Talash 3 - 44 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 44

Featured Books
  • रुह... - भाग 1

                                        १.अबीर… नाम जितना सीधा,...

  • Lunar Blood - 2

    लिलीवुड पर अँधेरा अभी भी छाया हुआ था। मौत की सिसकियाँ हवा मे...

  • The Masked Killer

    यह रात्रि का समय था। वडोदरा में स्थित ज्ञानमंथन कॉलेज अँधेरे...

  • प्यार की जीत - 4

    अरुण की बात सुनकर लीला बोली,"लिव इन के बारे में मैने भी सुना...

  • कैंपस क्रश - 1

    आज से एक नया सफ़र शुरू… – यही सोचकर आरव ने कॉलेज के गेट पर क...

Categories
Share

તલાશ 3 - ભાગ 44

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

જીતુભા તૈયાર થઈને "નીતા કોસ્મેટિક્સ"ના મેનેજર ને મળવા એમની ઓફિસમાં પહોંચ્યો. અહીંનું બધું કામ પતી ગયું હતું હવે એ નાથદ્વારા થઈ અને પછી નીકળી જવાનો હતો. બીજું કંઈ ખાસ કામ હતું નહિ એણે વિચાર્યું કે લગભગ દોઢ કલાકમાં શ્રી નાથદ્વારા પહોંચી જઈશ. પણ હજી એ વિચારમાં હતો કે મામાને મળવું કે ડાયરેક્ટ ચાર અને પાંચ વાગ્યા વચ્ચે સીધું વિક્રમ ને મળવું?
"સાહેબ નાસ્તો અને ચા મંગાવ્યા છે. નાસ્તો કરીને પછી જજો." મેનેજરે વિવેક કરતા કહ્યું.જવાબમાં જીતુભા કઈ બોલ્યો નહિ. પણ પોતાનું સોલ્ડર પાઉચ સોફા પર મૂક્યું. અને પોતાના બંને હાથ ઉંચા કરીને સહેજ આળસ મરડતા રૂમમાં ટહેલવા માંડ્યું. ખાસી મોટી ઓફિસ હતી, હોલમાં વચ્ચો વચ, મેનેજરની ખુરશી એની આગળ 6x 6 નું ટેબલ આજુબાજુમાં બીજી 3 ખુરશી, ટેબલ પર 2-3 ગુલદસ્તા મેનેજરની બેસવાની જગ્યા ઉપર જ ફ્રેમ કરેલું મોટું શ્રીનાથજી નું ચિત્ર આજુ બાજુ માં સહેજ નાના શ્રી યમુનાજી અને શ્રીમદ વલ્લભાચાર્ય જીના ચિત્ર, ડાબી બાજુ એક સફેદ પડદો હતો, જે સાઈડમાં રહેલા પ્રોજેક્ટરની સાથે એટેચ કર્યો હતો ક્યારેક કોઈ અરજન્ટ મિટિંગ, કોઈ પાર્ટી સાથે કે પછી મેનેજમેન્ટ સાથે વિડિઓ મિટિંગ કરવા માટે સ્પેશિયલ ફોનની લાઇનનું એરેન્જમેન્ટ કર્યું હતું. જમણી બાજુની દીવાલ માં ઇલેક્ટ્રિક ડિસ્પ્લે બોર્ડ માં છેલ્લા 15 દિવસસના પ્રોડક્શનના આંકડા આવતા હતા. જે લાઈવ અપડેટ થતા હતા.એની બાજુમાં 2 - 3 નકશા લગાવેલા હતા. ભારતના એક નકશામાં એ એ સ્થળને હાઈ લાઈટ કર્યા હતા, જે સ્થળે અનોપપચંદની ફેક્ટરી કે પછી ઓફિસ આવેલી હતી, જીતુભાને યાદ આવ્યું કે આવો જ નકશો એણે મોહનલાલની કેબિનમાં પણ જોયો છે. એણે મનોમન વિચાર્યું કે કદાચ બધીજ ઓફિસ અને ફેકટરીમાં આવા નક્શાઓ હશે. એણે ટહેલતા ટહેલતા ફરી આળસ મરડી અને મેનેજરને કહ્યું. "ચાલો મને મોડું થાય છે. હું નીકળું છું. ચા પીવા ફરી કોઈ વાર આવીશ."
