સમગ્ર વિશ્વમાં દરેક દેશનો પોલિસ વિભાગ ગુનેગારોને ટ્રેક કરવા માટે સમય અને ઉર્જાનો ઉપયોગ કરે છે.મોટાભાગનાં દેશોમાં દરેક શહેરમાં મોસ્ટ વોન્ટેડ અપરાધીઓની યાદી જોવા મળે છે.ટેલિવિઝન પર પણ તેના પર આધારિત કાર્યક્રમો પ્રસારિત થતા હોય છે અને તે કારણે ઘણાં અપરાધીઓ ઝબ્બે થતાં હોય છે પણ ઘણાં એવા ગુનેગારો છે જે પોલીસની સાથે સફળતાપુર્વક સંતાકુકડી રમી શકે છે અને તેમની પકડથી દુર રહે છે આ ગુનેગારો એટલા શાતિર હોય છે કે કાયદાનાં લાંબા હાથ તેમના માટે ટુંકા પડે છે.
પેન્સિલ્વેનિયાનાં સેક્સોનબર્ગ નામનાં એક નાના શહેરમાં પોલીસ ચીફ તરીકે કામગિરી બજાવતા ગ્રેગરી આડમ્સને ૧૯૮૦માં ડોનાલ્ડ યુજિન વેબ્બે ઠાર કર્યા હતા.આડમ્સે વેબને એક રૂટિન ટ્રાફિક તપાસની કામગિરી દરમિયાન રોક્યો હતો જેમાં તેમની વચ્ચે ગરમાગરમી થઇ ગઇ હતી અને વેબે તેમનાં પર હાથ ઉઠાવ્યો હતો એટલું જ નહિ તેણે આડમ્સને ઠાર કર્યા હતા અને ત્યાંથી ભાગી છુટ્યો હતો.તેની પાસે જે લાયસન્સ મળ્યું હતું તે નકલી હતું.જો કે વેબ્બ કોઇ સામાન્ય ગુનેગાર ન હતો તેના નામે પોલિસ સ્ટેશનમાં લુંટફાટથી માંડીને અન્ય ઘણાં ગુનાઓ નોંધાયેલા હતા.તે નકલી ઓળખ ઉભી કરવામાં માસ્ટર હતો અને તેણે આ જ ખુબીનો બચવા માટે ઉપયોગ કર્યો હતો.તે એફબીઆઇ જેવી એજન્સીથી પણ એક કદમ આગે રહેતો હતો.જ્યારે તે હાથ ન આવ્યો ત્યારે એફબીઆઇએ તેને ટોપટેન મોસ્ટ વોન્ટેડ અપરાધીઓની યાદીમાં સામેલ કર્યો હતો.જો કે તે આજ સુધી એફબીઆઈની પકડમાં આવ્યો નથી જો કે તે માને છે કે જ્યારે તે ભાગ્યો ત્યારે જ તેની વય ખાસ્સી હતી અને તે આજે જીવતો હોવાની કોઇ શક્યતા નથી.જો તે જીવતો હોય તો પણ એવા સ્થળ અને લોકોની વચ્ચે હશે જ્યાં તેને કોઇ ઓળખે તેવી શક્યતા જ નહિ હોય.એફબીઆઇએ તો તેને શોધવાની કવાયત જ બંધ કરી દીધી છે પણ એ હકીકત છે કે એક પોલિસ અધિકારીની હત્યા કર્યા બાદ પણ તે પોલીસનાં હત્થે ચડ્યો ન હતો.
