Quotes by SUNIL ANJARIA in Bitesapp read free

SUNIL ANJARIA

SUNIL ANJARIA Matrubharti Verified

@sunilanjaria081256
(4.8m)

"બસ, પાંચ કિલો ખાંડ!"
હમણાં મારી ઈશ્વર અને ભાગ્ય પ્રત્યે શ્રદ્ધા ઓચિંતી ઉમટી પડી. આખી જિંદગી god fearing અને pious હોવા છતાં થયું કે દાન ધર્મ કરીએ, કંઇક રાહત મળે, ભગવાન રાહત આપે.
આજે શ્રીમતી બોપલ ભવ્યપાર્ક પાસે મારી જ કોઈ વસ્તુ લેવા ઉભેલ અને હું સાઇડ પર એકટીવા લઇને.
પહેલાં એક સાધન આવતું, light diya and god appears (એટલે એક તકતી પર ભગવાનની અદૃશ્ય છબી હોય, સાથેની દીવીમાં દીવો કરો એટલે ગરમીથી એ તકતી પર ભગવાનની છબી દેખાય.) એમ હવામાંથી કે કોણ જાણે ક્યાંથી એક ડોશી ભિખારણ પ્રગટ થઈ. "મારા વીરા, કાંઈક દાન કર, તારી બધી યાતનાઓ દૂર થઈ જશે" વગેરે કહેવા લાગી. (એને ક્યાં થી ખબર મારા મનમાં શું ચાલી રહ્યું હોઈ શકે? ફેસ રીડિંગ ની પ્રેક્ટિસ?)
હવે ઓચિંતા ધાર્મિક બનેલા મારા ખીસામાં પાકિટ નહીં. બધું યુપીઆઈ થી કરું. એને કહ્યું તો કહે "ભઈલા, સમજું છું. સામેની દુકાનમાંથી કાંઈક અપાવી દે." શ્રીમતી દૂર હતી, દેખાતી ન હતી. મેં કહ્યું બોલ, શું જોઈએ છીએ? તો કહે તું જે આપે એ. મેં કહ્યું એક બે કેરી કે ફ્રૂટ અપાવું? તો કહે ના, ફ્રુટ તો નથી લેવું. એમ કર, મારે પીવા ચા ખાંડ અપાવી દે. એ કરિયાણા વાળો સ્કેન લેશે. ઠીક, મેં કહ્યું ભલે, સો ગ્રામ ખાંડ અપાવું. તો કહે અરે બાપલા, એટલામાં શું થાય? પાંચેક કિલો કરી દે
!!
અમને બે ને પણ મહિને માંડ દોઢ કિલો કે ઓછી જોઈએ.
દાન નો વિચાર માંડી વાળ્યો . મુશ્કેલીઓ તો ઝળુંબે , આર્થિક અને અનેક ભય કે ટેન્શન લેતી આવે પણ એટલે આમ દાન કરવું ન ગમ્યું. ત્યાં શ્રીમતી આવી. મેં કહ્યું આને વીસેક રૂપિયા આપી દે. તો એ કહે બાઈ, સો તો સામાન્ય કહેવાય! Mrs કહે આ ગમે ત્યાંથી ટપકી પડે છે. અમુક ભિખારીઓ આવાં માર્કેટ પ્લેસ, મંદિરો પાસે પેધાં પડ્યાં હોય છે. હાલો, કરો એક્ટિવા સ્ટાર્ટ.
એ બાઈ થી પીછો છોડાવવા ત્રણ વાર મારી એક્ટિવા સાથે જગ્યા બદલી, એ બધે થોડી સેકન્ડમાં આવી ગઇ.
શ્રદ્ધા, દાન થી મુશ્કેલીઓમાં રાહત થશે વગેરે અંધ માન્યતા જેમાં અત્યારે હું પણ આવી ગયો, એ રહેશે ત્યાં સુધી આ ભિખારીઓ નો ધંધો અમર રહેશે. આમાં પણ નેગોશીએશન હશે, જે પાંચ કિલો કહી પાંચસો ગ્રામ પર આવશે?

