ram namnu abhivadan in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | રામ નામ નું અભિવાદન

Featured Books
Categories
Share

રામ નામ નું અભિવાદન

રામ નામ નું અભિવાદન

रामस्य सर्वं वशे

ભગવાન રામજીના આધીન સર્વસ્વ છે.

એક મેનેજર  બરફ બનાવતી કંપનીમાં કામ કરતો હતો. આ કંપની પાસે ફ્રોઝન પણ હતું. જેમાં તેઓ ખાદ્ય પદાર્થો ને વરસ દિવસ સુધી વેચાણ દરમ્યાન રાખી દેતા. જયારે વેચાણ થાય તે વસ્તુ કાઢી ફરી પાછુ ફ્રોઝન બંધ કરી દેતા.

એક દિવસ, ફ્રોઝન રૂમ  બંધ થવાના સમયે, તે મેનેજર  એકલો ફ્રીઝર રૂમની અંદર ચક્કર લગાવવા ગયો. ભૂલથી દરવાજો બંધ થઈ ગયો, અને તે ફ્રોઝન રૂમ માં  ફસાઈ ગયો.

બીજા દિવસે  રજાનો સમય હતો, અને બધા કામદારો ઘરે જઈ રહ્યા હતા. કોઈએ ધ્યાન ન આપ્યું કે કોઈ અંદર ફસાયેલું છે. તે વ્યક્તિ સમજી ગયો કે બે-ત્રણ કલાકમાં તેનું શરીર બરફ બની જશે. જ્યારે મૃત્યુ તેની સામે દેખાવા લાગ્યું, તેણે સાચા મનથી ભગવાનને યાદ કરવાનું શરૂ કર્યું.

તેણે પોતાના કર્મોની ક્ષમા માંગી અને ભગવાનને કહ્યું, "હે પ્રભુ! તમે પ્રહ્લાદને અગ્નિમાંથી બચાવ્યો, અહલ્યાને પથ્થરમાંથી સ્ત્રી બનાવી, શબરીના જૂઠા બોર ખાઈને તેને સ્વર્ગમાં સ્થાન આપ્યું. જો મેં જીવનમાં એક પણ માનવતા કે ધર્મનું કામ કર્યું હોય, તો મને અહીંથી બહાર કાઢો. મારાં પત્ની અને બાળકો મારી રાહ જોતાં હશે. આ સંસારમાં તેમનું પેટ પોષનાર હું જ એકલો છું. હું આખું જીવન તમારા આ ઉપકારને યાદ રાખીશ." એટલું કહેતાં-કહેતાં તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.

એક કલાક જ થયો હશે કે અચાનક ફ્રીઝર રૂમમાં 'ખટ-ખટ'નો અવાજ થયો. દરવાજો ખૂલ્યો, અને ચોકીદાર દોડતો આવ્યો. તેણે તે મેનેજરને  ઉઠાવીને બહાર કાઢ્યો અને ગરમ હીટર પાસે લઈ ગયો. થોડી વારમાં તેની હાલત સુધરી. તેણે ચોકીદારને પૂછ્યું, "તમે અંદર કેવી રીતે આવ્યા?"

कर्मफल-यदाचरित कल्याणि ! शुभं वा यदि वाऽशुभम् । तदेव लभते भद्रे! कर्त्ता कर्मजमात्मनः ॥

भावार्थ :

મનુષ્ય જેવું પણ સારું કે ખરાબ કર્મ કરે છે, તેને તેવું જ ફળ મળે છે. કર્તાને પોતાના કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે.

 

ચોકીદારે કહ્યું, "સાહેબ, હું 20 વર્ષથી અહીં કામ કરું છું. આ કારખાનામાં રોજ સેંકડો મજૂરો અને અધિકારીઓ આવે-જાય છે. હું જોઉં છું, પણ તમે તે થોડા લોકોમાંથી એક છો, જે કારખાનામાં આવતી વખતે મને હસીને 'રામ રામ' કરે છે, મારો હાલ-ચાલ પૂછે છે, અને જતી વખતે 'રામ રામ કાકા' કહીને મારા આખા દિવસનો થાક દૂર કરી દે છે. બાકીના લોકો તો એમ જ પસાર થઈ જાય છે, જાણે હું અસ્તિત્વમાં જ ન હોઉં.

