Gujarati Quote in Shayri by Umakant

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જબ મીર – ઓ – મિર્ઝા કે સુખન રાયગાં ગએ
એક બેહુનર કી બાત ન સમજી ગઈ તો ક્યા ..

(રાયગાં = વ્યર્થ )

કેટલાક લોકો બાબતે આપણો મત અને અપેક્ષા કંઈક અલગ હોય છે અને એમનું વલણ અને રીતભાત એથી સાવ વિપરીત. ત્યારે આપણે પણ ઈફ્તેખાર સાહેબની જેમ બોલી ઊઠીએ છીએ :

રંગ સે ખુશ્બૂઓં કા નાતા ટૂટતા જાતા હૈ
ફૂલ સે લોગ ખિઝાઓં જૈસી બાતેં કરતે હૈં

(અર્થાત રંગથી સુગંધોનો સંબંધ-વિચ્છેદ થતો જાય છે. હવે તો ફૂલ જેવા લોકો પાનખર જેવી વાતો કરે છે ! )

પરંતુ એમનો આ શેર સૌથી વધુ પસંદ છે મને :

રાસ આને લગી દુનિયા તો કહા દિલને કિ જા
અબ તુજે દર્દ કી દૌલત નહીં મિલને વાલી ..

કેવું દર્દનાક સત્ય ! દુનિયાની રીત – રસમ તમને સ્વીકાર્ય બનવા લાગે અર્થાત તમે પાક્કા વ્યવહારુ બની જાઓ ત્યારે જે પ્રચંડ દુર્ઘટના બને છે તે એ કે તમારા દિલમાંથી દર્દ અને કરુણા અદ્રષ્ય થઈ જાય છે ! અથવા એમ કહીએ કે તમારું દિલ જ તમને બદદુઆ આપે છે જા ભાઈ ! જલસા કર દુન્યવી સુખ – સગવડો સંગે. હવે તારી દર્દની દોલત કાયમ માટે ગઈ !

અને બહુધા આવડી મોટી અસક્યામત જતી રહ્યાનો આપણને અહેસાસ પણ નથી હોતો ..

શ્રી ભગવાન થાવરાણીનો

Gujarati Shayri by Umakant : 111734540
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now