Read More

રાજકોટ ની ચર્ચિત કથાની ઘણી પોસ્ટ્સ વાંચી. છેલ્લે હમણાં જ જે વસાવડાની કે હનુમાનજી તો ભૂત નસાડે, એની કથામાં ભૂતો ધૂણ્યા?
આમ તો વિષય સાઇકિઆટ્રિસ્ટી ને સ્પર્શતો છે પણ આવું મેં જોયેલું છે. એક જ રિધમમાં અમુક ધૂન ગવડાવે , એક જ મ્યુઝિક. સાવ પ્રાથમિક ટોન માં તો મા બાળકને હીંચકો નાખતી હાલરડાં ગાય એવું, એક જ રિધમ, હીંચકાની એક sooyhing પેટર્ન બાળકને ઊંઘાડી દે છે. એમ જ અહીં કોઈ ધૂન, પાછી ડોલતાં ડોલતાં બોલવાની, પહેલાં ધીમે, પછી ખબર ન પડે એમ વધુ ધીમે, પછી ફાસ્ટ. એટલે મગજ કન્ફ્યુઝ થઈ એમાં ઓતપ્રોત થઈ જાય અને પેલુ મ્યુઝિક સાથે ડોલવાનું જોર પકડે, હજી વધુ, હજી ઝડપથી ધૂન અને મ્યુઝિક. પછી તે ઓચિંતું બંધ થાય .
ચાલતી ટ્રેન ઉભી રહે તો એકદમ આગળ ઝૂકીએ એમ મગજનું બેલેન્સ અને એમ આખું શરીર એ ડોલન શૈલીમાં હોય જે એકદમ ધૂન, મ્યુઝિક બંધ પડતાં થોડી વાર ધૂણ્યા કરે. મગજ પર કાબુ ન હોય એટલે માણસ ગોળ ફરે, હાથ પગ પછાડે.
થોડું માસ હિપ્નોટિઝમ જેવું પણ. મગજના વેવ્ઝ ને એ આલ્ફા કે થીટા કહે છે એવું.
વર્ષો પહેલાં અમરેલી નોકરી કરતો ત્યારે કોઈ પ્રોગ્રામ માં હરિ ઓમ તત્સત્.. જય ગુરુદત્ત.. એ રીતે બોલાવતા હતા. એક નાગર, સ્માર્ટ બહેન મંદાકિની પુંડરિકરાય અંજારિયા તરત ઊભાં થઈ બહાર જઇ આવ્યાં અને એક મીનળ ઓઝા નામની યોગ એક્સપર્ટ છોકરી ભાન ગુમાવવા માં જ હતી તેને થપ્પડ કે ચોટીઓ ભરી કહે જાગૃત રહે, ધૂન બંધ કરી દે.
આ વાત એ બહેને કરી હતી. એ ધૂન સાથે સાવ ધ્યાનમાં હોય કે ટ્રાન્સ માં હોય તેમ લોકોને ધુણતા જોયા છે.
અહીં પણ આવું જ હોવું જોઈએ. માસ હિપ્નોટિઝમ દ્વારા કોઈ ખેલ.

Read More

આજે ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી.
મને કેમ એવું લાગે છે કે ભીડભાડ, પરસેવો, ધક્કામુક્કી હવેલી કે કૃષ્ણમંદિરોમાં જ વધુ હોય છે અને રામ કે શિવ મંદિરોમાં વ્યવસ્થા વધુ સારી હોય છે? નાથદ્વારામાં પણ ભીડમાં કચરાવું, ઝાપટિયા ખાવાં એ બધું પુણ્ય ગણાતું. અંબાણીએ ઘણું બદલ્યું. ઇસ્કોન માં પણ એ જ ધક્કા મુક્કી, દબાવાનું, કચરાઈને દર્શન કે આગળ વધવાનું . કાશી વિશ્વનાથ માં પણ સ્લોટ હતા અને એ સિવાય લાઇન.
ઠીક. એ લોકોનો પંથ છે. હિન્દુ તો છે ને?
આજે જ કોઈ પોસ્ટ વાંચી કે શિસ્ત અને સંસ્કૃતિ લોકો નહીં શીખે ત્યાં સુધી કોઈ આપણને વિકસિત નહીં ગણે. એ પોસ્ટ મૂકનારે સિંગાપોર, દુબઈ વગેરેના દાખલા આપેલ.
કૃષ્ણ તરફ અમને બધાને શ્રદ્ધા છે પણ આ રીતે ભીડ,કચરાવું, પરસેવો, ઘડીએ ઘડીએ પરદા બંધ કરી ભીડ ભેગી થવા દે એ બધું હું ધર્મનો ભાગ નથી ગણતો. ગણે એને મુબારક.
અમુક વિચિત્ર વિધાનો કરતા, ગામડાના પટેલોમાંથી દીક્ષા લઈ આવેલ અર્ધશિક્ષિત બાવાઓ સિવાય શિસ્ત અને સમર્પણમાં સ્વામિનારાયણ પંથ વખાણવા લાયક લાગ્યો છે.