ન્યુયોર્કનાં ઓડુબોન બોલરૂમમાં ૧૯૬૫ની ૨૧મી નવેમ્બરે માલ્કમ એક્સે લોકોને સંબોધન આપ્યું હતું અને તે દરમિયાન જ તેમની હત્યા થઇ હતી.ઇસ્લામિક રાષ્ટ્રો સાથેની ચડભડને કારણે કેટલાક લોકો ગુસ્સે હતા અને તેમાંથી ત્રણ લોકોએ આખરે તેમની હત્યા કરી હતી તેવું મનાતું હતું.જો કે માલ્કમની હત્યા બાદ જાતજાતની અફવાઓ પ્રસરી હતી જેના કારણે લોકોમાં ખાસ્સી ઉત્તેજના જન્મી હતી અને મોટાભાગનાં લોકો માનતા હતા કે ઇસ્લામિક દેશો જ આ હત્યાની પાછળ જવાબદાર છે.જો કે ઘણાં તો એફબીઆઇ અને એનવાયપીડી તરફ પણ આંગળી ચિંધતા હતા અને આ શંકાઓ રૂબેન એક્સ ફ્રાંસિસ માટે હતી જે આમ તો ઇસ્લામિક દેશનો જ વતની હતો અને માલ્કમ સાથે આ મામલે તેને વિવાદ પણ થયા હતા.આ હત્યા થઇ ત્યારે ફ્રાંસિસે થોમસ હેગન પર ગોળી ચલાવી હતી જેમાં તે ઘાયલ થયો હતો.તે એ હત્યારાઓમાંનો એક હોવાનું કહેવાયું હતું.જો કે એનવાયપીડીએ તેની ધરપકડ કરી હતી અને બાદમાં તેને જામીન પર છોડ્યો હતો.જો કે ત્યારબાદ તે ગાયબ થઇ ગયો હતો અને ક્યારેય હાથ લાગ્યો ન હતો.માલ્કમ એકસ પર રિસર્ચ કરનાર સ્કોલર મેનિંગ માર્બલે એવો દાવો કર્યો હતો કે ફ્રાંસિસ એનવાયપીડી અને એફબીઆઈનો ખબરી હતો અને તેને તો એવી પણ શંકા હતી કે આ આખો હત્યાકાંડ થયો તેનો માસ્ટર માઇન્ડ પણ ફ્રાંસિસ જ હતો.
૧૯૬૩માં લંડન જતી એક બ્રિટીશ મેલ ટ્રેનને એક ટુકડીએ અધવચ્ચે રોકી હતી અને ૨.૬ મિલિયન પાઉન્ડ રકમની લુંટ ચલાવી હતી.આ લુંંટમાં ટ્રેનનો ડ્રાઇવર બહું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જે બાદમાં મોતને ભેટ્યો હતો.આ લુંટ એ સમયમાં થયેલી સૌથી ખતરનાક લુંટ હતી જેણે લોકોમાં ખાસ્સી ચર્ચાઓ જગાવી હતી અને તે કારણે જ લુંટારાઓને ઝડપવા માટે બહું મોટું તલાશ અભિયાન શરૂ કરાયું હતું.જો કે આખરે પોલીસને આ લુંટારાઓને ઝડપવામાં સફળતા મળી હતી અને તેમાંથી બારને સજા થઇ હતી જેમાં રોની બિગ્સ પણ સામેલ હતો.રોની પણ છત્રીસ વર્ષ બાદ હાથ લાગ્યો હતો જો કે આ લુંટમાં સામેલ અન્ય લુંટારાઓ અંગે કોઇ જાણકારી મળી ન હતી.તેમાં એક અલ્સ્ટરમેન છે જેને આ લુંટનો અસલ માસ્ટર માઇન્ડ ગણાવાય છે.જો કે ૨૦૧૪માં એક બચેલા લુંટારાએ જણાવ્યું હતુ કે અલ્સ્ટરમેન એ પોસ્ટલ વર્કર પેટ્રીક મેકેન્ના હતો.જો કે આ લુંટારાઓની ઓળખ મુશ્કેલ એ માટે પણ હતી કે તેમણે ક્યારેય એકબીજાને નામથી બોલાવ્યા ન હતા લુંટ દરમિયાન તેઓએ મિસ્ટર વન કે મિસ્ટર ટુ જેવા નામોનો ઉપયોગ કર્યો હતો.તેમાં મિસ્ટર વન કુખ્યાત ગુનેગાર ફ્રેડી ફોરમેન હોવાની શંકા વ્યક્ત કરાઇ હતી.મિસ્ટર ટુ તરીકે ઇલેકટ્રીશ્યન લેસ્લી એડ્રિગોનું નામ વિચારાયું હતું જે એલાર્મ સિસ્ટમનો નિષ્ણાંત હતો.મિસ્ટર થ્રી હેન્રી સ્મિથ હોવાનું કહેવાયું હતું જેના પર સ્કોટલેન્ડ યાર્ડે પણ શંકા વ્યક્ત કરી હતી પણ તેના પર આરોપ મુકાયો ન હતો.તમામ લુંટારાઓ આ મોટી લુંટનો તેમનો મોટો હિસ્સો લઇને ગાયબ થઇ ગયા હોવાનું ચર્ચાતું હતું જે ત્યારબાદ ક્યારેય પકડાયા ન હતાં.
