Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૂઠી ચણાને ગોળ ચમકાવી દેશે તમારું ભાગ્ય, જાણો કઈ રીતે ?

નસીબ, ભાગ્ય કે કિસ્મત એવા શબ્દો છે જેનાથી આપણા સુખ અને દુખનો સીધો સંબંધ છે. શાસ્ત્રો અનુસાર આપણા કર્મોથી જ ભાગ્ય કે નસીબ બને છે. આપણા જીવનમાં કેટલું સુખ મળશે અને કેટલું દુઃખ એ પહેલા સમય અને પૂર્વ જન્મમાં કરવામાં આવેલ કર્મોને આધારે છે.

કોઈ વ્યક્તિને કુંડળીના કોઈ ગ્રહ દોષને કારણે વધારે પરેશાનીઓનો સામનો કરવો પડે છે તો તેનો મતલબ એ છે કે તેનું ભાગ્ય સાથ નથી આપી રહ્યું. ભાગ્ય સંબંધી પરેશાનીઓને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં એક સટિક ઉપાય જણાવવામાં આવે છે, જેનાથી શુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે.

શાસ્ત્રો અનુસાર જુના સમયથી જ કોઈ પ્રકારની સમસ્યા કે મનોકામનાની પૂર્તિ માટે હનુમાનજીના પૂજન શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. કળયુગમાં હનુમાનજી ઝડપથી પ્રસન્ન થનાર દેવતા માનવામાં આવે છે.

તેની નિયમિત આરાધનાથી કુંડળીના બધા ગ્રહદોષ પમ શાંત થઈ જાય છે. સાથે જ જુના પાપ કર્મોનો અશુભ પ્રભાવ પણ નષ્ટ થી જાય છે અને વ્યક્તિના દૂર્ભાગ્યથી છૂટકારો મળી જાય છે.

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય જણાવવામાં આવે છે. તેના ઉપાયોમાંથી એક ઉપાય છે તો તેના જ્યોતિષીય દોષ દૂર થઈ જાય છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થવા લાગે છે અને ભાગ્ય સાથ દેવા લાગે છે. વાંદરાને ગોળ-ચણા ખવડાવનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે કારણ કે પોતે બજરંગબલીની વાનર રૂપમાં જ પૂજા થાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111420110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now