Bhagvat Rahasaya - 217 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 217

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 217

ભાગવત રહસ્ય -૨૧૭

 

બીજી તરફ ચિત્રકૂટની તળેટીમાં બીજા દિવસની સવારે-ભરતે વશિષ્ઠજીની આજ્ઞા માગી છે.“ગુરુજી આપ આજ્ઞા આપો તો હું ઉપર જાઉં”

ભરતજી મનમાં અત્યંત વ્યાકુળ છે-વિચારે છે-કે-મારું કાળું મુખ હું રામજીને કેવી રીતે બતાવું ?રામજી મને જોઈને ચાલ્યા જશે તો? ના,ના મોટાભાઈ આવું નહિ કરે!! મને જરૂર અપનાવશે.ભાભી –સીતાજી મને મળવાની,રામજીને મનાઈ તો કરશે નહિને? ના, ના, સીતાજીના હૃદયમાં રામજી વિરાજ્યા છે,તે એવું કરે જ નહિ.

 

સીતારામ સીતારામ કરતાં કરતાં ભરતજી ચાલે છે,ભરતજીનો પ્રેમ એવો છે કે –તે જોઈ પથ્થરો પણ પીગળી ગયા છે, ભરત દુરથી રામને જુએ છે,અનેક ઋષિઓ સાથે રામ જ્ઞાનની વાતોમાં મશગૂલ છે.ભરતને નજીક જતા બીક લાગે છે,”હું અપરાધી છું,ત્યાં કેવી રીતે જાઉં? કૈકેયી તેં આ શું કર્યું ?સન્મુખ જવાની મારી હિંમત થતી નથી,મારા લીધે મારા રામને પરિશ્રમ થયો છે.મારા લીધે મારા રામ દુઃખ ભોગવે છે.ના,ના,તે જીવના દોષ નો વિચાર કરતાં નથી, તેઓ મારો જરૂર સ્વીકાર કરશે” ધીરજ ધારણ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા જાય છે.ભરતને દેહનું ભાન નથી.

 

પર્ણકુટીની પ્રદિક્ષણા કરીએકદમ તો સન્મુખ જઈ શક્યા નહિ,પણ બધા ઋષિઓની વચ્ચે જઈ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે,લક્ષ્મણજીની નજર ગઈ અને તેમણે રામજીને કહ્યું કે-ભરત આપને સાષ્ટાંગ પ્રણામ કરે છે.ભરતનું નામ સાંભળતા જ રામજી બોલી ઉઠ્યા-મારો ભરત ક્યાં છે ?ક્યાં છે ?

ઉભા થઇ ભરતની નજીક જઈ,ભરતને ઉઠાવી આલિંગન આપ્યું છે.આંખો ભીની થઇ છે.

તે સમયે દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી છે.ચિત્રકૂટ પર જીવ અને શિવનું મિલન થયું છે.

 

ભરતજીની દશા જોતાં રામજીની આંખમાંથી આંસુ નીકળ્યા છે,મારો ભરત દુઃખી થયો છે.

રામજીના મુખમાંથી એક શબ્દ પણ નીકળી શકતો નથી.

 

પરમાત્મા (શ્રી રામચંદ્ર)ના ચરણમાં જ શાંતિ છે.પરમાત્માથી વિખુટો પડેલો જીવ જ્યાં જાય ત્યાં અશાંતિ જ છે.સંસાર સુખ-દુઃખથી ભરેલો છે.આ જીવને આનંદની ભૂખ છે.પરમાત્મા વિના જગતમાં ક્યાંય આનંદ નથી.માનવ સ્વર્ગમાં જાય કે મોટો જ્ઞાની બને પણ જ્યાં સુધી એ પરમાત્માના ચરણમાં આવતો નથી,

ત્યાં સુધી અશાંત રહે છે,પણ જયારે પરમાત્માના ચરણમાં આવે ત્યારે તેને પૂર્ણ શાંતિ-આનંદ મળે છે.

મનુષ્ય જીવનનું એક લક્ષ્ય નક્કી કરી સાધન કરે તો-તે એક દિવસ જરૂર પરમાત્મામાં લીન થાય છે.

 

ભરત ચરિત્રનું રહસ્ય એ છે-કે-લક્ષ્મણ એટલે વૈરાગ્ય અને સીતાજી એટલે પરાભક્તિ,આ બંને ને સાથે લઈને -પરમાત્મા કે જે –ચિત્રકુટમાં –એટલેકે ચિત્તમાં (અંતરમાં) વિરાજે છે-તેમને મળવા જવા તીવ્ર ઈચ્છા સાથે જાય તો –પરમાત્મા નું જરૂર મિલન થાય છે,પરમાત્મા તે જીવને અપનાવે છે.

 

તે પછી તો ભરતજીએ સીતાજી ને પ્રણામ કર્યા છે,માતાજીએ આશીર્વાદ આપ્યા,

એટલે ભરતજીને ખાતરી થઇ કે-મારા અપરાધની ક્ષમા થઇ છે.

 

રામજી વશિષ્ઠજીને પ્રણામ કરે છે,સર્વને રામ એક સાથે જ મળે છે.કૈકેયીને વંદન કરે છે-કૈકેયી દુઃખી થાય છે,ત્યારે રામ સમજાવે છે-કે-તમે બિલકુલ દુઃખ ન કરો,આમાં તમારો કોઈ દોષ નથી,આ તો વિધિની લીલા છે.માતા કૌશલ્યાને વંદન કરે છે,સાસુજીને જોતાં સીતાજી વ્યાકુળ થયા છે,સીતાજીનો તાપસીનો વેશ જોતાં કૌશલ્યાનું હૃદય ભરાણું છે. બધાને આસન પર બેસાડી રામજીએ પિતાજીના કુશળ પૂછ્યા.

વશિષ્ઠજીએ કહ્યું-કે તમારુ સ્મરણ કરતાં કરતાં દશરથજીએ દેહત્યાગ કર્યો છે.તમારા વિયોગમાં તે જીવી શક્યા નહિ.રામજી વિલાપ કરે છે.“મારા પર મારા પિતાજીનો કેવો પ્રેમ હતો,કે છેલ્લા શ્વાસ સુધી મારું સ્મરણ કરતા હતા.”

 - - - - - - - - - - - - - -

 ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો 

________  - - -