"અરે જીતુભા એવું શું મોડું થાય છે. અને ક્યાં જવાની ઉતાવળ છે? આરામથી ચા નાસ્તો કરીને પછી નીકળો ને." સાંભળીને જીતુભા એ ફરીથી ઓફિસનું નિરીક્ષણ કરવા માંડ્યું. એણે જોયું કે ભારતના નકશાની બાજુમાં જ એક રાજસ્થાનનો નકશો હતો એમાં લગભગ -8 જગ્યાએ માર્કિંગ કર્યું હતું, જીતુભા સમજી ગયો કે આ જગ્યાએ અનોપચંદની ફેક્ટરી કે ઓફિસ છે. કૈક ઉત્સુકતાથી એણે એ નકશો જોવા માંડ્યો. એણે અનોપચંદને ત્યાં નોકરી જોઈન્ટ કર્યા ને ચાર મહિના જેટલો સમય થયો હતો, અને આ બધી જ જગ્યાએ એના કાર્યક્ષેત્રમાં આવતી હતી. એણે મનોમન વિચાર્યું કે 'અહીં આજુબાજુના કોઈ સ્થળે કોઈ ફેક્ટરી હોય તો જોઈ આવું.'
જીતુભા ધ્યાન પૂર્વક નકશો જોઈ રહ્યો છે એ ખ્યાલ આવતા જ મેનેજર એની નજીક આવ્યો અને સમજાવવા માંડ્યું. "આ રાજસ્થાનમાં આવેલ આપણી ઓફિસ અને ફેક્ટરીના લોકેશનનો નકશો છે."
"હા એ તો મને સમજાયું, પણ અહીં શ્રી નાથદ્વારાથી નજીકમાં આપણી કોઈ ઓફિસ કે ફેક્ટરી છે? "
"હા છે ને આપણી આરાશ પ્હાણની ખાણો છે. પણ એ બધી શ્રી નાથદ્વારાની નજીકમાં જ છે. ઉભા રહો હું તમને થોડું સમજવું. શ્રી નાથ દ્વારથી આપણે કુંભનગઢ જઈએ તો રસ્તામાં કલવાર કિલ્લો આવે શ્રી નાથદ્વારાથી કલવાર વચ્ચે આવેલી અરાવલીની પહાડીમાં આરાશ પ્હાણની ખાણો છે. પણ મેઈન ઓફિસ કલવારમાં છે. ખાણો પર તો સુપરવાઈઝર કે કોઈ ક્લાર્ક મળશે. તમારે ત્યાં જવું છે?"
ના આ તો અમસ્તો હું આ જોતો હતો ત્યાં મને કંઈ યાદ આવ્યું કહી ને જીતુભાએ પોતાના શર્ટના ખિસ્સામાંથી મંગલનો ફોન કાઢ્યો અને બધા કોન્ટેક ફરીથી વાંચવા મંડ્યા એમાં ક્યાંક કુંભલગઢ પણ લખ્યું હતું એ એને યાદ આવ્યું હતું. એણે ફરીથી વાંચ્યું. જેમાં શેરા, લખન અને શંકરરાવ ના નંબર મુખ્ય હતા. આ ઉપરાંત કેટલાક નંબર વિચિત્ર રીતે લખાયેલ હતા, જેમ કે આરસ પહાણ 15, ચાર ભુજા 60, ઘાને રાવ/ 15. કુંભલગઢ સેન્ચ્યુરી 14-26, ઝીલવાડા મિલ્ટ્રી કેમ્પ 19. શાદીરી i23, મૂંડેરી 34, એને નકશા અને ફોન નંબરમાં વારાફરતી વારંવાર જોતા જોઈ મેનેજર એની પાસે આવ્યો અને કહ્યું. "આ ફોનમાં અને નકશામાં શું સરખાવો છો જીતુભા?