Read More

મોદીજી ની અપીલ પછી સોનું ખરીદવાનું ઓછું થશે કે નહીં એ ખબર પડતી નથી પણ એક વાત ચોક્કસ. વૈશ્વિક સ્તરે બે કરન્સી વચ્ચેનો વિનિમય દર બેય દેશો પાસે સોનું કેટલું છે અને 1975 પછી ગલ્ફ દેશોના કેસમાં સોનાને સ્થાને ઇકોનોમી માટે અત્યંત જરૂરી એવાં પેટ્રોલ ડીઝલ કેટલું એ દેશના સોના, એની અવેજીમાં ડોલરમાં સામસામે લેતીદેતી કરી શકે છે એના પર છે.
મોટા ભાગના દેશોમાં ઘરમાં સોનું ઓછું હોય છે, સ્ત્રીઓ સોનું એટલું પહેરતી નથી . યુકે કે અમેરિકન સ્ત્રીઓના ફોટા જુઓ.
હું થાઈલેન્ડ ફરવા ગયેલો ત્યારે ક્યાંક મારા ગાઇડ જે શિક્ષક પણ હતા એણે મારી પત્નીની લાંબીવાળી વાળી સોનાની બુટ્ટીઓ અને સાથે એક યુપી નું કપલ, સ્ત્રીની જાડી સોનાની બંગડીઓ જોઈ કહેલું કે અહીં મુખ્ય મંદિરોમાં બુદ્ધને ગોલ્ડ પ્લેટિંગ કરે જે દેશની સંપત્તિ છે, બાકી સરકારની માલિકી સોનાના જથ્થાની હોય. એટલે જ ત્યાં બીજું કશું ન હોવા છતાં 2011 માં એક બાટ 2.25 રૂપિયા હતો. એથી ઊંધું હોવું જોઈએ છતાં.
એટલે અત્યારની સ્થિતિમાં તો ટ્રમ્પ દાદા હવાતિયાં મારી દીકરીને ખૂબ ઊંચે રાખવા બીજાને પાડીને કરશે જ. આપણે વધુ ન પડવા, ગ્રીસ ની જેમ દેવાદાર ન થવા ગોલ્ડ અને પેટ્રોલ પર કાબુ રાખવો જ પડશે.
મારો પુત્ર 15 વર્ષ બેંગલોર રહી એક વર્ષથી લંડન છે. કહે છે ત્યાં અહીંની જેમ કાર નથી લઈ શકાતી. એ સારી મોટી પોસ્ટ પર હોવા છતાં ટ્યુબ કે ત્યાંની લોકલ ટ્રેનોમાં જ મુસાફરી કરે છે.

જૂના વખતમાં, બે ત્રણ સદી અગાઉ સોનું મુશ્કેલી વખતે વેંચી પૈસા ઊભા થઈ શકતા. જમીન બધા પાસે વેંચી શકાય એટલી ન હોય ને વેંચવા અઘરી એટલે દેહ પરનું સોનું અજાણી જગ્યાએ પણ કામ આવતું. અત્યારે ડિજિટલ કરન્સી , હેલ્થ ઇન્સ્યોરન્સ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સના જમાનામાં એ રીતે સુરક્ષિતતા ની જરૂર નથી એટલે દેહ પર, ખાસ તો સ્ત્રી દેહ પર વીસ પચીસ ગ્રામ સોનું ચડાવો એવું જરૂર નથી.
નવાં પરણતાં યુગલોને પણ સોનુ કરવાને બદલે ઘર લેવા માં આંશિક ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ જ આપી શકાય. બેયનો જીવન અને હેલ્થ વીમો મોટી રકમનો લઈ શકાય. એ સોનુ જે કરતું એ જ કામ કરશે.
તો સોનું સાચે જ ન લઈએ, જોઈએ કે બીજી કરન્સી, ખાસ તો ડોલર સામે ક્યાં રહી શકીએ છીએ.