આજે, રોજની જેમ, મેં તમારું આવતી વખતે 'રામ રામ' તો સાંભળ્યું, પણ 'રામ રામ કાકા' સાંભળવા માટે હું રાહ જોતો રહ્યો. જ્યારે ઘણો સમય થઈ ગયો, તો મને લાગ્યું કે કદાચ તમે કોઈ મુશ્કેલીમાં ફસાયા હશો. એટલે હું તમને શોધવા નીકળી પડ્યો."

ભગવાનને જેમ પોતાની અંદર નિહાળવો તેમ તેજ ભગવાનને બીજાની અંદર નિહાળવો.

રામ રામ નો આજ સાચો અર્થ.

*श्रीरामः शरणं समस्तजगतां रामं विना का गति।*

*रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः।*

*रामात् त्रस्यति* *कालभीमभुजगो*

*रामस्य सर्वं वशे*

*रामे भक्तिरखण्डिता भवतु मेराम त्वमेवाश्रय:।।१*

શ્રીરામચંદ્રજી સમગ્ર સંસારને શરણ આપનારા છે. શ્રીરામ વિના બીજો કયો માર્ગ છે? શ્રીરામ કલિયુગના સર્વ દોષોનો નાશ કરે છે, આથી શ્રીરામચંદ્રજીને નમન કરવું જોઈએ. કાળરૂપી ભયંકર સર્પ પણ શ્રીરામથી ભયભીત રહે છે. જગતનું સર્વસ્વ ભગવાન શ્રીરામના અધીન છે. મારી શ્રીરામમાં અખંડ ભક્તિ અટલ રહે. હે રામ, તમે જ મારો એકમાત્ર આધાર છો.

 

આ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયો કે કોઈને હસીને 'રામ રામ' કહેવા જેવું નાનું કામ આજે તેના જીવનનું કારણ બન્યું.

"રામ કહેવાથી તરી જાઓગે."
મીઠા બોલ બોલો,
સંવરી જાઓગે.
અહીં દરેકનું પોતાનું જીવન છે,
કોઈ કોઈનું ખાતું નથી.
તમે બીજાને જે આપશો,
તે જ પાછું ફરીને આવે છે.

રામ નામની શક્તિ

મજધારે ફસાયેલો, બરફની કેદમાં,
મન હતાશે ડૂબેલું, મૃત્યુના ભેદમાં.
સાચા દિલથી રામ નામ, શિષ્યે લીધું જપ,
પ્રહ્લાદ, અહલ્યા, શબરીનું, યાદ આવ્યું તપ.

મીઠા બોલની શક્તિને, જગ ન જાણે ઘણું,
"રામ રામ"નો સંબોધન, બન્યું જીવનધન.
નાનું કર્મ, હૃદયથી, બનાવે બંધન,
ચોકીદારના કાનમાં, રહ્યું એનું સ્મરણ.

કરુણાનો એક શબ્દ, જગાવે જીવન નવું,
ધર્મનું એક પગલું, બચાવે નામ રવું.
કર્મનો નિયમ સાચો, પાછું ફરે છે જે,
જે આપે છે જગને, તે જ મળે છે એ.

વિશ્વાસની એક જ્યોત, અંધારે રાહ બતાવે,
ઈષ્ટનું નામ લેવું, મુશ્કેલી દૂર થાવે.
ચોકીદાર બન્યો દેવદૂત, ખોલ્યો મૃત્યુનો દ્વાર,
નાની દયાનો સંબંધ, બન્યો જીવનનો આધાર.

હે મનુજ, બોલો મધુર, રાખો શ્રદ્ધા જાગે,
"રામ રામ"નું સ્મરણ, જીવનને તારે લાગે.
કર્મનો સંગીત ગુંજે, જગમાં દયા વહે,
રામ નામની શક્તિથી, જીવન સફળ થઈ રહે.