જબ મીર – ઓ – મિર્ઝા કે સુખન રાયગાં ગએ
એક બેહુનર કી બાત ન સમજી ગઈ તો ક્યા ..
(રાયગાં = વ્યર્થ )
કેટલાક લોકો બાબતે આપણો મત અને અપેક્ષા કંઈક અલગ હોય છે અને એમનું વલણ અને રીતભાત એથી સાવ વિપરીત. ત્યારે આપણે પણ ઈફ્તેખાર સાહેબની જેમ બોલી ઊઠીએ છીએ :
રંગ સે ખુશ્બૂઓં કા નાતા ટૂટતા જાતા હૈ
ફૂલ સે લોગ ખિઝાઓં જૈસી બાતેં કરતે હૈં
(અર્થાત રંગથી સુગંધોનો સંબંધ-વિચ્છેદ થતો જાય છે. હવે તો ફૂલ જેવા લોકો પાનખર જેવી વાતો કરે છે ! )
પરંતુ એમનો આ શેર સૌથી વધુ પસંદ છે મને :
રાસ આને લગી દુનિયા તો કહા દિલને કિ જા
અબ તુજે દર્દ કી દૌલત નહીં મિલને વાલી ..
કેવું દર્દનાક સત્ય ! દુનિયાની રીત – રસમ તમને સ્વીકાર્ય બનવા લાગે અર્થાત તમે પાક્કા વ્યવહારુ બની જાઓ ત્યારે જે પ્રચંડ દુર્ઘટના બને છે તે એ કે તમારા દિલમાંથી દર્દ અને કરુણા અદ્રષ્ય થઈ જાય છે ! અથવા એમ કહીએ કે તમારું દિલ જ તમને બદદુઆ આપે છે જા ભાઈ ! જલસા કર દુન્યવી સુખ – સગવડો સંગે. હવે તારી દર્દની દોલત કાયમ માટે ગઈ !
અને બહુધા આવડી મોટી અસક્યામત જતી રહ્યાનો આપણને અહેસાસ પણ નથી હોતો ..
શ્રી ભગવાન થાવરાણીનો