મનાબુ મિયાઝાકી આમ તો જાહેરમાં જ લોકોની નજર સામે જ રહેતો હતો પણ તે ઘણાં ગુનાઓમાં સામેલ હોવાની શંકા વ્યકત કરાતી હતી પણ તે એટલો હોંશિયાર હતો કે તેના વિરૂદ્ધ ક્યારેય પોલીસ નક્કર પુરાવાઓ એકઠા કરી શકી ન હતી.તે હંમેશા પોલીસથી એક ડગલું આગળ જ રહેતો હતો.જાપાનમાં મિયાઝાકીને કુખ્યાત યાકુઝા તરીકે ઓળખવામાં આવતો હતો.તે અહી જમીનોનાં સોદા કરવામાં અને જમીનો હાંસલ કરવામાં તે સફળ રહ્યો હતો.આ ઉપરાંત જાપાનમાં તે કોર્પોરેટ કંપનીઓ પાસેથી ખંડણી વસુલ કરવાનાં મામલે પણ ચર્ચાસ્પદ બન્યો હતો.જો કે ૧૯૮૦નાં એ ગાળા દરમિયાન તેણે એક શિયાળ જેવા ખંધા ગુનેગાર તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી હતી.તેની અનેકવાર પોલીસે પુછપરછ કરી હતી પણ ક્યારેય તેના પર આરોપ ઘડાયા ન હતાં.જો કે ૧૯૮૬માં તેની હરીફ ગેંગે તેના પર હુમલો કરાવ્યો હતો પણ તેમાં તે બચી ગયો હતો.જો કે ત્યારબાદ જાપાનમાં તે એક સેલિબ્રિટી બની ગયો હતો જેણે પુસ્તકો પણ લખ્યા છે.તેની આત્મકથાની છ લાખ નકલો વેચાઇ હતી આજે તે સિત્તેરની ઉપરની વય ધરાવે છે પણ તે મીડિયામાં હજી સક્રિય છે પણ તેના પર આજે પણ કોઇ ગુનો દાખલ કરી શકાયો નથી.
ભારતમાં ૧૯૯૩માં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા જેમાં દેશનું આર્થિક પાટનગર કહેવાતું મુંબઇ હચમચી ગયું હતું.આ વિસ્ફોટોમાં ૨૫૭ વ્યક્તિઓનાં મોત થયા હતા અને સાતસો ઉપર લોકો ઘાયલ થયા હતા.આ વિસ્ફોટો પાછળ તે સમયે મુંબઇની અંધારી આલમમાં ડોન તરીકે કુખ્યાત દાઉદ ઇબ્રાહીમનો હાથ હોવાનાં આરોપ મુકાયા હતા.ત્યારે તે મુંબઇમાં ગેંગસ્ટર તરીકે કુખ્યાત હતો અને તેનાં ત્યારે બોલિવુડ સાથે પણ કનેકશન હોવાનું ચર્ચાયું હતું.જો કે જ્યારે તેનું નામ મુંબઇમાં વધારે ચર્ચાતું હતું ત્યારે તેણે તેનો ધંધો ખસેડીને દિલ્હીમાં સેટ કર્યો હતો.વિસ્ફોટો બાદ તે દેશ છોડીને દુબઇ ભાગી ગયો હતો અને ત્યાંથી અત્યારે તે પાકિસ્તાનમાં હોવાનું ચર્ચાય છે.તેનો નાતો અલકાયદા સાથે હોવાને કારણે તેને વૈશ્વિક આતંકવાદી તરીકે વિશ્વનાં ઘણાં દેશોમાં ટોચનાં ગુનેગારોની યાદીમાં તે સામેલ છે.જો કે અમેરિકા જેવા દેશે તેને આતંકવાદી જાહેર કર્યો છે પણ તેમ છતાં તેના પર હજી કોઇ હાથ નાંખી શક્યું નથી તેમાંય ૨૦૧૫માં તો તેણે તેનાં સાઇઠમાં જન્મદિને એક વૈભવી પાર્ટી યોજી હતી જેમાં છસ્સો જેટલા મહેમાનો સામેલ થયા હતા પણ પાકિસ્તાન તે તેના દેશમાં હોવાનો સાફ ઇન્કાર કરે છે અને તે કારણે જ તે હજીયે સલામત છે.
