આ પણ વિતી જશે...
નિર્મળ
શાંત સ્થિર જળ
એક કાંકરીચાળો ઊઠતા વમળો...
મન પણ એવું જ
શાંત મનમાં
શંકા, અવિશ્વાસ લાવે
પીડા ને દુઃખ પારાવાર
જળનાં વમળો થોડીવારમાં શાંત
ઠરેલ
જાણે કશું જ નથી થયું...
તો
મનનો ગુરુમંત્ર
કશું જ શાશ્વત નથી
આ સમય પણ વિતી જશે
મનમાં ઊઠતા વમળો
થશે સ્થિર
સ્થિરતા પ્રગતિ લાવશે
શાંતિ આપશે...
તો
આ પણ વિતી જશે...
વિશ્વાસ છે ને? ©
કાજલ
કિરણ પિયુષ શાહ