૈનં પ્રિતં ચ વ્યવસાયિનમ્‌।।

-Kamlesh

આ એટી ટેટી તો ટૂટે જ વ્હાલા,
ઊભા તો અડીખમ અમે વટવાળા...

#Attitude

કળાયેલ કમળ સૌના હૈયા મોહી રહ્યું...
કોઇ ગયું ના સમીપ એના,
દવનું કમલ દવમાં જ રહ્યું...

-Kamlesh

...#... યજ્ઞ...#...

દરેક પરિજનને જય ભોળાનાથ 🙏

કેમ છો બધાં? સુખમાં તો છો ને?

હોળીના પાવન અને રંગીન પર્વની હાર્દિક શુભકામનાઓ...


વધારે વાત ન કરતાં મુદ્દા પર આવીયે...

શિર્ષક વાંચીને સમજી તો ગયા જ હશો કે, આજે આપણે હોળીનો હવન કરવાનો છે.
છે ને?

તો ઉત્તર છે "ના..."
મારે આજે હોળીનો હવન ન કરતાં આપ સૌને હોળીનું નારિયેળ બનતા અટકાવવા છે.

આપણે સનાતન સંસ્કૃતિ અને આધુનિક વિજ્ઞાન વચ્ચે એવા અટવાયેલા છિયે કે, પહેંલાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ માટે આંધળી દોટ મૂકીએ છિએ. અને આટ-આટલી સખત મહેનત કર્યા બાદ પણ કંઇ પ્રાપ્તિ ન થાય એટલે પાછાં જઇયે કુળગુરુ, ગોર, તથાકથિત ધર્મગુરુ, પંડિતજી કે ભૂવાજી ના શરણે.
ત્યાર પછી એ ત્રિકાળજ્ઞાની આપણને કહેશે કે, આપશ્રીને ફલાણો કે ઢિંકણો યજ્ઞ કરાવવો પડશે,કાં પછી શાંતી-હવન કરવો પડશે કે ચંડિપાટ વગેરે વગેરે.
અને આપણે અક્ષરશઃ એમનું કહ્યું કરતા પણ હોઇયે છિયે. અદ્દભુત...!!! (મરતા ક્યા ન કરતા)
હવે આટ-આટલું કર્યા બાદ પણ કંઇ ફેર ન પડે ત્યારે કર્મની કઠણાઈનું બહાનું આગળ ધરી, થાકી હારીને બધું સમય પર છોડી દેતા હોઇયે છિયે.

પણ ક્યારેય એવો વિચાર આવ્યો ખરો કે આ બધું વિફળ કેમ રહ્યું? કશીયે કચાશ રાખી નહોતી તેમ છતાંય યજ્ઞ કે હવન ફળ્યો કેમ નહીં?
જો વેદ અને શાસ્ત્રો મક્કમ પણે એમ કહેતા હોય કે યજ્ઞ કદિયે વિફળ ન હોય. એનો લાભ તો મળવો અનિવાર્ય છે.
તો આમ કેમ બન્યું?

આવું થયું છે ક્યારેય આપની સાથ?
જો ઉત્તર હાઁ છે તો આગળ વધીયે અને "ના",તો
સર્વદા સુખી ભવ: "મહાદેવ... મહાદેવ..."

જય ભોળાનાથ સૌને...
હર હર મહાદેવ... હર...

-Kamlesh

Read More

છો ને લખ્યા પ્રારબ્ધે પીમળ પીડાના,
ખર્વો દાખલા છે ખલકે ખરી શ્રદ્ધાના...
તારવણી તારવે તુંગેશ તપસ્વીના,
વાં વચન લાગે વેડફાયેલા વિરંચીના...

Read More

સૌને
દશેરાના પર્વની
હાર્દિક શુભકામનાઓ
🙏🙏🙏

સૌને
શારદીય નવરાત્રીની
હાર્દિક શુભકામનાઓ
🙏🙏🙏

*તંત્ર સાધના ભાગ -૨ :-

"मद्यं मांसं च मीनं च मुद्रामैथुनमेव च"।

માઁ ગૌરી સંગે જ્ઞાનોપદેશ વખતે સ્વયં મહાદેવના મુખથી નિકળેલા આ વાક્યનો અર્થ આજકાલના સાધકો કે અઘોરીઓ કંઇક આ પ્રમાણે કરે છે કે," મદ્યપાન, માંસ ભક્ષણ, માછલીનું ભોજન, મુદ્રા સેવન અને સ્ત્રી શારીરિક સમાગમ (મૈથુન ક્રિયા) કરે છે તે ઉત્તમ અઘોર સાધક છે.(કે તંત્ર સાધક છે )

આ પાંચ "મ" જ "મ માયા નો મ" બનીને બધાને ભ્રમિત કરે છે. આમ અહિંયા જ બધા સાધકો પોતાની અજ્ઞાનતાવશ થાપ ખાઇ જાય છે.