"આ આમ વિચિત્ર રીતે સેવ કરેલા નંબર કોના હશે એ હું વિચારું છું." કહી એણે મંગળનો ફોન મેનેજર ને બતાવ્યો. મેનેજર 2 મિનિટ ફોન અને પછી નકશામાં જોઈ રહ્યો. પછી એને બેલ મારી પ્યુનને બોલાવ્યો. 

"હા સાહેબ, ચા અને ગરમ નાસ્તો બસ 2 મિનિટમાં આવશે." એમ આવતાવેંત પ્યુને કહ્યું. 

"હા એ તો તું લઇ જ આવજે. પણ હમણાં જ માંગીરાવ ભાટીને બોલાવી લાવ" મેનેજરે નકશામાં જોતા જોતા જ હુકમ કર્યો જીતુભા કૈક અચંબાથી એની સામે જોઈ રહ્યો હતો. 

xxx 

ટીવીમાં ન્યુઝ ચાલી રહ્યા હતા અને એ જોતા જોતા સજ્જન સિંહની આખો પહોળી થઇ રહી હતી. એ દિલ્હીની એક આલીશાન હોટેલમાં ઉતર્યો હતો. અને એમજ સહેજ ટાઈમ પાસ કરવા માટે એણે ટીવીમાં ન્યુઝ ખોલ્યા હતા. એ સાંજે 5-6 વાગ્યા સુધી ફ્રી હતો. હની-ઈરાનીને એણે શ્રીનાથદ્વારાની આજુ બાજુમાં ક્યાંકથી 10-12 કોથળા ભરેલ માલમત્તા કલેક્ટ કરીને ઝીલવાડા સુધી પહોંચાડવાનું અને લગભગ સાવ રેઢા એવા આ મિલિટરી કેમ્પની રેઢી પડેલી હવાઈ પટ્ટી અને હેલીકૉપટર કબ્જે કરવાનું કામ સોંપ્યું હતું. આ માટે એને વરસોનાં અભ્યાસ પછી એક નકશો તૈયાર કર્યો હતો. એમાં એક એવો શોર્ટકટ હતો કે કુંભલગઢ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યૂરીના મધ્યમાં આવેલ  'હવા મહેલ' કે જ્યાં જવાનો રસ્તો જંગલ ખાતા એ સૂરજકુંડ પાસેથી તૈયાર કર્યો હતો.પણ જો હવા મહેલની પાછળની સાઇડ થી કોઈ જો જંગલમાં ઉતરી આવે તો ઝીલ વાળા સુધી લગભગ 10-12 કિલોમીટરમાં પહોંચી જવાય. આઝાદી પહેલા રાજા મહારાજાઓ જેનો ઉપયોગ કરતા હતા એ ઝીલવાળાની હવાઈ પટ્ટી જો એના કબજામાં આવી જાય તો માત્ર એક - દોઢ કલાકમાં ઉમરકોટ પાકિસ્તાન પહોંચી જવાય. પણ કામિનીની અચાનક વિક્રમના બેડરૂમથી થયેલી ધરપકડે એના બધાં પલાનને બગાડી નાખ્યો હતો. આમ છતાં હજી એના હાથમાં ઘણા પાના હતા. એક વાર ભારતની બહાર નીકળ્યા પછી એ શ્રી નાથદ્વારાનો કહેવાતો શાપિત ખજાનો એને અરબો ડોલર કમાવી આપવાનો હતો, એટલે જ એણે સ્થાનિક નેતા એવા શંકર રાવનો લગભગ સાતેક મહિના પહેલા કોન્ટેક્ટ કર્યો હતો અને આ ખજાનો ક્યાં છે એ શોધી કાઢવાનું એને સોંપ્યું હતું, સાથે જ કેટલીક હિન્ટ પણ આપી હતી કે ચાકલીયા ગામના અમુક લોકો આ વાત જાણે છે. શંકર રાવને આ માટે 50 કરોડ રૂપિયા આપવાની વાત કહી હતી. અને જિંદગી ભર અય્યાશી કરીને બીજાને લૂંટી ખાવાનું જેનો સ્વભાવ થઈ ગયો હતો એવો શંકર રાવ આ તક ચુકે એવો મૂર્ખ ન હતો. ઇન્દોર રાજઘરાનાના એક વારસદાર એવા શંકર રાવે એના બાપ દાદાઓ પાસે આ ખજાના વિષે સાંભળ્યું હતું. એને કુતુહલ થતું કે કેવો હશે એ ખજાનો એમાં આ સજ્જન સિંહે એને ઉશ્કેર્યો હતો અને પાક્કી બાતમી પણ આપી હતી કે ખજાનો શ્રી નાથદ્વારા અને કુંભનગઢ વચચેની કોઈ પહાડીમાં દટાયેલો છે અને એના વિશે ચાકલીયા ગામના અમુક લોકો જાણે છે.

