The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
માનસીક શાંતિ એટલે માત્ર શબ્દ પણ નથી, પણ આપણે ઘણીવાર આ માનસીક શાંતિ ને અવગણી નાખીએ છીએ. માનસીક શાંતિ ને અવગણી ને જ્યારે પણ આપણે દુ:ખ નો અનુભવ કરીએ છીએ, ત્યારે આપણે ઇચ્છીયે છે કે, મારા નસીબ ખરાબ છે. બીજાના લીધે હોય આપણે કોઈ વ્યક્તિ ઉપર અથવા તો પરિસ્થિતિ ઉપર નાખી ને આપણે આપણા હાથ ખંખેરી લઈએ છીએ. માનસીક શાંતિ આપણને જીવન માં ક્યારે પણ મફતમાં નથી મળતી. એને માટે આપણે ઘણું બધું વસ્તુ નો ત્યાગ કરવો પડે છે. માનસીક શાંતિ માટે હર એક દુઃખી થવાના કારણો ને ધ્યાન રાખવા પડે છે, એ ઓછું પડે તો જે વ્યક્તિ વિષેશ ના વ્યવહાર થી દિલ દુભાય એના થી ડીટેચ થવું પડે છે એટલે આ માનસીક શાંતિ ત્યારે પણ મફત માં નથી મળતી. આપણ હાથ માં છે કે આપણને કયા રસ્તે જવું છે, એક કાંટાળો રસ્તો છે તો બીજો સાધારણ પથ્થર વાળી રસ્તો છે, સીધા રસ્તા ઉપર ચાલતા માનસીક શાંતિ મળશે અને જીવન માં આગળ વધી શકાશે. પણ જ્યારે તમે કાંટાળી રસ્તો લો છો ત્યારે જીવન માં માત્ર ને માત્ર તકલીફો માં અટવાયા કરીશું અને આગળ વધવાનું ભૂલી જશો કારણ કે આ દુ:ખ આગળ વધવા નઈ દે તમારે, સત્ય ને આપણે સ્વીકારી જાણીએ છીએ, અને સમજીએ પણ છે, તેમ છતા જ્યારે આપણે સાચો રસ્તો પોતાના માટે ચોઈસ નથી કરી શકતા, ત્યારે આપણે માનસીક શાંતિ ની અવગણના કરી એમ કહેવાય. સાવ સરળ છે જીવન માં કયો રસ્તો અપનાવો, કાંટાળો કે પછી સાધારણ આપણે આપણી ચોઈસ એટલી ખોટી કરી નાખીએ છીએ અને પછી નહિ જે ભાન સમજાય છે એટલે કે કાંટાળા રસ્તા ઉપર ચાલી ને પગ લોહી લુહાણ થઈ જાય છે. આગળ એક ડગલું ભરવાની ક્ષમતા રહેતી નથી ત્યારે સમજાય છે ખોટો આ રસ્તો લીધો, ક્યારે એટલું મોડું ના કરવું જોઈએ. સાચો રસ્તો ચોઈસ કરવામાં, ભગવાન આપણને હંમેશા ચોઈસ આપે છે પણ આપણે માનસીક શાંતિ ને અવગણી ને દુઃખી થવાના રસ્તા ઉપર ચાલવા માંડીએ છીએ. અને વર્ષો ના વર્ષ અને ક્યારેક એક આખું આયુષ્ય વેર-વિખેર કરીને સમજાય છે જીવન તો કયાંક પાછળ રહી ગયું જીવવાનું હતું સાલું એવું ના જીવી શક્યા એટલે બધું આપણા હાથ માં છે શું ચોઈસ કરવું.
