Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાસ્તુશાસ્ત્રમાં કર્યો છે ઉલ્લેખ, જો નૈઋત્ય તરફ માથું રાખીને સુવો તો થાય છે આવુ

વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યુ છે કે કઈ દિશામાં સૂવુ કઈ દિશામાં નહી. ક્યા સકારાત્મક ઉર્જા મળે છે ક્યા નકારાત્મક ઉર્જા મળે છે. આ પ્રકારની નકારત્મક ઊર્જા કેવી રીતે ઉદભવે તે આપણે વાસ્તુના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ.જયારે નૈઋત્યનો દોષ હોય અને નૈઋત્ય તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા હોય ત્યારે મનોવિકાર આવે.

મન શાંત ન રહે અને સતત વિચારો આવ્યા કરે. વળી મોટાભાગે આવા વિચારો નકારાત્મક વલણ તરફ દોરનારા હોય તેવું બની શકે. જયારે સ્ત્રી વધારે સમયથી એકલી રહેતી હોય તો તેના માટે યોગ્ય સ્થાન છે અગ્નિ. પણ જો અગ્નિમાં વાયુનું પ્રતીક હોય તો નારીનું મન ચંચળ બને અને તેની આવી વિચારધારા ક્યારેક તેને વિવિધતા તરફ દોરી જાય. એમાં પણ જો પૂર્વનો અક્ષ નકારાત્મક હોય તો તે એવું કાર્ય કરે જેનાથી તેમનું સન્માન ઘટે.

કેટલાક આશ્રમમાં પણ નકારાત્મક ઘટનાઓ બને ત્યારે નવાઈ લાગે. જો આશ્રમનો ઇશાનના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય તો ત્યાં વિકારો આવી શકે. ઈશાનમાં રહેતી વ્યક્તિ જો યોગ્ય ઊર્જામાં ન રહેતી હોય તો તેના મનમાં વિકારો આવે પણ તે પોતાના મન પર કાબૂ કરી શકે.

જો ઇશાનના અક્ષથી બનતા ત્રિકોણ ઉપરાંત નૈઋત્ય પણ નકારાત્મક હોય તો વિકૃતિ ઉપરાંત કોર્ટ કચેરી પણ થઇ શકે. જો એમાં પશ્ચિમનો અક્ષ નકારાત્મક હોય તો કોર્ટમાં નામોશી મળે તેવું બને. જો અગ્નિના ત્રણેય અક્ષ નકારાત્મક હોય તો નારીના કારણે આવી સમસ્યા ઉદભવી શકે. આ ઉપરાંત કૈક નવું અથવા પરાક્રમ કરવાના પ્રયોગમાં ક્યારેક વિકૃતિ આવી જાય તેવું બને.

જીવનમાં દરેક ચાર રસ્તા પર સાચો રસ્તો પસંદ કરવો પડે છે. જો વ્યક્તિ હકારાત્મક ઊર્જામાં રહે તો આ કાર્યમાં તેને સરળતા રહે છે. મિત્રની કોઈ જાતિ નથી હોતી. જયારે મિત્રને જાતિવાચક ઉપનામથી જોડવામાં આવે ત્યારે સમસ્યા થવાની સંભાવના રહે છે. વ્યક્તિ કુટુંબીજનોને પણ પ્રેમ કરી શકે અને કુદરતને પણ.લાગણી અને અપેક્ષાઓ સાથે સાથે ચાલે છે તેવું ક્યાંક વાંચેલું.

પણ જ્યાં સાચી લાગણી અને પ્રેમ છે ત્યાં અપેક્ષાઓને સ્થાન જ નથી મળતું. મીરાનો પ્રેમ સાચો હતો. તેની અપેક્ષાઓ શું હતી. તો શું આવો નિષ્કામ, નિશ્વાર્થ પ્રેમ મળે ખરો? જેમાં માત્ર આપવાની જ ભાવના હોય. સ્વને વિસારી અને સામેવાળાનો જ વિચાર થતો હોય. વ્યક્તિ જયારે વાસ્તુની સારી ઊર્જામાં રહેતી હોય અને ઇશાનની ઊર્જા ખૂબ જ સારી હોય ત્યારે આવું બની શકે.

જયારે હકારાત્મક ઊર્જા મળે ત્યારે જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ પણ મળે છે. અને હકારાત્મક અભિગમ શ્રેષ્ઠ લાગણી અને પ્રેમની સમજ આપે છે. એ સમજ શ્રેષ્ઠ જીવન જીવવામાં મદદ કરે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111440564
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now