Quotes by Kuntal Sanjay Bhatt in Bitesapp read free

Kuntal Sanjay Bhatt

Kuntal Sanjay Bhatt Matrubharti Verified

@kuntalbhatt8099
(20.4k)

હસતાં મુખવટા ક્યાં સુધી?


કોઈ અજ્ઞાત આશાઓ, આકાંક્ષાઓ કે ઈચ્છાઓ જે કહો એ મનની ભીતર છાની માની માથું ઊંચક્યા કરતી હોય છે. એને “શ..શ…શ.. હમણાં નહિ થોડી રાહ જો..” કહી ક્યાં સુધી બેસાડી શકીએ? અઘરું તો છે પણ પંચાણું ટકા સફળ થઈ જઈએ છીએ. માનસિક ઉચાટ સાથે હસતો ચહેરો જરાય મેળ ન ખાતો હોય તોય, પ્રયત્નપૂર્વક બે હોઠ ફેલાવી ગાલને આંખ કાનની દિશામાં લઈ જવામાં જબરા સફળ થઈએ છીએ!


લોકોથી, દુનિયાથી એકદમ સરળતાથી મનને સાચવીને ભીતરી સંદૂકમાં પેક કરી દઈએ છીએ. ‘ મારા દુઃખ મારી તકલીફ કે મારાં રંજ કોઈને કહીને ઓછા તો ન જ થાય ને! બહુ બહુ તો કોઈ દિલાસાનાં બે બોલ કહી શકે. બે ચાર મોટીવેશનલ વાક્યો બોલી શકે. પણ મજબૂત તો મારે પોતે જ બનવાનું છે ને!’ એવું સમજી સમજીને ઔપચારિક સ્મિત ઓઢી લઈએ છીએ. બાહ્ય ચહેરા પર સ્મિતનું પોતું મારીને ચમકતો કરીએ છીએ. પણ અમુક સમય ભીતરની ઈચ્છાઓ બળવો પોકારી દે છે. અકળાઈ અને મૂંઝાઈ જવાય છે. એક્ટિંગ કરતાં થાકી જવાય છે. ત્યારે કોઈ એવાની જરૂર લાગે કે કોઈ પ્રશ્નો પૂછ્યા વગર બસ એક હૂંફાળી હગ આપીને રડી લેવા દે. મોટે મોટેથી બોલી લેવા દે. દુઃખ તકલીફો કે ઈચ્છાઓનાં થયેલ અપમૃત્યુનો શોક આંસુઓમાં વહાવી લેવા દે. બસ ચૂપચાપ હગ આપીને માથે- પીઠે હાથ ફેરવ્યા કરે. લગભગ આવું કોઈ ક્યારેય ન મળી શકે. કેમકે, સૌને જ્ઞાની સાબિત થવાની બીમારી થઈ ગઈ છે. બે શિખામણનાં વાક્યો ન બોલે ત્યાં સુધી અધૂરું લાગે. ઉપરથી વ્યક્ત થતાં વ્યક્તિને “ ઓવર થીંકર”, “ઈમોશનલ ફૂલ” “નેગેટિવિટીનો ભંડાર” વગેરે બોલી એની વ્યક્તતાને કે એના સ્વભાવને દુનિયા સાથે મિસ મેચ ગણાવવા લાગે! પરિણામે જે તે વ્યક્તિ માનસિક રીતે વધુ હેરાન થાય છે.


કોઈકનો આ હસતો ચહેરો મરણોપરાંત પણ લોકસ્મૃતિમાં જળવાઈ રહે છે, તો ક્યારેક અમુક ઉંમર પછી ગળે આવી ગયેલ વ્યક્તિ બધું ખુલીને બોલવા લાગેછે. ઘણીવાર એ વ્યક્તિનો આક્રોશ એટલો ભેગો થયો હોય છે કે તે સ્વભાવ પર અસર કરી જાય છે. ‘હમણાં સુધી સારો વ્યક્તિ અચાનક આમ કેમ બન્યો હશે?’ એ જાણવા કે એમની તકલીફો સમજવાની પ્રેમભરી કોશિશ કરવાને બદલે “ઉંમર થતાં ચિડિયા થઈ ગયાં”, “કોણ જાણે કેમ એમનો સ્વભાવ સાવ બદલાઈ ગયો.”, “ એમનાથી તો દૂર જ સારા.” વગેરે સાંભળવા મળી રહ્યું છે.


ક્યારેક એમ થાય કે, “ સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ.” ઘણું સાચું છે! દેખીતું દુઃખ અને ભીતર તૂટયાં ફૂટ્યા કરતાં દુઃખો ઘણાં જુદાં છે. જે હસતાં મુખવટા પાછળનો ચહેરો ઓળખી શકે અને મનની ભીતર સુધી પહોંચી સારવાર કરે એ સાચો સગો કે મિત્ર!