કનેક્ટીકટનાં વેસ્ટ હાર્ટફોર્ડમાં વેલ્સ ફાર્ગો ટ્રકને ૧૯૮૩માં લુંટવામાં આવી હતી અને આ લુંટ વિકટર ગરેના દ્વારા કરાઇ હોવાનું કહેવાતું હતુ.ગરેનાએ સાત મિલિયન ડોલરની રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો.તે આ ટ્રકનાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો પણ તે તેની ગરીબીથી કંટાળી ગયો હતો અને તેણે એક લાંબો હાથ મારવાની યોજના ઘડી અને તેણે તેની સાથે કામ કરનારા લોકોને ઘેનનું ઇન્જેકશન આપીને બેહોશ કર્યા હતા અને ત્યારબાદ રોકડ રકમ એક બ્યુકમાં લાદીને તે ફરાર થઇ ગયો હતો.અમેરિકાનાં ઇતિહાસની આ સૌથી મોટી લુંટ હતી.પોલીસ માનતી હતી કે ગરેના લુંટની રકમ સાથે મેક્સિકો જે તેનો દેશ હતો ત્યાં ચાલ્યો ગયો હોવો જોઇએ.તેણે લુંટેલી રકમ પ્યુએટોરિકોમાં ચળવળ ચલાવતા લોસ મેસેટેરોસ નામનાં સંગઠનને આપી હોવાની પણ થિયરી વ્યકત કરાઇ હતી.એફબીઆઇએ આ લુંટમાં સામેલ અન્ય ઓગણીસ લોકોની ધરપકડ કરી હતી પણ ગરેના હાથ લાગ્યો ન હતો.જો કે તે ક્યુબામાં હોવાની પણ થિયરી છે તે ૧૯૮૪થી એફબીઆઈની ટોપ ટેન મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સામેલ છે પણ હજી તે ફરાર છે.
જમાલ અલ ઘાશીએ આતંકવાદી જુથનો સભ્ય હતો જેણે મ્યુનિક ઓલિમ્પિકમાં ૧૯૭૨માં ઇઝરાયેલી એથ્લિટ્સનાં જુથનું અપહરણ કર્યું હતું.તેમણે ૨૦૦ પેલેસ્ટાઇની કેદીઓને છોડવાની માંગ કરી હતી.જોકે ઇઝરાયેલ અને અન્ય દેશોએ તેમ કરવાનો ઇન્કાર કર્યો ત્યારે જર્મન પોલીસ સક્રિય થઇ હતી પણ તેમણે જે કુશળતાથી આ મુદ્દાને હેન્ડલ કરવું જોઇએ તે રીતે કરી શકી ન હતી.આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં અગિયાર હોસ્ટેજ અને પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા.અલ ઘાશી પકડાયો હતો જો કે બે મહિના બાદ અન્ય એક આતંકવાદી જુથે લુફથાન્સા એરવેઝનું અપહરણ કર્યું હતુ અને તેમણે બંધકોને છોડવા બદલ ઘાશીની મુક્તિની માંગ કરતા તેને છોડવામાં આવ્યો હતો.ઇઝરાયેલે ત્યારબાદ ઘાશીને પકડવા માટે રેથ ઓફ ગોડ અભિયાન ચલાવ્યું હતું પણ તેઓ ઘાશીને પકડવામાં સફળ થયાં ન હતા અને ત્યારબાદ મોસાદની સક્રિયતા છતાં ઘાશી ઝડપાયો નથી.જો કે ૧૯૯૯માં તેણે એક અજ્ઞાત સ્થળેથી આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તેણે જે કર્યુ હતું તે બદલ તેને ગર્વ છે.
