Alcohol is not good in Gujarati Science by સુરજબા ચૌહાણ આર્ય books and stories PDF | દારૂ નથી સારું

Featured Books
Categories
Share

દારૂ નથી સારું

કોઈપણ વ્યક્તિ ડાયરેક્ટ દારૂ પીવે તો ઇન્સાન મરી જાય. બ્રેન્ડેડ કરી જાય. પેટ ફાટી જાય. વ્યક્તિ આંધળી થઈ જાય.

"દારૂનો પી એચ 2.8 લીંબુનું પીએચ 2.2"

ડાયરેક્ટ દારૂ પીવાથી ઇન્સાન નું મૃત્યુ પણ થઈ શકે છે. છતાં અમુક દારૂડિયા પી જાય છે. જ્યારે કોઈપણ વ્યક્તિ દારૂ પીવે ત્યારે, દારૂમાં ઇથાઈલ આલ્કોહોલ હોય છે. ઇથાઈલ આલ્કોહોલ દુર્બલ અમલ છે જો પ્રબળ અમલ પીવે તો પેટ ફાટી જાય.

પી એચ એક અલગ વસ્તુ છે. પીએચ ટેસ્ટ ને બતાવશે. સેનેટાઈઝરમાં પણ ઇથાઈલ આલ્કોહોલ હોય છે. જ્યારે ઇથાઈલ આલ્કોહોલ પેટમાં જાય છે, તેને પેટ બચાવી શકતું નથી. એટલે પેટ લીવરને આપી દે છે. લીવર ઇથાઈલ આલ્કોહોલ ને પૂરી રીતે તોડી નાખે છે. આ તોડવાના ક્રમમાં લીવરની અમુક કોશિકાઓ ખતમ થવા લાગે છે.

જેટલી વખત તમે દારૂ પીશો એટલું લીવર ખરાબ થશે. લીવરની કોશિકાઓ નષ્ટ થશે.લીવરમાં કૂફર સેલ હોય છે. એ ઇથાઈલ આલ્કોહોલને તોડવાનું કામ કરે છે અને કુફર સેલ નષ્ટ થઈ જાય છે. લીવર બહુ જલ્દી રિપેર થઈ જાય છે.

લીવર આલ્કોહોલને તોડીને લોહીમાં ભેળવી દે છે. અને લોહી મગજમાં જાય છે. લોહી મગજમાં જાય એટલે મગજની કોશિકાઓને હીટ કરે છે. એટલે મગજ વધારે માત્રામાં ડોપામિન છોડે છે. જ્યારે મગજ ડોપામીન છોડે ત્યારે ઇન્સાન ફ્રેશ મહેસૂસ કરે છે.

થાક દૂર થઈ જાય છે. વ્યક્તિ એકદમ આનંદિત થઈ જાય છે. સામે કોઈ પણ વ્યક્તિ હોય તો તે લડવા ઝગડવા તૈયાર થઈ જાય છે. પણ શેરીબેરમ કામ કરવાનું બંધ કરી દે છે. એટલે શરીર કંટ્રોલમાં નથી રહેતું. પુરા શરીરમાં ડોપામિન છે એટલે એને એવું લાગે છે કે ટેન્શન ખતમ થઈ ગઈ છે. પણ એ એવા ટેન્શનના માયા જાળમાં ફસાઈ જાય છે, ત્યાંથી તેને બરબાદ થવાથી કોઈ નથી રોકી શકતું.

દારૂમાં ઇથાઈલ આલ્કોહોલ હોય છે. પણ જરાક ભેળવવામાં ગરબડ થાય તો મિથાઈલ આલ્કોહોલ બની જાય છે. એટલે કે ઝેરી દારૂ બની જાય છે. ઝેરી દારૂ પીવાથી વ્યક્તિ આંધળો થઈ શકે છે. અને જો વધારે માત્રામાં પીવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. બિયર ડાયરેક્ટ પી શકાય છે, કારણ તેનું ph ઓછું હોય છે. દારૂનું પીએચ વધારે હોવાના કારણે તેમાં પાણી ભેળવીને પીવામાં આવે છે. પાણી ભેળવવાથી તેનું પીએચ ઓછું થઈ જાય છે. ઝેરી દારૂ પીવામાં આવે તો તે પહેલો વાર આંખો પર કરે છે. એટલે વ્યક્તિ આંધળી થઈ શકે છે. જો વધારે માત્રામાં પીવામાં આવે તો મગજ મૃત્યુ પામે છે. એટલે વ્યક્તિ પણ મૃત્યુ પામે છે. માટે દારૂ શરીર માટે સારું નથી. કોઈએ પણ ના પીવું જોઈએ.

ભગવાને દારુ રાક્ષસોના વિનાશ માટે જ બનાવ્યો છે. હવે ઇન્સાન તેને મોજ શોખથી પીવા લાગ્યો છે. અસુરોના વિનાશ માટે ભગવાને મદિરા ઉત્પન્ન કરી છે. દારૂ પીવાથી વ્યક્તિ ડોપામિનની આદિ થઈ જાય છે. કોઈપણ દારૂડિયો દારૂ પીધા વગર કોઈ કામ નહીં કરી શકે. કારણ જ્યારે તેને દારૂ મળશે . એ દારૂ પીશે. પેટ તેને પચાવી નહી શકે એટલે લીવરને આપી દેશે. લીવર તેને તોડીને લોહીમાં ભેળવી દેશે લોહી મગજમાં જશે . મગજ વધારે માત્રામાં ડોપામિન છોડશે. એટલે તે વ્યક્તિ આનંદિત થઈ જશે. તે વ્યક્તિની ટેન્શન અને થકાન દૂર થઈ જશે. એટલે વ્યક્તિ એકદમ આંનદમાં આવી જશે. ખુશ થઇ જશે.તે વ્યક્તિનું શરીર કંટ્રોલમાં નહીં હોય. તમે તેને ધક્કો મારશો તો પણ પડી જશે. માટે દારૂ ના પીવો જોઈએ.લી.ચૌહાણ સુરજબા "આર્ય "