આં જીવન રહે ના રહે શું ફરક પડે છે જીવન અને હકીકત થી રૂબરૂ થઈ ગયાં આ દુનિયાના ની ભીડ નો હિસ્સો ના બની શક્ય કેમ કે અમે લોકો જેવા ના બની શક્યા શક્ય છે આ જીવન આપ્યું છે ઈશ્વર તો એને કાઢવું પડશે ખાલીપો નથી અંદર, પણ આ કઈ અલગ છે ના સપના છે ના કોઈ થી કોઈ આશા છે જેટલું જીવ્યા આજ સુધી એમાં એક સંતોષ છે ખુશી તો છે હાથપગ ચાલે છે અવસ્થા એવી સમજાઈ રહી છે કે મોહ નો ત્યાગ થઈ ગયો છે અને અમે સમર્પિત કરી દીધી પોતાની જાતને ઈશ્વર માં ચરણોમાં
શું મળ્યું? કે શોધ્યું કઈ નથી 🙂↔️ સમય સાથે આગળ વધતા વધતા એક વાત સમજાણી……. કઈ કદી મારું હતું નહીં ……. સનાતન સત્ય સમજાયું આખરે કે…… છોડી દે સમજવાની અને સમજવાની મથામણ… બસ વ્યસ્ત રે તું જીવન માં - Komal Mehta
કોઈ કોઈનું નથી, એ તો સૌ જાણે છે તેમ છતાં સૌ સંબંધોમાં દોડે છે. ના ના કરતાં હજાર વાર પહેલ કરે છે એ સંબંધને સાચવવા, જે માત્ર એક તરફી છે... દુનિયા સામે નામનો સંબંધ અને અંતરમનમાં એક ઊંડી ખાઈ... જાણી લીધું છે કે કોઈ કોઈનું નથી... તેમ છતાં અગમ્ય ખેંચ આ સંબંધોની... દોડી હારીને થાકી જવાય હાંફી જવાય... અને ખબર નહિ કેટ કેટલી વાર તૂટી પણ જવાય... પણ આ એકતરફી સંબંધને સાચવવાની જિદ્દ કેમ છે...?
हिसाब लगाओ हिसाब लगाओ की आख़िर तुमने यह ज़िंदगी में क्या पाया और क्या खोया? हिसाब लगाओ की आख़िर इस वक्त तक तुमने ज़िन्दगी को काटा या मोज़ से जिया ? हिसाब लगाओ की आख़िर कितना वक्त ज़ाया किया बेफ़ूज़ुल बहस में और मुद्दे की चर्चा में? हिसाब लगाओ की आख़िर हमने लोगो के अभिप्राय से खुदको कितना तोला और तराशा? हिसाब लगाओ की आख़िर ज़िंदगी में भागते दौड़ते ही रहे या सुकून भी पाया?
જીવનની સિસ્ટમ શરીર આપણું Hardware છે, એને કસરતથી સાચવીએ, પણ Software જેવા Heart માં, સારા વિચારો ભરીએ. જોજો આ સોફ્ટવેરમાં ક્યાંક, Virus ના આવી જાય, ઈર્ષ્યા, ક્રોધ અને નફરતથી, આખી સિસ્ટમ Hang થઈ જાય! જેમ ફોનમાં એન્ટી-વાયરસ નાખી, કચરો સાફ કરીએ, એમ ક્ષમા અને પ્રેમથી, હૈયું ચોખ્ખું રાખીએ. કોઈની ખોટી વાતોનું Loading ન રાખશો, નકામી યાદોને મનમાંથી, Uninstall જ કરશો. Hardware જો દુખે તો દુનિયાને દેખાય છે, પણ Software બગડે ને સાહેબ, ત્યારે જિંદગી વિખરાય છે.જીવનની સિસ્ટમ શરીર આપણું Hardware છે, એને કસરતથી સાચવીએ, પણ Software જેવા Heart માં, સારા વિચારો ભરીએ. જોજો આ સોફ્ટવેરમાં ક્યાંક, Virus ના આવી જાય, ઈર્ષ્યા, ક્રોધ અને નફરતથી, આખી સિસ્ટમ Hang થઈ જાય! જેમ ફોનમાં એન્ટી-વાયરસ નાખી, કચરો સાફ કરીએ, એમ ક્ષમા અને પ્રેમથી, હૈયું ચોખ્ખું રાખીએ. કોઈની ખોટી વાતોનું Loading ન રાખશો, નકામી યાદોને મનમાંથી, Uninstall જ કરશો. Hardware જો દુખે તો દુનિયાને દેખાય છે, પણ Software બગડે ને સાહેબ, ત્યારે જિંદગી વિખરાય છે.