૧૯૬૦માં વીસ વર્ષીય શેરોન કીન અને તેના પતિ વચ્ચે છુટાછેડા મામલે વિવાદ ચાલતો હતો પણ તે દરમિયાન શેરોને તેના પતિની માથામાં ગોળી મારીને હત્યા કરી હતી.પહેલા તો પોલીસ માનતી હતી કે એ એક અકસ્માત હતો પણ ત્યારબાદ તેમને એ હત્યા હોવાનું જણાયું હતું અને તેમણે શેરોનની શોધ આદરી હતી જેના વિશે કહેવાતું હતું કે તે કેન્સાસમાં દેખાઇ હતી.તેને પકડવામાં આવી હતી અને અદાલતમાં તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે તેણે આ પહેલા પણ પાંચ વખત તેને મારવાનો પ્રયાસ કર્યો હતો.તેણે જેલમાં અનેક ગુનેગારો સાથે મુલાકાતો કરી હતી જેમાં કેટલાક તો માફિયા સાથે પણ સંકળાયેલા હતા.તે ૧૯૬૪માં જામીન પર બહાર આવી હતી અને ત્યારબાદ તે ગાયબ થઇ ગઇ હતી તેની સાથે એક અન્ય કેદી પણ હતો જે ત્યાંથી મેક્સિકો ચાલ્યા ગયા હોવાની થિયરી વ્યકત્ કરાઇ હતી.મેક્સિકન મીડિયાએ તેને લા પિસ્તોલેરા નામ આપ્યું હતું.તે મેક્સિકોમાં પકડાઇ હતી અને તેને દસ વર્ષની સજા થઇ હતી પણ તે ૧૯૬૯માં જેલ તોડીને ફરાર થઇ ગઇ હતી અને ત્યારબાદ તે કોઇને દેખાઇ નથી.કેટલાક માને છે કે તે મરી ગઇ હશે તો કેટલાક માને છે કે તે ગ્વાટેમાલા ચાલી ગઇ હશે.
૧૯૮૭માં ગ્લેન સ્ટુઅર્ટ ગોડવિન ફોલ્સોમ જેલ તોડીને ફરાર થઇ ગયો હોવાની થિયરી રજુ કરાઇ હતી.તેણે જેલમાંથી ભાગી છુટવા માટે પાણીનાં નાળાનો ઉપયોગ કર્યો હતો અને તે ટનલમાંથી નિકળીને રાફ્ટ દ્વારા ફરાર થઇ ગયો હતો.આ સમગ્ર ઘટના હોલિવુડની ફિલ્મ ધ શોશાંક રિડેમ્પશનની યાદ અપાવે છે પણ આ એક વાસ્તવિક ઘટના હતી.તે એક ખતરનાક ગુનેગાર હતો જેણે જેલમાંથી ભાગી છુટવા માટે પહેલા તો જોરદાર પ્લાન બનાવ્યો હતો અને ત્યારબાદ સાથી કેદીઓમાંથી કેટલાકની મદદ લીધી હતી તેમાંથી એક તેની સાથે જેલમાંથી ભાગ્યો હતો પણ તેણે ત્યારબાદ આત્મહત્યા કરી હતી.ગોડવિને જોકે ત્યારબાદ લગ્ન કર્યા હતા અને મેક્સિકો ભાગી છુટ્યો હતો.અહી તે ડ્રગ્સની હેરફેરનાં ગુનામાં ઝડપાયો હતો અને તેને ઉચ્ચ સુરક્ષા ધરાવતી જેલમાં મોકલાયો હતો પણ તે ૧૯૯૧માં ફરી જેલ તોડીને ફરાર થયો હતો અને ત્યારબાદ તે કોઇને દેખાયો ન હતો.એફબીઆઇ જો કે માને છે કે તે હજી પણ પ્લાસ્ટીક સર્જરી કરાવીને મેક્સિકોમાં જ રહે છે.
૧૯૬૦માં જહોન ડેબોરાએ બ્લેક પેન્થરમાં પ્રવેશ મેળવ્યો હતો અને તેણીએ તેનું નામ બદલીને અસ્સાતા શકુર રાખ્યું હતું.અહી તેણે તેની કામગિરીથી તમામને પ્રભાવિત કર્યા હતા પણ તેણે ત્યારબાદ બ્લેક પેન્થર કરતા પણ વધારે ખતરનાક બ્લેક લિબરેશન આર્મીમાં પ્રવેશ મેળવ્યો હતો.૧૯૭૪માં તેણે ન્યુજર્સીનાં એક પોલીસ અધિકારીને ઠાર કર્યો હતો.આ ગુનામાં તેને આજીવન કારાવાસની સજા થઇ હતી.૧૯૭૯માં તેને છોડાવવા માટે તેના સંગઠને જેલ પર હુમલો કર્યો હતો અને તેને છોડાવી હતી.અહીંથી નિકળીને તે ક્યુબા પહોંચી હતી અહી તેને રાજકીય આશ્રય અપાયો હતો.જો કે ન્યુજર્સીએ તેને એક આતંકવાદી જાહેર કરી હતી અને તેના પર પોલીસ અધિકારીનો કેસ ચાલુ રાખ્યો હતો.જો કે ક્યુબાથી અમેરિકા લાવવાનાં તેમનાં તમામ પ્રયાસો નિષ્ફળ જ નિવડ્યા હતા.