Conflict in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | સંઘર્ષ

Featured Books
Categories
Share

સંઘર્ષ

સંઘર્ષ

 

“उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।

न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा:।”

ફક્ત  ઈચ્છા કરવા થી તેના કામ પુરા નથી થતા, પરંતુ  વ્યક્તિ ની મહેનત થી જ તેના કામ પુરા થાય છે. જેમકે સુતા થયેલા સિંહ ના મોઢા માં હરણ પોતે નહિ આવે, તેના માટે સિંહ ને પરિશ્રમ કરવો પડે છે.

સંઘર્ષથી આપણી યોગ્યતા નિખરે છે; જે ક્ષણે સંઘર્ષ કરવાનું બંધ કરી દઈએ છીએ, તે ક્ષણથી યોગ્યતા નષ્ટ પામે છે સંઘર્ષ બધાના જીવનમાં આવે છે, જે લોકો સંઘર્ષનો ભય વિના સામનો કરે છે, તેમને મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આપણે જે સમયે સંઘર્ષ કરવાનું બંધ કરી દઈએ છીએ, તે ક્ષણથી આપણી યોગ્યતા ઘટવા લાગે છે.

એક ગામમાં એક કુશળ મૂર્તિકાર રહેતો હતો. એક દિવસ, તેને મૂર્તિ બનાવવાના માટે યોગ્ય પથ્થરોની જરૂર પડી. તે જંગલમાં પથ્થર શોધવા માટે ગયો. થોડા સમય પછી, તેને એક પથ્થર મળ્યો જે મૂર્તિ બનાવવા માટે યોગ્ય લાગ્યો. તેણે તે પથ્થર ગાડીમાં મૂક્યો અને આગળ વધ્યો. થોડા જ અંતરે, તેને બીજો પથ્થર પણ મળ્યો. તે પણ ગાડીમાં મૂકીને તે ગામ તરફ ચાલ્યો.

ગામ પર પહોંચી, જ્યારે તેણે પ્રથમ પથ્થર પર હાથોડીની માર મારી, ત્યારે પથ્થર બોલી ઉઠ્યો:
"મહેરબાની કરીને મને ન મારશો! મને મારથી ખૂબ જ ડર લાગે છે. જો તમે મારી પર હાથોડી મારશો, તો હું તૂટી જઈશ, બખડી જઇશ! કૃપા કરીને મને છોડો અને બીજા પથ્થરથી મૂર્તિ બનાવી લો!"

જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

મૂર્તિકારે તેને દયા કરી અને તે પથ્થરને મૂકીને બીજો પથ્થર ઉઠાવ્યો. આ પથ્થરે એક શબ્દ પણ નહીં કહ્યું. મુર્તિકારે તેની પર જોરથી હાથોડી મારી. થોડી જ વારમાં તે પથ્થર એક સુંદર મૂર્તિમાં પરિવર્તિત થઈ ગયો.

વિશ્વ નો સૌથી શ્રેષ્ઠ અભિનય એટલે….
મન માં સંઘર્ષ ચાલતો હોવા છતાં ચહેરા પર હાસ્ય હોવું….

કેટલાક દિવસો પછી, ગામમાં મંદિરમાં મૂર્તિ સ્થાપિત કરવાની તૈયારી શરૂ થઈ. ગામલોકો મૂર્તિને લઈ જતા હતા ત્યારે એક વ્યક્તિએ કહ્યું, "મૂર્તિની સામે એક પથ્થર પણ રાખવો પડશે જેથી લોકો તેના પર નારિયેળ ફોડી શકે!"

તેઓ કોઈ મજબૂત પથ્થર શોધી રહ્યા હતા, ત્યારે તેમને તે જ પથ્થર મળ્યો જે મૂર્તિકારે છોડ્યો હતો. લોકોએ તેને ઉઠાવી અને મંદિર લઈ ગયા.

રસ્તે એ પથ્થર ફરીથી બુમો પાડવા લાગ્યો, "અરે, મને ક્યાં લઈ જઈ રહ્યા છો? મને મુશ્કેલીઓથી ડર લાગે છે!"

તેનું રડવું અને ફરિયાદ કરવું ચાલુ રહ્યું, પણ કોઈએ તેનો ઉલ્લેખ પણ કર્યો નહીં. મંદિરમાં મૂર્તિ સ્થાપિત થઈ, અને તે પથ્થર મૂર્તિના આગળ મૂકી દેવાયો. ત્યાર પછી લોકો મૂર્તિની પૂજા કરવા લાગ્યા. મૂર્તિને દૂધથી સ્નાન કરાવવામાં આવ્યું, તેને ચંદન લગાવાયું અને ફૂલો ધરવામાં આવ્યા.

બીજી તરફ, તે પથ્થર, જે મૂર્તિ ન બની શક્યો, લોકો તેના પર નારિયેળ ફોડતા રહ્યા. એ પથ્થર ચીસો પાડતો, "હાય! મારી કમર તૂટી ગઈ! અરે, મેં શું ગુનો કર્યો કે લોકો મારા પર વારંવાર નારિયેળ ફોડી રહ્યા છે?"

