ઘણી વાર એવા વ્યક્તિ જોડે રેહવું અને જીવવું અઘરું પડી જાય છે, જેના મા સમય અને સઁજોગ પ્રમાણે વર્તવાનુ કે પછી ઊંડા વિચારો કે ગહન સમજણ નો અભાવ હોય, સતત ઉપરની સપાટી એ વિચારતો અને વર્તતો માણસ અકળાવી મૂકે છે.
સતત જો બંને ના વિચારો અને સમજણ અલગ સપાટી એ ચાલે તો એ સંબંધ છીછરો અને ઉપરછલ્લો જ રહી જાય છે. ફક્ત દેખાડા નો.
આવા સંબંધ મા મહત્વાકાંક્ષી અને ઊંડી વિચારધારા ધરાવતા વ્યક્તિ ને સતત હીન અને વ્યર્થ હોવાનું લાગ્યા કરે છે.