Read More

ભૂરા આ રામાયણ જોવાથી તારી પત્ની માં શો ફેર પડ્યો?

ભૂરો : પેહલા એ જગડે ત્યારે મને કૂતરો, કમિનો નક્કામો વગેર બોલતી હતી પણ હવે અધર્મી, નિર્લેજ, દુષ્ટ દુરાત્મા કહેતી થઈ છે....!!
- સુધીર મુનશી

Read More

પેટ્રોલ બરાબર મળે છે હોં! હવે જાળવીને વાપરવાનું તો નીમ લઈએ. નજીક ચાલીને જઈ શકાય, એક કે બે વ્યક્તિ જતી હોય તો કાર ને બદલે સ્કૂટર લઈ શકાય અને સિગ્નલ પર વધુ વાર હોય તો એન્જિન બંધ કરવું. એવરેજ પણ ચેક કરાવતા રહેવી. બિનજરૂરી વાહન લઈ ખાલી ફરવાનું ટાળવું.

Read More

ઈરાન વિરુદ્ધ ઘણા દેશો નું યુદ્ધ ચાલી રહ્યું છે. ઇતિહાસ કહે છે કે પારસીઓ ઈરાન થી આવ્યા અને ભારતને તેમનું વતન બનાવી ઘણે ક્ષેત્રે સિંહફાળો આપ્યો. સહુને પારસીઓ માટે ગર્વ છે જ.
શું આજથી 60 વર્ષ અગાઉ ઈરાન સંપૂર્ણ મુસ્લિમ દેશ, radical વિચારસરણી વાળો નહીં હોય?
ભારતના વતન પ્રેમ ઉપરાંત ત્યારે 60 કે 70 ઉપરની વયના પારસીઓ ઈરાન ને પણ મૂળ વતન ગણતા હશે?
એટલે યાદ આવ્યું કે 1966 - 67 માં ઈરાનના રાજા ભારતની અને તેમાં એક દિવસ મુંબઈની મુલાકાતે આવ્યા.
એ વખતે મારા મામા ભાવનગર ઇન્ડિયન એરલાઇન્સ માં હતા અને પ્લેનમાં મુસાફરોને વાંચવા અખબાર અપાતું. એવું એક મુંબઈ સમાચાર તેઓ એ દિવસોમાં ઘેર લઈ આવ્યા. જેમાં અહેવાલ હતો કે ઇરાનના રાજા સફેદ , લશ્કરી ડ્રેસમાં ખુલ્લી જીપમાં મુંબઈ ચોપાટી, મરીન ડ્રાઇવ અને એ પટ્ટી પર ફર્યા અને પારસી કોમ્યુનિટીએ લાઇનોમાં ઊભી તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું.
એ ફોટો મનમાં કોઈક રીતે યાદ રહી ગયો છે. એ સાથે, એક પારસી જમશેદજી ભરૂચાએ લખેલ પંક્તિ

"અય આર્યમિહિર શહેનશાહ એ ઈરાન
તું રોશનવાન બાસી તું ઓ કામરાન."

આગળ પણ લખેલું. મને એ પંક્તિ યાદ રહી ગઈ છે.
રોશન વાન બાસી એટલે કદાચ તેજ પુંજમાં રહેનાર. કામરાન એટલે સમૃદ્ધ, ઇચ્છાઓ પૂરી કરનાર.
60 વર્ષ અગાઉ જે 70 ના હોય એમના બે કે ત્રણ પેઢી અગાઉ ના વડવા ઈરાનથી આવ્યા હોય એટલે ભરૂચા જેવી અટક હોવા છતાં ઈરાનના શાહ વિશે આવી પ્રસ્તુતિ લખી હોય.
મુંબઈ સમાચાર પારસી ગ્રુપે ચાલુ કરેલું. તેમાં એક કોલમ નું નામ પારસી તારી આરસી યાદ છે.
આવું બીજા 60 વર્ષે મને યાદ કેમ છે? ઈશ્વર જાણે.
એ ફોટામાં રાજા પ્રમાણમાં યુવાન દેખાતા હતા. આ ફોટો નેટ પરથી શોધ્યો, કંઈક આવું હતું. ખુલ્લી જીપમાં સહુને હાથ ઊંચો કરી ગ્રીટ કરતા ઇરાનના શહેનશાહ, સાથે કોઈ ડીગ્નિટી, પારસીઓ તેમને હાથ ઊંચા કરે છે.

