#એક_સિંહ_શહિદ_ઉધમસિંહ
ઘણાં લોકો શહીદ વીર ભગતસિંહને તો જાણતાં હશે પણ ભારતનાં પનોતા પુત્ર ખુમારવંતા શહીદ ઉધમસિંહ વિશે નંઈ જાણતા હોય...
આજે વાત કરવી છે ભારતનાં વીર સપુત શેરસિંહ(ઉધમસિંહ)વિશે...
#જન્મ ૨૬ ડિસેમ્બર ૧૮૯૯ સંગરૂર જિલ્લાના સુનામ ગામ(પંજાબ)
#મૃત્યુ ૩૧ જુલાઈ ૧૯૪૦
જલિયાંવાલા બાગમાં બ્રિટિશરો દ્રારા નિર્દોષ લોકોનો જે નરસંહાર કરવામાં આવ્યો હતો જેણે આ નરસંહાર પ્રત્યક્ષ રીતે જોયો હોય આ નરસંહારમાં જેમના ભાઈ બાંધવો મૃત્યુ પામ્યા હોય તેની અંદર પ્રતિશોધની આગ તો ભભુકી જ ઉઠવાની. આ પ્રતિશોધની આગ ઠારવા માટે તેમજ જલિયાંવાલા બાગમાં પોતાનાં ભાઈ બાંધવોની જે નિર્મમ હત્યા કરવામાં આવી તેનાં પ્રતિશોધમાં ૧૩ માર્ચ ૧૯૪૦ લંડનમાં બ્રિટિશરોની સભામાં બ્રિટીશ માઈકલ એડવાયરને ગોળીઓથી વિંધીને જલિયાંવાલા હત્યાકાંડની જે આગ ઉધમસિંહની અંદર સતત બળતી રહેતી તે આગને માઈકલ એડવાયરને ગોળીઓથી વિંધીને બદલો લઈને ઠારી હતી...
જલિયાંવાલા હત્યાકાંડનો બદલો લઈને આ વીર સપુતે બધાં ભારતીયોને ગૌરવિંત કર્યાં હતાં...
વીર સુપત #શેરસિંહ (#ઉધમસિંહ )ને કોટી કોટી વંદન 💐🙏