ગરૂડ પુરાણ અનુસાર આ કારણે શરીરની કાળજી રાખવાથી પ્રભુ થાય છે પ્રસન્ન
આપણા 18 પુરાણો આપણા માર્ગદર્શક બનીને હંમેશા ઉભા છે. ગરૂડ પુરાણમાં ફક્ત મૃત્યુ પછીના જીવનની જ વાત નથી કરવામાં આવી તેમાં મનુષ્ય જીવન કેવી રીતે વિતાવવું તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યુ છે. પોતાના જીવનકાળમાં આપણે આપણા શરીરીની યોગ્ય દેખભાળ અને સારસંભાળ રાખવી જોઈએ. કેમકે આવું કરવાથી તમે સુંદર તો દેખાશો સાથે સાથે ભગવાને આપેલા ઉત્તમ માનવ દેહની કદર પણ કરશો આનાથી ભગવાન ખુશ થાય છે.
કેમકે જે માનવ દેહ આપણને સોંપવામાં આવ્યો છે તે પ્રભુ નિર્મિત છે. ગરૂડ પુરાણમાં વર્ણન છે કે શા કારણે મનુષ્યે પોતાના દેહની સારસંભાળ રાખવી જોઈએ આઓ આજે વિસ્તૃત રીતે માહિતી મેળવીએ.
શરીરની કાળજી શા માટે જરૂરી?
ગરૂડ પુરાણમાં કહેલી કેટલીક વાતો અનુસાર આપણે આપણા શરીરની દેખભાળ રાખીશું તો આપણે સ્વસ્થ રહી શકીશુ અને ધર્મના માર્ગ પર સરળતાથી ચાલી શકીશુ. બીમાર શરીરમાં ક્યારેય સ્વસ્થ મન નિવાસ નથી કરી શકતુ.
મન શુદ્ધ નહી હોય તો કર્મ બાધિત થશે
શરીર બીમાર હોવાથી મન ખુશ નથી રહી શકતુ અને દુખી તેમજ વ્યથિત મન ક્યારેય ધર્મ કાર્યોમાં લીન નથી થઈ શકતુ. એટલે જરૂરૂી છે કે આપણે આપણા શરીરની દેખભાળ રાખીએ.
વૃદ્ધાવસ્થા બંધન સમાન
ગરૂડ પુરાણમાં કહ્યુ છે કે વૃદ્ધાવસ્થા બંધન સમાન છે. અને આયુષ્ય એક ફુટેલા ઘડાની સમાન છે જેને સતત વહેતુ પાણી અંતે ખતમ કરી નાખે છે અને ખોખલુ કરી નાખે છે. એ જ રીતે સમય વીતિ જાય પછી આયુષ્ય પણ ઘટતી જાય છે અને અંતે દેહ બચે છે.
જીવનના અંત સમયે આ શત્રુ છે…
જો આપણે યુવાવસ્થામાં આપણા શરીરની દેખભાળ કરીએ તો વૃદ્ધાવસ્થા સામે લડી શકીશુ. જીવનના આ અંતિમ પડાવને સરળતાથી પાર કરી શકીશું. વૃદ્ધાવસ્થાનો સૌથી મોટો શત્રુ છે બીમારી. જો આપણે યુવાવસ્થામાં શરીરને સંભાળીશુ તો વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ રહીશું. આપણી જીવન શૈલી ખાવા-પીવાની રીતભાત થકી આપણે આપણા જીવનને સંતુલીત કરી શકીશુ.
શરૂઆતથી જ કરવા જોઈએ ધાર્મિક કાર્ય
આપણા સમાજમાં એક સામાન્ય ધારણા છે કે પૂજા-પાઠ ફક્ત વૃદ્ધાવસ્થામાં જ કરવી જોઇએ. જ્યારે આ વાત સાચી નથી. આપણે યુવાવસ્થામાં સમજી વિચારીને ધર્મ અને પુણ્ય કાર્ય ન કર્યા તો વૃદ્ધાવસ્થામાં બીમારી આપણને આ કાર્ય નહી કરવા દે. આગ લાગે ત્યારે કુવો ન ખોદવો જોઈએ. આનાથી પુણ્યને મેળવવા સમયનો વ્યય ન કરવો જોઈએ.