Read More

આવને રમીએ સંતાકૂકડી.
આવને રમીએ સંતાકૂકડી.

જેમ રમે દિવસ ને રાત,
દોડું હું તું સંતાવા ભાગ,

હું દોડું તું આવ ઢૂકડી
આવ રમીએ સંતાકૂકડી.

ક્યાં ગયા પ્રિય, હું ગોતું અહીંથી તહીં
અવાજ દો, હું શોધી શકી નહીં.

આવો પ્રિય હું અહી છું સંતાઈ
આ કરો થપ્પો પીઠે મારી ધબ્બો

ચાલો હું આઉટ થઈ,
રમીએ હવે નવું કઈં.

દિવસ ઢળ્યો આ, ખીલી સંધ્યાની લાલી
રંગ ભર્યા સમે આ ખેલ મૂકી ક્યાં ચાલી?

દિલ મારું મચલે રમવાને તલસે
ચાલ રમીએ તો સાતતાળી.

દો તાળી નિરાંતે પ્રિય, હાથ પંપાળી
દોડો હવે તમે હું પકડવા આવી.

સાથ રહેવું પ્રેમના આ મારગે
કોને ખબર કેવું ભાગ્ય જાગે

એટલે જ કહું રમી લઈએ પ્રિયે
સમય મળ્યો છે રહેવા શાંત જીવે

ભાગ્યો હું તું પકડવા આવીશ
પકડયા છોડો પ્રિય, આમ હું થાકીશ.

પાસે ઉભા તમે મારાં દિલમાં છુપાઈ
એની તો મને ધકધક જણાઈ.

પડી ખબર નહીં તું પકડાઈ ક્યારે
જોયું દિલમાં મારા તું જકડાઈ ભારે.

ફરતી હું ફુદડી ખુશીની મારી
ભલે દિન ઢળ્યો રમત રાખો જારી.

તો ચાલ પ્રિયે ફરીએ ફેરફુદરડી
હાથોમાં હાથ લઈ દોડીએ બે ઘડી

હાંફી ગઈ પ્રિય, આ તમ ખભે ઢળી
જીત્યા તમે હવે ચુમો મને લળી

બેસીએ ખૂણે એક કરતાં મીઠી વાતો
વાયે છે સુગંધી સમીર મદમાતો.

ભલે ચાલ પ્રિયે રમત આજની પુરી
ગમે તે હો, જીવીશું સાથે જિંદગી મધુરી

સંસારની રમત જોજે નવા ખેલે ચાલી
સુખ દુઃખમાં સાથે સહશું કે મહાલી

રમીશું સદા સાતતાળી સપ્તપદી સાથે
ફરશું આયખું ફેરફુદરડી ભાગ્ય સંગાથે

સુખદુઃખ ભલે જીવને રમે સંતાકૂકડી
હું હાથ મુકીશ નહીં તું રહેજે ઢૂંકડી.
**

Read More

આજના સુપ્રીમ કોર્ટ ના ચુકાદાનું આખા દેશે સ્વાગત કર્યું.
એટ્રોસાઈટ એક્ટનો પણ આ રીતે ખૂબ દુરુપયોગ થાય છે. બેન્કની લોનો એ વર્ગ સબસિડી સુધી ચાલુ રાખે, એમને જ મળે એવી સબસિડી લે પછી રામેરામ. મેનેજર એ કોઈને દબડાવે તો સીધો એટ્રોસાઇટ. આ એક દાખલો છે.
મેં કુતૂહલવશ એક નિરીક્ષણ કરેલું, અત્યારે સવર્ણો લઘુમતીમાં આવી ગયા છે!

એ વર્ગને શિક્ષણ નહીં જેવા ભાવે, નોકરીમાં અને સારી જગ્યાએ એડમિશનમાં ખુબ મોટો ક્વોટા અને સવર્ણ કરતાં ખૂબ ઓછા ટકાએ, અનેક સગવડો માત્ર એમને.. આમાં બંધારણે આપેલ સમાનતા ક્યાં આવી?

