Shrimad Vallabhacharya in Gujarati Spiritual Stories by Rajesh Kariya books and stories PDF | શ્રીમદ્ વલ્લભાચાર્ય

Featured Books
Categories
Share

શ્રીમદ્ વલ્લભાચાર્ય

શ્રી મહાપ્રભુજીનો ૫૪૫ મા પ્રાગટ્યોત્સવની સૌ વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ. 🙏🙏
————————————————-
પ્રાગટ્યઃ ઇ.સ. ૧૪૭૯ ( ચૈત્ર વદ અગિયારસ )
મહા પ્રયાણઃ ઇ.સ ૧૫૩૧ ( ૫૨ વર્ષ )
—————————————————
દર્શનઃ શુદ્ધાદ્વેત પુષ્ટિમાર્ગ
—————————————————
સંતાનોઃ શ્રીગોપીનાથજી , શ્રીવિઠ્ઠલનાથજી
————————————————-
શ્રી વલ્લભાચાર્યજીનો જન્મ એક વિદ્વાન ભારદ્વાજ ગોત્રી તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ત્યાં ચંપારણ્યમાં સને ૧૪૭૯, (સંવત ૧૫૩૫)માં ચૈત્ર વદ ૧૧ના દિવસે થયો હતો. જન્મ થતાં બાળક મૃતવત્ જણાતાં માતા-પિતાએ સખ્ત આઘાત સાથે બાળકને શમી(ખીજડો)વૃક્ષની ગોખમાં મૂકીને, હિંસક પશુઓથી બચાવવા વૃક્ષની આગળપાછળ અગ્નિ પ્રગટાવી જતાં રહ્યાં હતા.
તેમણે બનારસમાં રહીને વેદ, વેદાંત, દર્શન, સૂત્રો, ધર્મશાસ્ત્ર, પુરાણો અને ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે સમગ્ર ભારતમાં પર્યટન કરીને પોતાના ધાર્મિક વિચારોનો પ્રચાર કર્યો. રામેશ્વર થી હરિદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં ત્રણવાર પર્યટન કરીને તેમણે પુષ્ટિમાર્ગનો પ્રચાર કર્યો. યાત્રા દરમિયાન તેમણે શ્રીભાગવતની કથા અને પારાયણ કર્યા. આજે એ સ્થળો 'બેઠક' તરીકે ઓળખાય છે.
જ્યારે એના માતા પિતા મુસ્લિમ આક્રમણ ના ભય થી દક્ષીણ ભારત જઈ રહ્યા હતા ત્યારે રસ્તા માં છત્તીસગઢ ના રાયપુર નગર ની પાસે ચંપારણ્ય માં ૧૪૭૯ માં વલ્લભાચાર્ય નો જન્મ થયો હતો, પછી કાશી માં જ એની શિક્ષા-દીક્ષા થઇ અને ત્યારે એમણે એમના મત નો ઉપદેશ પણ આપ્યો.રુદ્ર સંપ્રદાય ના વિલ્વમંગલાચાર્યજી દ્વારા એને અષ્ટાદશાક્ષર ગોપાલ મંત્ર ની દીક્ષા આપવામાં આવી અને ત્રીદંડ સંન્યાસ ની દીક્ષા સ્વામી નારાયણેદ્ર તીર્થ થી પ્રાપ્ત થઇ. ૫૨ વર્ષ ની ઉમર માં એમણે સન ૧૫૩૦ માં કાશી માં હનુમાન ઘાટ પર ગંગા માં પ્રવિષ્ટ થઈને જળ-સમાધિ લઇ લીધી.
