Jaideep Ahlawat in Gujarati Biography by Khyati Maniyar books and stories PDF | જયદીપ અહલાવત

Featured Books
  • DIARY - 6

    In the language of the heart, words sometimes spill over wit...

  • Fruit of Hard Work

    This story, Fruit of Hard Work, is written by Ali Waris Alam...

  • Split Personality - 62

    Split Personality A romantic, paranormal and psychological t...

  • Unfathomable Heart - 29

    - 29 - Next morning, Rani was free from her morning routine...

  • Gyashran

                    Gyashran                                Pank...

Categories
Share

જયદીપ અહલાવત

ઓટીટી પર રિલીઝ વેબ સિરીઝ પાતાળ લોકમાં નામના મેળવી પણ ચર્ચાતો મહારાજથી જ થઇ

મહારાજ ફિલ્મમાં મહારાજની કિરદાર નિભાવનાર જયદીપનું જીવન પણ સંઘર્ષ ભર્યું

એક સમયે જયદીપ અહલાવતને કામ મળતું નહતું, આજે બે વર્ષ સુધી તારીખો નથી




વૈષ્ણવ સંપ્રદાયના જદુનાથજી મહારાજ આજકાલ ઘણા ચર્ચામાં છે. ઓટીટી પર રિલીઝ થયેલ વિવાદાસ્પદ ફિલ્મ મહારાજમાં જદુનાથજી મહારાજનું પાત્ર ઘણું દિલચસ્પ છે. પછી ભલેને આમિર ખાનના પુત્રને લોન્ચ કરવા ફિલ્મ બનાવી હોય પરંતુ મુખ્ય ભૂમિકા તો મહારાજની જ છે. મહારાજની ભૂમિકા ભજવનાર એક્ટર જયદીપ અહલાવતનો એક સમય એવો પણ હતો કે, જ્યારે તેમની પાસે બિલકુલ કામ નહોતું. પરંતુ આજે એમની પાસે બે વર્ષ સુધી નવી ફિલ્મ માટે તારીખ નથી.
જયદીપ અહલાવતનો જન્મ હરિયાણાના રોહતકના મહેમ નામના ગામમાં થયો હતો. રોહતકની જાટ કોલેજમાં સ્નાતક થયા પછી 2005માં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમએ કર્યું. 2008માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાંથી અભિનયમાં સ્નાતકનો અભ્યાસ કર્યો. જેમાં તેમની સાથે રાજકુમાર રાવ, વિજય વર્મા અને સની હિન્દુજા જેવા અભિનેતા હતા.
નાની ઉંમરે થિયેટર કર્યુ હોવા છતાં જયદીપને ભારતીય આર્મી ઓફિસર બનવાની ઈચ્છા હતી. પરંતુ આર્મીની પરીક્ષા પાસ કરવામાં અસફળ થતાં તેમણે એક્ટિંગની દુનિયામાં ઝંપલાવ્યું. શરૂઆતમાં પંજાબ અને હરિયાણામાં સ્ટેજ શો કર્યા. અભિનયમાં સ્નાતક થયા પછી અભિનયની દુનિયામાં કોઈપણ ગોડફાધર વિના જ પ્રવેશ કર્યો. જેના માટે તેઓ ફિલ્મ નગરી મુંબઈ ગયા અને બોલીવુડમાં કરિયર શરૂ કર્યું.
2010માં નકારાત્મક પાત્રના રૂપમાં પ્રિયદર્શનની ફિલ્મ ખટ્ટા મીઠાથી કરિયરની શરૂઆત થઇ. ત્યારબાદ 2012માં અનુરાગ કશ્યપની ગેંગ ઓફ વાસેપુર ફિલ્મથી જયદીપના જીવનમાં નવો વળાંક આવ્યો. એમ કહેવાય કે, ગેંગ ઓફ વાસેપુર ફિલ્મથી જ જયદીપને એક નવી ઓળખ મળી. આમ જયદીપે એક પછી એક ફિલ્મમાં અભિનયના ઓજસ પાથર્યા અને લોકપ્રિયતા મળતી ગઈ.