હશે, છેલ્લાં બસો અઢીસો વર્ષ એ વર્ગનું શોષણ થયું હશે પણ પછી 80 વર્ષથી એને નામે એ સહુ નાનીનાની વાતમાં પોતાને પીડિત બતાવી કૂદી પડે છે. સવર્ણ વર્ગ એટલો એકત્રિત નથી એટલે કોઈ નવનિર્માણના બાપ જેવી ક્રાંતિ શક્ય નથી. સામે એ વર્ગના લોકો સોશિયલ મીડિયાનો પણ પૂરો ઉપયોગ ભેદભાવ ઓછો કરવા નહીં, વધારવા કરે છે.
ગામડામાં હવે કોઈ દલિતનો વરઘોડો ધરાર રાજપુતોના વિસ્તારમાં અમુક બુમો પાડતો ન નીકળે તો કોઈ હેરાનગતિ થતી નથી જ.

હવે શહેરમાં ટાવરોમાં બાજુવાળો પરપ્રાંતિય દલિત છે કે સવર્ણ એ ખબર પણ પડતી નથી.
હવે જેમને લાભો જાય એટલે ચલાવવું છે એ જ બધા ગોકીરો મચાવે છે.

મોરારજી દેસાઈને 100મુ વર્ષ બેઠું ત્યારે પત્રકારે પૂછ્યું કે દલિતો માટે સંદેશ? એમણે કહ્યું કે નદી સમુદ્રમાં ન મળે તો ગંધાઈ ઊઠે સુકાઈ જાય. એમ હવે દલિત સવર્ણ ભૂલી મુખ્ય પ્રવાહમાં આવી જવું જોઈએ. તેઓ બિચારા સવર્ણ હતા એટલે ક્યાંક વિરોધ થયો. 1997 માં.

ગાંધીજીએ એ વર્ગને પછાત ન ગણવા આભડછેટ દૂર કરવા કહેલું, એમને ઉચ્ચ પદે સ્થાપી દેવા નહીં. છતાં વચ્ચે નોટો પર ગાંધીજી કેમ, આંબેડકર કેમ નહીં એવો વિવાદ ચાલેલો. એ લોકો માટે સમાનતાની શરૂઆત કરનાર ગાંધીજી પણ સવર્ણ હતા એટલે એમને વિશે આ સોશિયલ મીડિયામાં જેમ તેમ લખાયેલું, અમુક વર્ગ દ્વારા, વાંચ્યું છે.
ખુદ આંબેડકરજીએ એ વખતની સ્થિતિમાં પાછળ રહી ગયેલા દલિતોને સાથે લાવવા દસ વર્ષ આરક્ષણ રાખવા કહેલું. એને હવે 80 વર્ષ થયાં. જે સરકાર હોય એ, હવે આરક્ષણ દૂર નહીં કરે એને મત નહીં. બોયકોટ ઇલેક્શન

બંધારણ મુજબ મને એક સવર્ણ તરીકે સમાનતા ને બદલે જિંદગી આખી ભેદભાવ નડ્યો છે. જ્યાં દલિત બહુમતી થઈ જાય એવી ઓફિસમાં પુરી હેરાનગતિ ભોગવી છે. મારે નોકરી કરવી હોય તો કોઈ જગ્યાએ ફરિયાદ થાય એમ ન હતું.
હવે સવર્ણો જ લઘુમતીમાં આવી ગયા છે એટલે તો વસતી ગણતરીમાં જાતિ નો સમાવેશ કરવાના છે એમ સાંભળ્યું.
આ ચુકાદો જે તે સત્તાવાળાઓની આંખ ઉઘાડનારો છે. હવે તો આ જાણીબુઝી એક વર્ગને અન્યાય કરી બીજા વર્ગની તરફેણ બંધ થવી ઘટે.
નાક દબાવવા એક થઈ કહી શકાય કે જો જાતિ આધારિત કે કોઈ પણ પ્રકારનું આરક્ષણ ચૂંટણી પહેલાં સમાપ્ત નહીં થાય તો કોઈ સવર્ણ મત જ નહીં આપે. આમેય એ લોકોની ઘણીખરી વોટબેંક વર્તમાન સરકારની વિરુદ્ધ છે. ફેર વર્તમાન સરકારને પડશે, અત્યારના વિરોધ પક્ષ ને નહીં.