ખંધા શંકર રાવને તો ઘેર બેઠા ગોળનું ગાડું મળી આવ્યું હતું. જયારે સજ્જન સિંહે આ ખજાનો શોધાવીને પોતાને સોંપશે તો 50 કરોડ રૂપિયા આપવાની વાત કરી એ જ મિનિટે એ સમજી ગયો હતો કે ઓછામાં ઓછા 500 કરોડનો ખજાનો હશે. એ જ ક્ષણે એણે એવું વિચારી લીધું હતું કે કોઈ પણ ભોગે એ ખજાનો શોધાવવો અને બીજું સજ્જન સિંહને એ ખજાનામાંથી એક પાંચીયું પણ ન આપવું. એણે સજ્જન સિંહના સોંર્ષના ઉપયોગ મફતમાં કર્યા અને અઢળક નાણાં પડાવ્યા હતા. એની પાસે એડવાન્ટેજ રૂપ 2-3 માણસો ચકલીયાના પણ હતા, જેમનો એક હતો લખન જે વર્ષોથી એના હાથ નીચે કામ કરતો હતો. શંકર રાવના પડતા બોલને એ ઝીલતો હતો. એણે લખનને ફંફોસી જોયો પણ એ શેરા વિશે જાણતો ન હતો એટલે એણે મંગળને પોતાના સેક્રેટરી તરીકે પોતાની સાથે લીધો, મંગળનું ક્યારેક વર્તન વિચિત્ર રહેતું ચાલાક શંકર રાવ સમજી ગયો કે આ મંગળ જ એને શેરા સુધી પહોંચાડશે. એટલે જ એણે કોઈ પ્રાઇવેટ જાસૂસ દ્વારા શેરાની વિગતો શોધવાનું નક્કી કર્યું અને મંગલે જ (શેરાના કહેવાથી જ) એને જીતુભાનું નામ કહ્યું હતું. (આ એ સમયગાળો હતો કે જયારે નિનાદે શેરા ની મુલાકાત વિક્રમ સાથે કરાવી હતી. મહેન્દ્ર ચૌહાણે વિક્રમને આખી પરિસ્થિતિ સમજાવી હતી અને મારવાના ભોગે પણ શ્રી નાથદ્વારા નો ખજાનો પાછો સહીસલામત શ્રી નાથદ્વારા પહોંચાડવાના શપથ પોતાના મરણ પહેલા વિક્રમ પાસેથી લીધા હતા.) 

મહેન્દ્ર ચૌહાણ આટલો જલ્દી મરી જશે એવી વિક્રમને કઈ કલ્પના ન હતી. પણ શ્રીનાથ દ્વારા નું કામ પૂરું કરવાના શપથ એણે  મરતા બાપ સામે લીધા હતા. એટલે એ ચકડોળે ચડ્યો હતો. એક બાજુ બાપ નું મોત, ધંધાકીય ગળાકાપ હરીફાઈ, ઘરમાં કાકાનો અને રાજીવનો વધતો જતો ચંચુપાત, જોકે કાકાનો ભાગ 2% થી વધારીને 25% આપવામાં પણ એને વાંધો નહતો પણ એ બધું પરિસ્થિતિ થાળે પડે એ પહેલા શંકર રાવે એક એવી ચાલ ચાલી કે વિક્રમ જબરદસ્ત મૂંઝવણમાં મુકાઈ ગયો.

