કોણ કહે છે કે શબ્દો જ અર્થનાં શણગાર સજે છે.
મૌનને પણ આગવી ચાલ છે, છટા છે.જેમ કે,
સબંધને સાચવવાં તારું સમજુ મૌન.
સબંધને ટાળવા તારું સૂચક મૌન.
સત્ય જાણવા છતાં તારું કપટયુક્ત મૌન.
પ્રિયજનને તડપાવવા તારું અકળાવતું મૌન.
દુશ્મનની ચાલનો જવાબ તારું ચાલાક મૌન.
-Dharmista Mehta