કુંતલ સંજય ભટ્ટ

સુરત

Read More

Kuntal Sanjay Bhatt લિખિત વાર્તા "મોહપાશ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19974386/mohpash

Kuntal Sanjay Bhatt લિખિત વાર્તા "સ્વપ્ન સુંદરી" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19960059/swapn-sundari

Kuntal Sanjay Bhatt લિખિત વાર્તા "સ્વપ્ન સુંદરી" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19960059/swapn-sundari

Kuntal Bhatt લિખિત વાર્તા "મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 18" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19955658/mrugjadi-dankh-18

Read More

સ્વભાવનું અનુકૂલન શક્ય છે!
****************************
સ્વભાવ એટલે શું?મારાં મત મુજબ સ્વભાવ એટલે જે તે માનસિકતાને આધારે થતું વર્તન.જો કે તાર્કિક રીતે બઘું જુદું હોઈ શકે.ગર્ભમાં હોય ત્યાંથી જ બાળક અમુક જનીનતત્ત્વો મેળવે છે.પ્રાકૃતિક ગુણો અમુક અંશે માતા-પિતા તરફથી મેળવે છે.પણ એ પ્રાકૃતિક ગુણોને આસપાસનાં વાતાવરણ અને લોકો વચ્ચે ઢળવા માટેની જે પર્ટીક્યુલર ટ્રેઇનિંગ હોય એ સ્વભાવને નિર્ધારિત કરે છે.
સ્વભાવ સમય જતાં બદલાતો રહે છે.હા,સાચું છે,સ્વભાવ બદલાય જ છે!બાળક જ્યારે નાનું હોય ત્યારે કોઈ પણ જગ્યાએ જીદ કરતું હોય,પછી એને ખ્યાલ આવે કે આ જગ્યાએ જીદ કરાય આ જગ્યાએ નહિ.આગળ જતાં એ સ્કૂલે જતું થઈ જાય છે. સ્કૂલે જતું બાળક શરૂઆતમાં લડતાં-ઝગડતાં ધીમે રહીને એડજસ્ટમેન્ટ શીખી જાય છે.દરેક દોસ્ત સાથે અલગ રીતે રહેવા લાગે છે.એ સુધારો સમજશક્તિને આધારે વિકસે છે.એ અજાણતાં થતો સ્વભાવનો સુધારો છે.
કિશોરાવસ્થામાં પ્રવેશેલા બાળકોને વ્યવસ્થિત રીતે સંભાળવા અને એમનાં સ્વભાવનું ચોક્કસ રીતે ઘડતર કરવું માતા-પિતા માટે ચેલેજિંગ કામ છે.જો એ સમયે એની માનસિકતા મજબૂત રીતે અને વ્યવસ્થિત નૈતિકગુણોને આધારિત ઘડાઈ જાય તો એ એનો આવનારાં સમયનો પાયો બની રહે છે.એ અવસ્થામાં બાળક દુન્યવી અસરોમાં આવે તો ખરું પણ જે તે નૈતિકતાનો પાયો છે તે એને ખોટે રસ્તે જતાં ચોક્કસ અટકાવી શકે.
જેમ જેમ મોટાં થતાં જવાય,એમ સંસારમાં આગળ જતાં કરવાં પડતાં સમાધાનો વ્યકિતને પોતાનાં સ્વભાવમાં સુધારો લાવવામાં ઘણાં ઉપયોગી સાબિત થતાં હોય છે.એક વ્યક્તિ દરેક જગ્યાએ જુદો હોય છે.ક્યાંક પ્રેમાળ,ક્યાંક સત્તાવાહી,ક્યાંક મજાકિયો તો ક્યાંક ચીડચીડિયો!જોવા જઈએ તો આ સ્વભાવનું મેનેજમેન્ટ જ છે ને!તો કોણ કહે કે સ્વભાવ નહિ બદલી શકાય!
સ્વભાવનું એડજસ્ટમેન્ટ સો ટકા આપણાં હાથમાં જ છે.ઉંમરની સાથે પરિપક્વતા આવતી હોય છે,સમજણ વિકસતી હોય છે તો ઉંમર સાથે સૌ સાથે અનુકૂલન ક્ષમતા ન વિકસાવી શકાય?ધારીએ તો સો ટકા વિકસાવી જ શકાય પણ ઇગોથી બચવું પડે. હું હું નાં હેલ્લારાથી દૂર રહેવું પડે.અન્યનું આપણી સાથેનું જે વર્તન આપણને નથી ગમતું તેવું વર્તન આપણે ન કરી બેસીએ, એ બાબત સભાન રહેવું પડે.એ સભાનતા વિકસાવીએ તો રોજિંદા વ્યવહારમાં થતી ઘણી તકલીફો ઓછી થઈ જાય.
અમુક ઉંમર પછીનાં વડીલો હોય છે એમને માટે હંમેશા કહેવામાં આવે કે ઉંમર સાથે સ્વભાવ બદલાઈ જાય,ચીડિયા થઈ જાય.પણ જ્યારે અનુકૂલન સાધવાની વાત આવે તો વળી વિરોધાભાસી વાક્ય"આ ઉંમરે શું બદલાવાના?""પાકાં ઘડે કાંઠા ન ચડે." એન ઓલ…પણ કાંઠા મૂકી પાણી ને ઢોળાતું બચાવી તો શકાય ને! હું તો સમજું "કોઈને નડતરરૂપ, તકલીફદેય એટલીસ્ટ સ્વભાવથી તો નથી જ બનવું." એ વિચાર દ્રઢતા પૂર્વક મગજમાં રાખીએ તો એ વર્તન પર અને સ્વભાવ પર સો ટકા અસરકારકતા બતાવશે. ટ્રાય ઈટ!

કુંતલ ભટ્ટ
સુરત.

Read More

Kuntal Bhatt લિખિત વાર્તા "મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 17" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19954356/mrugjadi-dankh-17

Read More