Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Know The Reason Behind Asthi Visarjan In Ganga River

ક્યાં જાય છે ગંગામાં વિસર્જિત અસ્થિઓ, કઈ રીતે રહે છે ગંગાજળ પવિત્ર ને સ્વચ્છ?

ભારતમાં ગંગા નદીને સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે. ગંગા નદીને દેવ નદી પણ કહેવાય છે. માન્યતા છે કે ગંગામાં સ્નાન કરનાર વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થાય છે. હિન્દુ ધર્મમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેની અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરવાની પરંપરા છે. પણ શું તમે જાણો છો કે ગંગામાં વિસર્જિત અસંખ્ય અસ્થિઓ ક્યાં જાય છે, કઈ રીતે ગંગાજળ રહે છે પવિત્ર અને અસ્થિ વિસર્જન પાછળનું કારણ શું છે. અહીં અમે જણાવી રહ્યા છે વિસર્જન બાદ અસ્થિઓ ક્યાં જાય છે અને ગંગામાં અસ્થિ વિસર્જન પાછળ છુપાયેલું ખાસ કારણ.

પૌરાણિક કથાઓ મુજબ ગંગા સ્વર્ગથી ધરતી ઉપર આવી હતી. ધાર્મિક માન્યતાઓ મુજબ ગંગા ભગવાન વિષ્ણુના ચરણોથી નીકળીને ભગવાન શિવની જટાઓમાં સમાઈ જાય છે ત્યારબાદ તે ધારાના રૂપમાં ધરતી ઉપર વહે છે.

ગંગાને પતિત પાવની કહેવામાં આવે છે કારણ કે ગંગામાં સ્નાન કરનાર મનુષ્યના સમસ્ત પાપોનો નાશ થાય છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ગંગા નદીમાં મૃત વ્યક્તિની અસ્થિઓ વસર્જિત કરવાથી મૃત વ્યક્તિની આત્મા ભટકતી નથી અને તેને શાંતિ મળે છે, આ જ કારણથી દરેક હિન્દુની ઈચ્છા હોય છે કે તેના મૃત્યુ બાદ તેની અસ્થિઓને ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવે.

પૌરાણિક કથાઓ મુજબ ગંગા સ્વર્ગથી ધરતી ઉપર આવી હતી. ધાર્મિક માન્યતાઓ મુજબ ગંગા ભગવાન વિષ્ણુના ચરણોથી નીકળીને ભગવાન શિવની જટાઓમાં સમાઈ જાય છે ત્યારબાદ તે ધારાના રૂપમાં ધરતી ઉપર વહે છે.

ગંગાને પતિત પાવની કહેવામાં આવે છે કારણ કે ગંગામાં સ્નાન કરનાર મનુષ્યના સમસ્ત પાપોનો નાશ થાય છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ગંગા નદીમાં મૃત વ્યક્તિની અસ્થિઓ વસર્જિત કરવાથી મૃત વ્યક્તિની આત્મા ભટકતી નથી અને તેને શાંતિ મળે છે, આ જ કારણથી દરેક હિન્દુની ઈચ્છા હોય છે કે તેના મૃત્યુ બાદ તેની અસ્થિઓને ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111622505
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now