મેં કોઈ માટે ઘસાતો શબ્દ નથી ઉચ્ચાર્યો. હું નરસિંહ મહેતાનું સંતાન છું, હું જાતિ માં માનતો નથી. પણ કોઈ પણ માનીને બીજા ઉપર આધિપત્ય ભોગવે એ પણ માન્ય નથી.

Read More

બાર્બરિક વિશ્વનો શ્રેષ્ઠ ધનુર્ધારી હતો. બાર્બરિક માટે કૌરવો અને પાંડવો બંનેની આખી સેનાનો નાશ કરવા માટે ત્રણ તીર પૂરતા હતા. યુદ્ધના મેદાનમાં, ભીમના પૌત્ર, બાર્બરિક, બંને છાવણીઓ વચ્ચેના રસ્તા પર એક પીપળાના ઝાડ નીચે ઊભા રહ્યા અને જાહેર કર્યું કે તે હારનાર પક્ષ તરફથી લડશે. બાર્બરિકની ઘોષણાથી કૃષ્ણ ગભરાઈ ગયા.
જ્યારે અર્જુન અને ભગવાન કૃષ્ણ ભીમના પૌત્ર બાર્બરિક સમક્ષ તેમના બહાદુરીના પરાક્રમને જોવા માટે હાજર થયા, ત્યારે બાર્બરિકે પોતાની બહાદુરીનું માત્ર એક નાનું પ્રદર્શન કર્યું. કૃષ્ણે કહ્યું, "જો તમે એક જ તીરથી આ વૃક્ષના બધા પાંદડા વીંધી નાખો, તો હું સ્વીકારીશ." બાર્બરિકે પરવાનગી મેળવ્યા પછી, બાર્બરિકે ઝાડ તરફ તીર છોડ્યું.
તીર એક પછી એક દરેક પાંદડાને વીંધતું ગયું, એક પાંદડું તૂટી ગયું અને પડી ગયું. કૃષ્ણે પોતાનો પગ પાંદડા પર મૂક્યો અને તેને છુપાવી દીધો, વિચારીને કે તે વીંધાઈ જશે. જોકે, બધા પાંદડાઓને વીંધતું તીર કૃષ્ણના પગ પાસે અટકી ગયું. પછી બાર્બરિકે કહ્યું, "પ્રભુ, તમારા પગ નીચે એક પાંદડું છે. કૃપા કરીને તમારા પગને ખસેડો, કારણ કે મેં તીરને ફક્ત પાંદડાઓને વીંધવાનો આદેશ આપ્યો છે, તમારા પગને નહીં."
આ ચમત્કાર જોઈને કૃષ્ણ ચિંતિત થઈ ગયા. ભગવાન કૃષ્ણ જાણતા હતા કે બાર્બરિક, તેમના વ્રતથી, હારનારનો પક્ષ લેશે. જો કૌરવો હારતા દેખાય, તો તે પાંડવો માટે મુશ્કેલી ઊભી કરશે. પરંતુ જો પાંડવો બાર્બરિક સામે હારતા દેખાય, તો તે તેમનો પક્ષ લેશે. આ રીતે, તે એક જ તીરથી બંને પક્ષોની સેનાઓનો નાશ કરશે.
પછી, ભગવાન કૃષ્ણ, બ્રાહ્મણનો વેશ ધારણ કરીને, સવારે બાર્બરિકના છાવણીમાં પહોંચ્યા અને ભિક્ષા માંગી. બાર્બરિકે કહ્યું, "માગો, બ્રાહ્મણ! તમારે શું જોઈએ છે?" બ્રાહ્મણનો વેશ ધારણ કરીને કૃષ્ણે કહ્યું, "તમે તે આપી શકતા નથી." પરંતુ બાર્બરિક કૃષ્ણના ફાંદામાં ફસાઈ ગયા, અને કૃષ્ણે તેનું માથું માંગ્યું.
બાર્બરિકે પોતાના દાદા પાંડવોના વિજય માટે સ્વેચ્છાએ પોતાનું માથું બલિદાન આપ્યું. બાર્બરિકના બલિદાનને જોઈને, ભગવાન કૃષ્ણએ તેમને કલિયુગમાં પોતાના નામે પૂજાવાનું વરદાન આપ્યું. આજે બાર્બરિકને ખાટુશ્યામ તરીકે પૂજવામાં આવે છે. કૃષ્ણે પોતાનું માથું જ્યાં મૂક્યું હતું તે સ્થાન ખાટુ તરીકે ઓળખાય છે.