xxx 

શંકર રાવે મંગલને નાણી જોયો એને સમજાયું કે આ શેરા વિષે કંઈક જાણે છે, પણ એને ટોર્ચર કરીને ટુકડા કરી નાખીસ તો પણ એ કઈ બોલશે નહિ, સમય હાથમાંથી સરતો જતો હતો અચાનક ભગવાને શંકર રાવની સામે જોયું અને વડાપ્રધાન માત્ર એક મતથી લોકસભામાં વિશ્વાસનો મત હારી ગયા. રાષ્ટ્રપતિ જી એ એમને નવી ચૂંટણી સુધી કેરટેકર વડાપ્રધાન તરીકે ચાલુ રહેવા મનાવી લીધા હતા. પણ રાજ્યોની આંતરિક બાબતો પર કેન્દ્રીય અધિકારી ની પક્કડ ઓછી થઇ હતી. આનો ફાયદો શંકર રાવે ઉઠાવ્યો ઉદયપુરના ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ ની પોસ્ટનો ઉપયોગ કરીને એણે પહાડીઓ પર આવાગમન રસ્તાઓ બનાવવા બહાને અને જરૂરી લાગે ત્યાં પહાડીને તોડી પાડવાના હુકમ પાસ કરાવી લીધા. શંકર રાવનો પડછાયો બનીને ફરનાર મંગલ પાસેથી આ ખબર શેરાને મળ્યા હતા. આથી શેર મુંઝાયો હતો કેમ કે શ્રી નાથદ્વારાની આજુબાજુ ની પહાડીઓ તોડી પડે તો શ્રી નાથદ્વારાનો ખજાનો કોઈ દિવસ પાછો મંદિરમાં પહોંચાડી શકાય એમ ન હતું. એટલે જ એણે વિક્રમને આ વાત કરી હતી. શેરને પોતાનો બોડીગાર્ડ બનાવીને ફરતો વિક્રમ પોતાના કાકાના કાવાદાવા અને પોતાના કાકાના દીકરાની ઓછી બુદ્ધિને કારણે ડગલે ને પગલે બિઝનેસમાં ફસાતો જતો હતો. ઉપરાંત સજ્જન સિંહે કામિનીને ધર્મેન્દ્ર ચૌહાણની સેક્રેટરી બનાવી દીધા પછી બિઝનેસના સિક્રેટ પળવારમાં બહાર લીક થવા મંડ્યા હતા. નિનાદ એ વખતે લંડન અને ઓસ્ટ્રેલિયામાં બીઝી હતો. પણ એણે વિક્રમને મદદ કરવાનું વચન આપ્યું હતું. એને વિક્રમને સમજાવ્યું કે થોડા દિવસમાં હું જીતુભાને આ શેરના કામ માટે ફ્રી કરી દઈશ, કેમકે પછી જીતુભા અને પૃથ્વીના લગ્ન ન થઇ જાય ત્યાં સુધી બીજું કોઈ મિશન વિચાર્યું ન હતું. દરમિયાન માં પોતે અનોપચંદ સાથે વાત કરી લેશે એવું પણ નિનાદે કહ્યું હતું. પણ રઘવાયા થયેલા વિક્રમથી આઠ દસ દિવસ રોકવાની ધીરજ ન રહી અને એણે પોતાની રીતે રાજીવ દ્વારા તપાસ કરી તો જાણવા મળ્યું કે આ જીતુભા તો સોનલનો ભાઈ છે. 

xxx 

ઘરમાં પપ્પાના મૃત્યુ પછી રોજ રોજની પરની જવાની મમીની કટકટ, કાકાના કાવતરા, પ્રેમિકા પૂજાની ઝટ પરણી જવાની મહેચ્છા, કઝીન પણ ધંધામાં સાવ બુડથલ એવા ભાઈ દ્વારા ધંધામાં થતા રોજે રોજના ભગા, નિનાદનું સતત બીઝી હોવું, શેરાનો પેઢીઓ ના બલિદાન પછી પણ મંદિરનો ખજાનો પરત પહોંચાડવામાં થતો વિલંબના કારણે આક્રોશિત થવું આ બધાથી કંટાળીને એને એક દિવસ ઘરમાં જાહેર કરી દીધું કે મારે પૂજા સાથે નથી પરણવું. અને જયારે એને પૂછ્યું કે "તો કોની સાથે લગ્ન કરવા છે?' તો એને સોનલ નું નામ આપી દીધું હતું. 

xxx 

શંકર રાવના મોલમાંથી હાથકડી પહેરાવી શકરરાવને જીપમાં બેસાડીને સબ ઈન્સ્પેક્ટરે જીપને નાથદ્વારાના રસ્તે લીધી ત્યારે શંકર રાવ મનોમન કૈક ગણતરી કરી રહ્યો હતો. ફૂલચંદે લોંશીંગ તળાવ વાળા રસ્તેથી જીપ લેવાનું કહ્યું હતું જેથી મુખ્ય રસ્તો ન હોવાથી પોતાના કોઈ ઉપરી રસ્તામાં ભટકાઈ ન જાય. શાકર રાવ શાંત છતે રસ્તા પરના ક્વચિત જ નીકળતા વાહનોને ઉદાસ નજરે જોઈ રહ્યો હતો. લગભગ 5 મિનિટ પછી એને મોટેથી કહ્યું "ફુલચંદ, સાંભળ તારા નસીબ બદલાઈ જાય એવી એક વાત"

"હવે નવું શું લફડું કાઢવું છે તારે, હલકટ હું તને છોડવાનો નથી, ભાગી જવા દેવાનું કહેતો નહિ, મારે ય ઉપર જવાબ .."

તારે સાંજ સુધીમાં 2 કરોડ રૂપિયા કમાવા છે?" શંકર રાવે એન વાત કાપતા ધડાકો કર્યો અને ફુલચંદ સ્તબ્ધ થઈ ગયો.

 

ક્રમશ:  

 આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.