જે ઘરમાં દીકરીનો જન્મ થાય, એ ઘર, અને એ માતા-પિતા બંને માટે ખૂબજ ગર્વની વાત હોય છે.
અહીં આ વાતનું ઉદાહરણ જરૂરી છે, કારણ કે,
અમુક વાતો આપણને ઉદાહરણ સિવાય ગળે નથી ઉતરતી.
દા.ત.
જેમ આપણે આપણા દર દાગીના, કે કિંમતી દસ્તાવેજો
( અહીં થાપણો )
બધી રીતે સુરક્ષાની તપાસ કર્યા બાદ જ જે તે બેન્કના લોકરમાં મૂકીએ છીએ, કેમકે
એ આપણી થાપણ છે.
જ્યારે દીકરી.....
એતો પારકી થાપણ છે,
તો એ થાપણને.....
જે પૂરતા પ્રેમ, અને લાગણી સાથે સાચવી શકે, અને દીકરીનો બધી રીતે યોગ્ય વિકાસ થાય,
એ બધી બાબતોનું પરમ કૃપાળુ પરમાત્માએ જાતે ધ્યાન રાખીને ઉપરવાળાએ એ મા-બાપને પસંદ કર્યા હોય છે,
કે જે મા-બાપને ઘેર દીકરી જન્મ લેતી હોય છે.
હવે સ્વયંમ ભગવાને જે ઘર કે મા-બાપ પર વિશ્વાસ મૂક્યો હોય, આનાથી સારી અને મોટી બીજી કઈ વાત હોઈ શકે ?
દીકરીના જન્મનો દિવસ જ, એ વાતનું સર્ટીફિકેટ છે કે,
એ મા-બાપનું જીવન સાચા અર્થમાં ધન્ય બની ગયું છે.
અને એ ઘર....
એ ઘર કે જે ઘરમાં દીકરીએ જન્મ લીધો છે,
તો વિચારો કે, એ ઘર કેટલું બધું સુરક્ષિત હશે, કે જે ઘર પ્રભુએ દિકરી રૂપી પારકી થાપણ માટે પસંદ કર્યું હશે.
કહેવાનો મતલબ એટલો જ કે,
દીકરીનો જન્મ એ,
એ વાતનો નક્કર પુરાવો છે કે,
પ્રભુની સંપૂર્ણ કૃપા દ્રષ્ટિ આપણી ઉપર છે.
હવે જ્યારે દીકરી થોડી મોટી થાય
બોલતી થાય, ચાલતી થાય
પછી.. ...
દીકરી :- મમ્મી હું રમવા જાઉં છું
મમ્મી :- હા બેટા જા
દીકરી :- પપ્પા હું સ્કૂલે જાઉં છું
પપ્પા :- હા બેટા જા
દીકરી :- મમ્મી હું ટ્યુશન જાઉં છું
મમ્મી :- હા બેટા જા
દીકરી :- પપ્પા હું કોલેજ જાઉં છું
પપ્પા :- હા બેટા જા
આમ દીકરી દરેકે દરેક સ્થળ કે જ્યાં એ જઈ રહી છે,
એ સ્થળ જણાવીને જાય છે, જ્યારે......
જ્યારે એજ દીકરી
લગ્ન બાદ
વિદાય વેળાએ
દુર ઉભેલા મમ્મી પપ્પાને.....રોતી આંખે ને રોતા હ્રદયે બિલકુલ ધીમા અવાજે
દીકરી :- પપ્પા હું જાઉં છું કે મમ્મી હું જાઉં છું
( અહીં પહેલીવાર, પહેલીવાર સ્થળનું નામ નીકળી જાય છે, ને રહી જાય છે માત્ર.....પપ્પા હું જાઉં છું, કે મમ્મી હું જાઉં છું )
આવે ટાણે માતા-પિતાની હાલત પણ એવી હોય છે કે,
એ પોતાની દીકરીને.....
હસીને હા પણ ના કહી શકે છે,
કે પછી એને ના કહીને રોકી પણ ના શકે.
બીજું કે આ સમયે દિકરીએ કહેલ વાક્ય,
કે પપ્પા હું જાઉં છું, કે પછી મમ્મી હું જાઉં છું વાળા શબ્દોનો અવાજ....એટલો ધીમો ને દબાયેલો હોય છે કે,
દિકરીએ બોલેલા એ શબ્દો, એનો અર્થ, અને એમાં રહેલું દર્દ, માત્રનેમાત્ર
એ માતા-પિતા, અને એ દીકરી જ સમજી અને અનુભવી શકે, બીજું કોઈ નહીં.
કેમકે એ વખતે એટલાં ધીમા બોલાયેલ શબ્દો પણ.....
માતા-પિતાના કાન, અને હ્રદયને ફાડી નાખે એવા પ્રચંડ હોય છે.
આવે સમયે દીકરી અને માતા-પિતાના ગળે ડૂમો ભરાઈ જાય છે, એમની પાસે કોઈ શબ્દો નથી હોતા.
હોય છે કેવળ ને કેવળ સાચી લાગણી, સાચો પ્રેમ અને આજે પોતાની લાડકી દીકરી પોતાનાથી દૂર થઈ રહી છે,
એ વાતની વેદના
છતાં....
ભલે આવે સમયે એ ત્રણમાંથી કોઈ અત્યારે વધારે બોલી ન રહ્યું હોય, પરંતુ એ વખતે એ ત્રણેની આંખો.....
ઘણું બધું કહેતી હોય છે, અને એ વખતે થતી આંખોની એ વાતચિત.....અને એનું દર્દ,
માત્ર ને માત્ર, એ ત્રણ જણ જ, સાંભળી, સમજી અને અનુભવી શકતા હોય છે.
અને આ વેળા.....
આ વેળા ખરેખર દીકરીના માતાપિતા માટે અગ્નિ પરીક્ષાની હોય છે, કેમકે
વર્ષો પહેલાં ઉપરવાળાએ એ માતાપિતા પર ભરોસો રાખીને આપેલી પારકી થાપણની મુદત આ દિવસે પુરી થતી હોય છે, અને હવે એ થાપણ ઉપરવાળાએ નિર્ધારિત કરેલ વ્યક્તિના હાથમાં પરત કરવાની હોય છે.
છતાં.....
તો પણ.......
પ્રત્યેક દીકરીના માતાપિતા
એમની પાસે સગવડ હોય, કે ન હોય.....
છતાં.....ખરા અર્થમાં છપ્પનની છાતી રાખીને રંગેચંગે અને ધામધૂમથી......
ઉપરવાળાએ નિર્ધારિત કરેલ મુદ્દત, અને ઈશ્વરે જ નક્કી કરેલ વ્યક્તિને એ થાપણ સોંપતા હોય છે.
અને આ રીતે પ્રભુએ મુકેલ વિશ્વાસની કસોટી પર દરેકે દરેક દીકરીના માતાપિતા ખરા ઉતરતા હોય છે.
ખાસ :- આ થાપણ સાચવવાની જવાબદારી ફક્તને ફક્ત એના માતા પિતાની નથી હોતી,
એની સાથે સાથે ખુદ થાપણ એટલે કે, દીકરીની પણ હોય છે, અને
થોડે ઘણે અંશે સમાજ અને પરિવારની પણ બની જતી હોય છે,
જેથી કરીને એ અતિ કિંમતી થાપણ.....કોઈ ખોટી વ્યક્તિ, કે પછી કોઈ ખોટા હાથમાં જાય નહીં.
🙏બસ એટલું સમજવું રહ્યું🙏