જીવનમાં સંઘર્ષ વિના કશું જ મળતું નથી. જયદીપને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની લોકપ્રિયતા મેળવવા ઘણા વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. 15 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહેલા જયદીપના જીવનની સફર યુવા વર્ગને ઘણી પ્રભાવિત કરે એવી છે. જયદીપને રઈશ અને રાઝીના અભિનયથી ઘણી ઓળખ મળી. 2020માં ફિલ્મ ફેર ઓટીટી એવોર્ડ જીતી પાતાળ લોકમાં પોલીસ અધિકારીના અભિનય બદલ ઘણી પ્રશંસા મળી. 2022માં એન એકશન હીરો ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે ફિલ્મ ફેર પુરસ્કાર માટે તેમને નામાંકન પણ મળ્યું હતું.
જયદીપના જીવનમાં એવો પણ સમય હતો જેમાં તેઓ ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવા કોઈ પણ રૂપિયા લીધા વગર કામ કર્યું હતું. આજે એ જ જયદીપ અહલાવત એક ફિલ્મના રૂ. 20 કરોડ ફી લે છે.
પિંક વિલાની એક રિપોર્ટ મુજબ પાતાળ લોકની પહેલી સિઝન કરતા બીજી સિઝનમાં જયદીપ અહલાવતને 50 ગણું વધારે વેતન મળ્યું હતું. જે તેમના માટે એક મોટી સફળતા હતી. છતાં તેમના સંઘર્ષ ભરી સફળતાથી જયદીપ સંતુષ્ટ નથી પણ હા તેઓ સુકુન જરૂર મહેસુસ કરે છે. તેમને એ વાતનો સંતોષ છે કે લોકો હવે તેમને અભિનેતા તરીકે જોવા માગે છે. હજી પણ તેઓ એમ જ માને છે કે, આ તો હજી શરૂઆત છે, આગળ ઘણું મેળવવાનું બાકી છે.
સ્ટ્રગલિંગના દિવસો યાદ કરતા જયદીપ કહેતા કે, ઓડિશન પર ઓડિશન આપતો જ રહ્યો પરંતુ એના પરથી શીખવા પણ એટલું જ મળતું હતું. બીજા અભિનેતા પાસે કામ છે, એવું સાંભળતા પોતાની પાસે કામ નથી તેનો અફસોસ પણ એટલો જ થતો. હવે, એવો સમય આવી ગયો છે કે, કામથી વીસેક દિવસ આરામ લઈ ક્યાંક ફરવા જતા રહેવાની ઈચ્છા થાય છે.
2024માં આવેલ વિવાદાસ્પદ ફિલ્મ મહારાજની વાત કરીએ તો જયદીપ અહલાવતને હવેલીના રાજાની ભૂમિકા ભજવવા માટે માત્ર પાંચ મહિનામાં 26 કિલો વજન ઘટાડવું પડ્યું હતું. મહારાજ ફિલ્મના બે તરફથી રીવ્યુસ આવી રહ્યા છે. પરંતુ મહારાજની ભૂમિકા ભજવનાર જયદીપને ઘણા પોઝિટિવ રીવ્યુ જ મળ્યા હતા. મહારાજ ફિલ્મ જેટલી વિવાદાસ્પદ રહી છે એટલી જ જયદીપને તેના અભિનય બદલ ખ્યાતિ મળી છે.
પ્રખ્યાત અને સફળ અભિનેતા જયદીપ અહલાવતનું માનવું છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતાને અભિનેતા બનાવનાર રાઇટર્સ છે જેથી તેમને પણ તેટલું જ મહત્વન આપવું જોઈએ. જયદીપ અહલાવત ફિલ્મમાં અભિનયની સાથે સાથે ફિલ્મ ડિરેક્શનમાં પણ એટલી જ રુચિ ધરાવે છે. તેમની પાસે સ્ટોરીટેલિંગનું હુન્નર પણ છે.
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, નેપોટિઝમ પર પોતાના મંતવ્ય રજૂ કરતા જયદીપે કહ્યું છે કે, નેપોટીઝમથી કારકિર્દીને કોઈ અસર થતી નથી. પોતાની આવડત અને અભિનયથી તમે સફળ કારકિર્દી બનાવી જ શકો છો. રણવીર કપૂર અને વરુણ ધવન સ્ટાર કીડ છે એટલે સારા એક્ટર છે એમ નથી. જો એ જાતે જ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હોત તો પણ સારા એક્ટર જ હોત. હું બીજો રણબીર કપૂર નથી, હું પહેલો જયદીપ અહલાવત જ છું.