મૂર્તિ બની ગયેલો પથ્થર આ જોઈને હસવા લાગ્યો.

બીજો પથ્થર ગુસ્સાથી બોલ્યો, "તમે તો મજામાં છો! લોકો તમારું પૂજન કરી રહ્યા છે, દૂધથી સ્નાન કરાવી રહ્યા છે. અને મને આ દુઃખ સાહન કરવું પડી રહ્યું છે!"

મૂર્તિએ શાંતિથી કહ્યું, "મિત્ર, જો તું પણ થોડું દુઃખ સહન કરતું, જો તું હાથોડીની માર સહન કરતો, તો આજે તું પણ મૂર્તિ બનીને પૂજનીય હોત. પણ તું ભયમાં આવીને બચી ગયો, અને આજે લોકો તને માત્ર નારિયેળ ફોડવા માટે વાપરી રહ્યા છે."

ત્યારે પથ્થરને સમજાઈ ગયું કે "જે લોકો મુશ્કેલીઓને ભગી જાય છે, તેમને આગળ જઈને વધુ કઠિનતા સહન કરવી પડે છે. જે મુશ્કેલીઓનો સામનો કરે છે, સફળતા અને સન્માન તેમના પગલાં ચૂમે છે!"

हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम्।

तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः।।2.37।। श्रीमद भगवद गीता

"આપણા જીવનમાં મુશ્કેલીઓથી ડરવું નહીં, પરંતુ તેમનો સામનો કરવો જોઈએ. જેઓ સંઘર્ષ કરતા નથી, તેઓ ક્યારેય શિખર સુધી પહોંચી શકતા નથી!"

ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમકે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે.. સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે.. ....

સંઘર્ષથી આપણી યોગ્યતા નિખરે છે; જે ક્ષણે સંઘર્ષ કરવાનું બંધ કરી દઈએ છીએ,
તે ક્ષણથી યોગ્યતા નષ્ટ પામે છે.....

તમારી સફળતા માં “એ” ભાગીદાર થાય છે, જેમને તમે પ્રેમ કરો છો..
પરંતુ… તમારા સંઘર્ષ માં “એ” ભાગીદાર થાય છે, જે તમને પ્રેમ કરે છે.. !!!

જેમ પાનખર વૃક્ષ પર નવા પાંદડા દેખાવા માટે જરૂરી છે,
એ જ રીતે જીવનમાં સફળ થવા માટે સંઘર્ષ કરવો પણ જરૂરી છે.

ઘર્ષણ વગર ” ગતિ ” નથી,‌ સંઘર્ષ વગર ” પ્રગતિ ” નથી,
મુશ્કેલીઓ વગર જિંદગી “જિંદગી” નથી.

સંઘર્ષ એ તો પ્રકૃતિનું આમંત્રણ છે, જે સ્વીકારે છે તે જ આગળ વધે છે…

ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમકે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે,
સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે

સફળતા માટે તો સંઘર્ષ જ કરવો પડે સાહેબ,
બાકી કિસ્મત તો અકસ્માત અને સટ્ટામાં જ કામ લાગે.

સંઘર્ષની રાત જેટલી અંધારી,
સફળતાનો સૂરજ ખૂબ જ ચમકતો હોય છે.

વિના સંઘર્ષ માણસ ચમકી નથી શકતો.
જે દિવો પ્રજજવલિત હશે તેમાં જ અજવાળુ ૫ણ હશે.

જીવન એક સંઘર્ષ છે, મૃત્યુ એટલે આરામ

સંઘર્ષ વગરની સફળતા મીઠા વગરના ભોજન જેવી હોય છે
તેનાથી ભુખ તો મટી જાય છે પણ સ્વાદિષ્ટ નથી લાગતી

 

સંઘર્ષ પર કવિતા

સૂરજ પણ જળ્યા પછી પ્રકાશ ફેલાવે,
સાગર પણ મોજાંઓ સાથે લડે છે.
સફળતા તો એના હાથે લાગે,
જે સંઘર્ષની આગમાં ગળે છે.

તોફાન સામે હંમેશા ઉભા રહી,
વૃક્ષો શીખવે સહનશીલતા.
હતાશી કે આશા નીચી ન પડે,
જેમાં હોય ખરો સંકલ્પ અને પ્રતિભા.

સહજ ક્યારેય કંઇ ન મળ્યું,
હવે પરિસ્થિતિઓથી ડરવાનું શું?
સફળતા એનું જ શિર મથકે,
જે ક્યારેય થાક્યા વગર વધતું રહે.

જેમ સિંહ શિકાર માટે મેદાનમાં જાય,
એમ માણસે પણ મજલ આગળ વધાવવી.
જિંદગી એક યુદ્ધ છે મીત્ર,
એમાં જીતવા હિંમત જાળવવી!