ક્યારેક મન અકારણ ઉદાસ રહે છે, જીવનમાં આપણને ગમતું બધું આપણને મળી જાય એવું હોતું નથી. ક્યારેક ક્યારેક આપણે વાસ્તવિકતાથી અજાણ્યા બનીએ છીએ. એના ઉપર બે પંક્તિ લખી છે કે.. વાસ્તવિકતા થી અજાણ્યો બનવાનો તું આમ ડોળ ના કર, વાત હવે તારી આવી છે તો એને પૂરી કર.. ભણે છે સમજે છે બધું તું... તેમ છતાં ખોટો અસ્વીકાર ના કર.. તું પણ એ બધું પામીશ જેની તને ઝંખના છે, પણ એ પુરુષાર્થ અને નસીબ વગર શક્ય નથી.. વાસ્તવિકતા નો તું સ્વીકાર... તારી જિંદગી માં સતત મહેનત કરવામાં રે... વાત હવે તારી આવી છે તો એને પૂરી કર.. આમ પાછા પાની કરવું તને શોભતું નથી.
શીર્ષક: અંતર નો ઉજાશ કાગળ અને પેન તો છે, પણ સારા વિચારોનો અભાવ છે, તો કાગળ ઉપર શું લખાશે, આ શબ્દો ક્યાંથી આવશે? જીવન જીવવા માટે બધું છે, સુખ, સગવડ, સપના અને રસ્તા છે, પણ જતું કરવાની ભાવના નથી, તો ખુશી દિલ સુધી કેમ પહોંચે છે? બોલતા જ પૈસા પડી જાય છે, કારણ કે સભ્યતાનું આચરણ શીખ્યા નથી, બહારથી અમીર, અંદરથી ખાલી, તો “સારો માણસ” ક્યારે કહેવાશે? બધું મળ્યું છે ભાગ્યે, પણ કૃતજ્ઞતા રાખતા આવડી નથી, એટલે બધું હોવા છતાં પણ કઈક તો હંમેશ ખાલી રહી જતું જ રહે છે. જીવનમાં 💔
વિષય:- કોરો કાગળ તારા સાથે કઈ ખાસ સબંધ છે આ સબંધ તો મારો કોરા કાગળ સાથે છે આ કોરા કાગળ વિશે લોકો નો એવો વિચાર હોય છે કે, આ કાગળ મારે શું કામ નો! આ તો સાવ કોરો છે અરે ભલા માણસ આ કાગળ તો આપણા નસીબ જેવો છે આ કાગળ ઉપર મનગમતું ચિત્ર બનાવીએ, એ ચિત્ર માં મન ગમતા રંગો ને ભરી શકાય આ કાગળ ની ઉપર જીવન ની કડવી યાદો લખી શકાય, જેથી મન હળવું થઈ જાય કોરો કાગળ તો ક્રોસિન જેવો છે કોરો કાગળ કઈ નવું કરવાની શીખવાની પ્રેરણા આપે છે જીવન માં મનપસંદ રંગો ને ભરવાની આઝાદી આપે છે
હૃદય જો હણાય કોઈના શબ્દોથી, તો હવે એને સમજાવવાનું પણ મન નથી થતું. મૌન હવે એ સમજે કે ન સમજે, એની દરકાર પણ હવે દિલ નથી રાખતું. ઘણું બધું ગળામાં ડૂમો બની અટકે છે, પણ આંખમાંથી આંસુ સરકવા દેવાનું મન નથી થતું. ઠીક છે, મારામાં પણ અનેક ઉણપો છે, એ સ્વીકારી હવે આગળ વધી જવાય છે. દોષ તો માત્ર મારો જ હતો કદાચ, કે મારા તરફથી આશા રાખાઈ ગઈ સામેવાળાથી.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser