#કટુવાણી ..
ભાવુ જાદવના મુખેથી
એકાદ મેસેજ કરીને સંબંધ સાચવે છે
એક લેખકને પણ કોઈ આમ મૂર્ખ બનાવે છે
સ્ટેટ્સમાં પણ આજકલ ભગવાન રાખે છે
લાગે છે કર્મોની હવે તારા તને હવે બીક લાગે છે
રહેવાદે હવે નાહક છેતરામણી ખુદાથી
એતો પળપળનો બધોજ હિસાબ રાખે છે.
અરે સાપ પણ વાંક હોય તોજ ડંખ મારે છે
તુતો વગર વાંકે જ ભોળા માણસને દર્દ આપે છે
જોઈએ મોક્ષ ને મનમાં હજુ ઝેર રાખે છે
ને પછી કહે છે.. ભોળો મન્દિર કેમ બંધ રાખે છે?