તો ચાલો આજે જાણીએ અને અવગત થઇયે સંસ્કૃત ભાષાના ગૌરવની પરાકાષ્ઠા તથા અઘોર કે તંત્ર સાધનાના આધાર સ્તંભ સમા આ વાક્યનો સંપૂર્ણત: સચોટ ભાવાર્થ...
જેથી આપણેને આ "માયા નો મ " ભટકાવી ન શકે.

"मद्यं मांसं च मीनं च मुद्रामैथुनमेव च"।


૧) मद्य -
જ્યારે સાધક કુંડલિની ષટ્ચક્રનું ભેદન કરી બ્રહ્મરન્ધ્રમાં રહેલા સહસ્રાર ચક્રમાં પહોંચે છે, તે સમયે સોમ કમલ ચક્રમાંથી શ્વેત રંગનું અમૃત ઝરે છે. એ મદ્ય કે સુરાનું પાન કરનાર જ મદ્ય-સાધક કહેવાય છે.'

૨) मांस-
જે સ્વયંની જીભનું ભક્ષણ કરે છે, એટલે કે જે જીભને ઊલટાવીને તાળવામાં લઈ જઈને સહસ્રાર ચક્રનું અમૃત પીએ છે તે જ માંસ સાધક છે.

૩) मीन -
ઇડા અને પિંગલા નામની નદીઓમાં(નાડી) જે બે માછલીઓ(શ્વાસ-ઉચ્છ્વાસ) આવ-જા કરે છે
એને પ્રાણાયામ થકી નાશ કરનાર સાધક જ ખરો મીન સાધક છે.

૪) मुद्रा -
સ્વયંની ભીતરમાં રહેલા સહસ્ત્રાર મહાપદ્મ કમલની અંદર જે મુદ્રા પિંડ છે એમાં કરોડો સૂર્યથી પણ વધારે ઉર્જા (શક્તિ) છે,છતાંય એ કરોડો ચંદ્રમા જેટલું શિતળ છે. આ જ્ઞાન પ્રાપ્તિ કરનાર સાધક જ મુદ્રાસાધક છે.

૫) मैथुन -
સાધકના સહસ્ત્રાર ચક્રને જાગૃત કરતાં જ પરમાત્મા સંગે જીવાત્માનું સંગમ જ મૈથુન છે.
સમગ્ર સર્જન, સ્થિતિ અને અંતનું કારણ આ મૈથુન જ પરમ તત્ત્વ છે.આ મૈથુન ક્રિયા દ્વારા જ પરમ બ્રમ્હજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
રતાશ પડતા રંગનું અગ્નિબીજ(કુંડલિની શક્તિ) માનવ શરીરમાં છેક નીચે મૂલાધાર ચક્રમાં સ્થાપિત છે.
જ્યારે બિંદુ રુપી શિવ શરીરના ઉપરના ભાગમાં એટલે કે સહસ્ત્રાર ચક્રમાં સ્થાપિત છે.
જ્યારે મૂલાધાર ચક્રમાં રહેલી કુંડલિની શક્તિ આકાર રૂપી હંસ (પ્રાણ) પર સવાર થઈ સહસ્રાર ચક્રમાં રહેલા શિવ બિંદુને મળીને ઐકય સાધે છે એટલે કે,શક્તિનું શિવ સાથે સંમિલન થાય છે, ત્યારે અનંત આનંદ આપનાર દુર્લભ બ્રહ્મ - સાક્ષાત્કાર થાય છે. અને એજ સાધકને અમૃતત્વ આપી મુક્તિ(મોક્ષ) પ્રદાન કરે છે.

આ છે તંત્ર સાધનાના પંચ મકારનો સૂક્ષ્મ સત્ય અભૌતિક અને આધ્યાત્મિક અર્થ...

આમ આજકાલના અઘોરી અને કાપાલિક પંથના સાધક આ પાંચ મકારવાળી વસ્તુઓ મદ્ય (શરાબ), માંસ, મીન (માછલી), મુદ્રા અને મૈથુન (વિજાતીય શારીરિક સમાગમ)નો ભૌતિક અને સ્થૂળ રીતે ઉપયોગ કરે છે. અને આજીવન અજ્ઞાનતામાં ભટકતા રહે છે.
જ્યારે સાચા તંત્રયોગના(અઘોર) સાધક આ પંચ મકારનો અભૌતિક, આધ્યાત્મિક અને સૂક્ષ્મ રીતે ઉપયોગ કરી મોક્ષ પ્રાપ્તિ કરે છે.

તો ચાલો આપણે પણ સાચા અઘોર સાધક બની ષટચક્રોનું ભેદન કરીને અલૌકીક શક્તિઓની (સિદ્ધિઓ) પ્રાપ્તિ કરી એ શક્તિઓનો જગત કલ્યાણના કાર્યોમાં ઉપયોગ કરીયે અને અંતે આ જીવને પરમાનંદની અનુભૂતિ કરાવી પરમાત્મામાં વિલીન કરીએ...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ.......હર....

-Kamlesh

Read More