ASUR season 2 REVIEW મારી નજરે ? in Gujarati Film Reviews by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | ASUR season 2 - REVIEW મારી નજરે ?

Featured Books
Categories
Share

ASUR season 2 - REVIEW મારી નજરે ?

નમસ્કાર મિત્રો હું ફરીથી આપની સમક્ષ છું, અસુર વેબ સિરીઝની દુનિયા સાથે, આશા રાખીશ મારો આ રીવ્યુ તમને જરૂર ગમશે...





અસુર સેસન વન જ્યાંથી પૂરું થાય છે તે પછીની કહાની જ આપણી સમક્ષ અહીં રજુ કરવામાં આવેલી છે અને આ એક અનોખી બાબત આપણી સમક્ષ રજુ કરે છે,



અસુરનો મુખ્ય વિલન જે પોતાને કળિયુગ એટલે કે કલી પુરુષનો અવતાર માને છે, જેને સમાજમાંથી નૈતિકતાને ખતમ કરવી છે અને તેણે પોતાનો જ પરચમ લહેરવો છે એજ તેની ઈચ્છા છે,


અસુરની આ બાબત કે તે પોતાના માણસોને પણ મારતા વાર નથી કરતો, તે ખુબ જ ક્રૂર છે,


અહીં આપણને મુખ્ય પાત્રમાં જોવા મળતા ધનંજય રાજપુત કે જેઓ cbi ઓફિસરની ભૂમિકામાં જોવા મળે છે અને,


આ વેબ સિરીઝનો મુખ્ય વિષય જ એ છે કે જ્યાંથી તમારી કલ્પના પુરી થાય છે ત્યારે અસુરની દુનિયા જન્મે છે,




કહેવામાં આવે છે ને અસુરોના વિધવંશ માટે અને તેમના સંહાર માટે ભગવાન અવતાર બનીને આવે છે કાતો એ એક એવી બારી તો રાખે જ છે જેથી અસુરોનો વિનાશ થઇ શકે,



આ અસુરની દુનિયામાં પણ ઘણા જ સબ પ્લોટ છે દરેક કેરેક્ટરની પોતાની આગવી કહાની છે લગભગ 3 વર્ષ પછી અસુરનો આ બીજો ભાગ આપણને જોવા મળે છે અને ખાસ કરીને આની કહાની તો ગજબ રીતે આપણને બાંધવામાં સફળ રહે છે,




ધનંજય રાજપૂતની બુદ્ધિ અને તેમના ઇમોશન ખાસ કરીને આપણને જોવા મળતા હોય છે સાથે - સાથે આપણે જાણી શકીએ છીએ કે આમાં પણ ઘણી જ ઘટનાઓ જોવા મળે છે તેમની સાથે,



સિરીઝ આપણને હરેક ઉપર શક કરવા ઉપર મજબુર કરે છે, અને આજ તેની એક મોટી ખાસિયત જોવા મળે છે,



અસુર ઇતિહાસમાં જેવો હતો તેવો જ અત્યારે જોવા મળે છે,


સિરીઝ આપણને એકવાર આખી જોવા ઉપર બાંધી રાખવામાં ખુબ જ સરળ બની રહે છે અને આજ આ સિરીઝની આગાવી ખાસિયત જોવા મળે છે,


આ સિરીઝમા cbi સાઇબર અટેકથી આપણા દેશને બચવવાના કેટલા પ્રયાસો કરે છે તે પણ આપણે જોઈ શકીએ છીએ,


માણસોનો પર્સનલ ડેટા અને એક્સેસ પણ અસુર જોડે હોય છે, અને તે તેનો ગલત રીતે ઇસ્તેમાલ કરતો હોય છે ખાસ કરીને તે બધાને ભડકાવીને પોતાના સ્વાર્થ માટે લોકોનો યુસ કરતો હોય છે,




આધુનિક યુગની ટેક્નોલોજીથી સજ્જ આ અસુર ખુબ જ વિધવાન બતાવવામાં આવ્યો છે, પરંતુ તેનું ચરિત્ર અસુર સમાન છે કારણકે જ્ઞાન પણ એને જ શોભે જેમાં વિવેક હોય અને વિવેક વિનાની કોઈપણ વસ્તુ નકામી છે,




આ સિરીઝ તેના પ્રથમ ભાગની જેમ જ રસપ્રદ બની રહે છે, અને એકપછી એક મર્ડર ઉપરથી પડદા ઉઠતાં રહે છે ગેમ રમાતી જાય છે અને કહાનીમા ટ્વીસ્ટ આવતા રહેતા હોય છે,


Dilouge ની વાત કરીએ તો ખુબ જ ફિલોસોફી ઉપર આધારિત સંવાદ જોવા મળે છે..

1. “जब व्यक्ति का कर्त्तव्य और उद्देश्य समाप्त हो जाये तो उसके शरीर और अस्तित्व का कोई महत्व नहीं रहता “


2. “प्रलय का आरम्भ होने जा रहा है, युग परिवर्तन दूर नहीं है और इस बार आपका ईश्वर भी आपको बचा नहीं पाएगा”


3. “कोई व्यक्ति या भावना हमें केवल तब परेशान कर पाती है जब हम इसे शक्ति देते है”


4. “हमारा पास्ट हमारी परछाई की तरह होता है , हम चाहकर भी उससे अपना पीछा छुड़ा नहीं सकते है”

5. “घाव तभी भरते है जब उन्हें स्वीकार किया जाए”

6. “इस घड़ी के बारे में पता कर भी लोगे तो कुछ कर पाओगे क्योंकि भगवान भविष्य लिख चुके है”

7. “बेटी तो गई, बीवी भी चली गई लेकिन आजाद आप हुए”

8. “महायुद्ध शुरू हो चूका है, जिस दुनिया को आप जानते हो वो बदलने वाली है”

9. “कलयुग में जीवन और मृत्यु की डोर कली के हाथ में है”

10. “देखिये, कोई ईश्वर नहीं आया इन्हें बचाने”

11. “जो भी व्यक्ति नैतिकता पर चलेगा, उसे ऐसे ही मृत्यु के मार्ग की ओर प्रस्थान करना पड़ेगा”


આ પ્રમાણે સિરીઝમા ફિલોસોફી આપણને બખુબી જોવા મળે છે


તમને કેવો લાગ્યો આ રીવ્યુ જણાવજો અને આ સિરીઝ તમે ફ્રી માં જોઈ શકશો jio cinema ઉપર


આપના પ્રતિભાવનો આભારી

✍️ vishesh 😇