અજાણ્યા રહસ્યો:
૧. ખાટુ શ્યામ એટલે માતા શૈવ્યમ પરાજતા. જેનો અર્થ થાય છે, જે પરાજિત અને નિરાશ લોકોને શક્તિ પ્રદાન કરે છે.
૨. ખાટુ શ્યામ બાબા દુનિયાના શ્રેષ્ઠ ધનુર્ધારી છે, ફક્ત શ્રી રામ જ તેમનાથી મહાન માનવામાં આવે છે.
3. ખાટુશ્યામ જીની જન્મજયંતિ દર વર્ષે કારતક શુક્લ પક્ષની દેવુથની એકાદશીના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
૪. ખાટુમાં આવેલું શ્યામ મંદિર ખૂબ જ પ્રાચીન છે, પરંતુ વર્તમાન મંદિરનો પાયો ૧૭૨૦માં નાખવામાં આવ્યો હતો. ઇતિહાસકાર પંડિત ઝાબરમલ્લ શર્માના મતે, ઔરંગઝેબની સેનાએ ૧૬૭૯માં મંદિરનો નાશ કર્યો હતો. મંદિરની રક્ષા માટે ઘણા રાજપૂતોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.
પ્રખ્યાત બાબા ખાટુ શ્યામ મેળો ખાટુ શ્યામ મંદિર સંકુલમાં ભરાય છે. આ મેળો હિન્દુ મહિનાના ફાગણ મહિનાના શુક્લ પક્ષના છઠ્ઠા દિવસથી બારમા દિવસ સુધી ચાલે છે. એકાદશીનો તહેવાર એક ખાસ પ્રસંગ છે.
૬. બાર્બરિકા દેવીનો ભક્ત હતો. દેવી તરફથી વરદાન રૂપે, તેને ત્રણ દિવ્ય તીર આપવામાં આવ્યા હતા જે તેમના લક્ષ્યોને વીંધી નાખતા અને તેની પાસે પાછા ફરતા. આનાથી બાર્બરિકા અજેય બની ગયો.
૭. બાર્બરિકા તેના પિતા ઘટોત્કચ કરતાં વધુ શક્તિશાળી અને માયાવી હતો.
૮. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ બાર્બરિકનું માથું માંગ્યું, ત્યારે બાર્બરિકે આખી રાત ભજન કર્યું અને ફાલ્ગુન શુક્લ દ્વાદશીના દિવસે, તેમણે સ્નાન કરીને પૂજા કરી અને પોતાના હાથે પોતાનું માથું કાપીને ભગવાન કૃષ્ણને દાન કરી દીધું.
૯. પોતાનું માથું દાન કરતા પહેલા, બાર્બરીકે મહાભારત યુદ્ધ જોવાની ઇચ્છા વ્યક્ત કરી, પછી શ્રી કૃષ્ણએ તેનું માથું એક ઊંચા સ્થાન પર મૂક્યું અને તેને જોવા માટે દ્રષ્ટિ આપી.
૧૦. યુદ્ધ પછી, જ્યારે પાંડવો વિજયનો શ્રેય કોને આપવો તે અંગે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે ભગવાન કૃષ્ણએ જાહેર કર્યું કે ફક્ત બાર્બરિકનું માથું જ આ બાબતનો નિર્ણય કરી શકે છે. બાર્બરિકે જવાબ આપ્યો કે ભગવાન કૃષ્ણનું સુદર્શન યુદ્ધમાં બંને પક્ષોનું સંચાલન કરી રહ્યું હતું, જ્યારે દ્રૌપદી, જે મહાકાળીમાં પરિવર્તિત થઈ હતી, તે લોહી પી રહી હતી.
૧૧. અંતે, શ્રી કૃષ્ણએ વરદાન આપ્યું કે કળિયુગમાં તમારી પૂજા મારા નામે થશે અને ફક્ત તમને યાદ કરવાથી ભક્તો આશીર્વાદ પામશે.
એક ફેસબુક પોસ્ટ

Read More