વલ્લભાચાર્ય ના શિષ્ય : એવું માનવામાં આવે છે કે વલ્લભાચાર્ય ને ૮૪ શિષ્ય હતા જેમાં પ્રમુખ છે સુરદાસ, કૃષ્ણદાસ, કુંભણદાસ અને પરમાનંદ દાસ.
વલ્લભાચાર્યનુ દર્શન : વલ્લભાચાર્ય અનુસાર ત્રણ જ તત્વ છે. બ્રહ્મ, બ્રહ્માંડ અને આત્મા.અર્થાત ઈશ્વર, જગત અને જીવ. ઉપરના ત્રણ તત્વો ને કેન્દ્ર રાખીને જ એમણે જગત અને જીવ ના પ્રકાર જણાવ્યા અને એની પરસ્પર સંબંધો નો ખુલાસો કર્યો. એની અનુસાર પણ બ્રહ્મ હ એકમાત્ર સત્ય છે જે સર્વવ્યાપક અને અંતર્યામી છે. કૃષ્ણ ભક્ત હોવાને કારણે એમણે કૃષ્ણ ને બ્રહ્મ માનીને એની મહિમા નું વર્ણન કર્યું છે. વલ્લભાચાર્ય ના અદ્વૈતવાદ માં માયા નો સંબંધ અસ્વીકાર કરીને બ્રહ્મ ના કારણે અને જીવ-જગત ને એના કાર્ય રૂપ માં વર્ણિત કરી ત્રણેય શુદ્ધ તત્વો ની સામ્યતા પ્રતિપાદિત કરવામાં આવી છે. આ કારણે જ એના મત ને શુદ્ધદ્વૈતવાદ કહે છે.
પ્રસિદ્ધ ગ્રંથ : બ્રહ્મસૂત્ર પર અણુભાષ્ય એને બ્રહ્મસૂત્ર ભાષ્ય અથવા ઉત્તરમીમાંસા કહે છે, શ્રીમદ ભાગવત પર સુબોધિની ટીકા અને તત્વાર્થદીપ નિબંધ. એની સિવાય પણ એના અનેક ગ્રંથ છે. સગુણ અને નિર્ગુણ ભક્તિ ધારા ના સમય માં વલ્લભાચાર્ય એ એમના દર્શન ખુદ ઘડ્યા હતા પરંતુ એના મૂળ સૂત્ર વેદાંત માં જ નિહિત છે. એમણે રુદ્ર સંપ્રદાય ના પ્રવર્તક વિષ્ણુ સ્વામી ના દર્શન ની અનુસરણ તથા વિકાસ કરીને એમના શુદ્ધદ્વૈત મત અથવા પુષ્ટિમાર્ગ પ્રતિષ્ઠિત કર્યો હતો.
તેમનો સિદ્ધાંત છે કે, જે સત્યતત્વ છે, તેનો કદીપણ નાશ થતો નથી. સંસાર કાલ્‍પનિક છે, માયા છે. અવિદ્યાનું આવરણ રહેલો જીવ ‘ હું છું, મારું છે’ એવી કલ્‍પનામાં રાચે છે. સિદ્ધાંત સમજાવવા માટે તેમણે ત્રણ વાર ભારતભ્રમણ કર્યું. યાત્રા દરમ્‍યાન તેમણે લોકોને શ્રીકૃષ્‍ણ પ્રત્‍યે નિષ્‍કામ ભક્તિ માટે પ્રેરિત કર્યા. તેમણે રચેલું મધુરાષ્‍ટક ઘણું પ્રસિદ્ધ છે.
જગત્ ભગવાનની રચના છે, જ્‍યારે જીવ દ્વારા રચવામાં આવેલો સંસાર, કાલ્‍પનિક, અસત્‍ય અને અજ્ઞાનતાને કારણે નાશવંત છે. શ્રી મહાપ્રભુજીની કૃપા અને આશિર્વાદ સદા સર્વે વૈષ્ણવો અને જગત પર બની રહે તેવી આપશ્રી વલ્લભાચાર્યજીને વિનંતી. સર્વે ને જય શ્રી કૃષ્ણ. 🙏

(લેખન-સંકલન)
પ્રા.રાજેશ કારિયા ( આણંદ )